રામાનંદ સાગરની ‘રામાયણ’ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. જ્યારે કોરોનાના કારણે લોકડાઉન થયું હતું તો આ સીરિયલનું પ્રસારણ ફરી એકવાર કરવામાં આવ્યું હતું અને તે સમયે પણ દર્શકો તરફથી જે પ્રતિસાદ મળ્યો તે જોઈને એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ શો આજે પણ લોકોના દિલમાં વસે છે. રામાયણમાં ભૂમિકા ભજવનાર દરેક કલાકારો આજે પણ લોકોને યાદ છે.
આ શોમાં રામ અને સીતાનું પાત્ર અરુણ ગોવિલ અને દીપિકા ચિલખીયાએ ભજવ્યું હતું. જ્યારે તેમના બાળકોના પાત્રો બે બાળ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. આ બાળ કલાકારો હવે મોટા થઈ ગયા છે.
જણાવી દઈએ કે લવની ભૂમિકા મયુરેશ ક્ષત્રડે અને કુશની ભૂમિકા સ્વપ્નિલ જોશીએ ભજવી હતી. આ બંને બાળ કલાકારો હવે મોટા થઈ ગયા છે. તેમાંથી એક મરાઠી સિનેમાનો લોકપ્રિય અભિનેતા બની ગયો છે અને બીજો વિદેશમાં મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરી રહ્યો છે.
કુશનું પાત્ર ભજવનાર સ્વપ્નીલ જોશી આજે પણ અભિનય ક્ષેત્રે સક્રિય છે. બાળ અભિનેતા તરીકે રામાયણ કર્યા બાદ તેણે કૃષ્ણા સીરિયલમાં શ્રીકૃષ્ણનું પાત્ર પણ ભજવ્યું હતું.
ત્યારબાદ પણ ઘણા શોમાં તેણે કામ કર્યું અને મોટા થયા બાદ પણ તેણે અભિનય કરવાનું યથાવત રાખ્યું છે. આજે તે હિંદી અને મરાઠી અભિનય જગતના ખ્યાતનામ કલાકારોમાંથી એક છે. ટેલિવિઝન સિવાય સ્વપ્નીલ ફિલ્મોમાં પણ સક્રિય છે. તેણે ‘ગુલામ-એ-મુસ્તફા’, ‘મિતવા’, ‘વેલકમ ઝિંદગી’ અને ‘તુ હી રે’માં કામ કર્યું છે.
લવનું પાત્ર ભજવતા મયુરેશની વાત કરીએ તો તે હાલમાં તે ન્યુ જર્સીમાં છે. તે એક ખાનગી કંપનીના ઉચ્ચ હોદ્દા પર છે. તેણે રામાયણ બાદ અભિનય ક્ષેત્રને અલવિદા કહ્યું અને નોકરી શરુ કરી હતી. આજે બંને કલાકારો તેમના પરિવાર સાથે જીવનનો આનંદ માણી રહ્યા છે. બંને કલાકારોના લગ્ન થઈ ગયા છે અને તેમની પત્ની પણ સુંદર છે.
તેમની પત્નીઓની તસવીર સામે આવી છે. બંને કલાકારોની પત્નીઓ ફિલ્મી અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી સુંદર છે. બંને કલાકારો તેમના પરિવાર સાથેના ફોટો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. જેમાં જોઈ શકાય છે કે તેમની રિયલ લાઈફની પત્નીઓ કેટલી સુંદર છે અને તેઓ કેટલું સુખમયી જીવન જીવી રહ્યા છે.