રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બગડી ગઈ તબિયત, છાતીમાં દુખાવાની કરી રહ્યા છે ફરિયાદ, આર્મી હોસ્પિટલમાં કરાયા એડમિટ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુક્રવારે અચાનક તબિયત બગડી ગઈ છે. છાતીમાં દુખાવાની ફરિયાદ પછી રામનાથ કોવિંદને દિલ્લીમાં આવેલી આર્મી હોસ્પિટલ આર એન્ડ આરમાં લઈ જવામાં આવ્યા છે.
અહીંયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું અને હાલ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હોસ્પિટલના ડોકટરોની દેખરેખ હેઠળ રખાયેલા છે. આર્મી હોસ્પિટલનું કહેવું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાલત સ્થિર છે.
મળેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત બગડતા જ એમને આર્મી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. એ પછી એમને દિલ્લીના આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અહીંયા આર્મી હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. આર્મી હોસ્પિટલ તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્વાસ્થ્યને લઈને મેડિકલ બુલેટિન જાહેર કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપવામાં આવી છે.
આર્મી હોસ્પિટલ દ્વારા જાહેર કરેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના મેડિકલ બુલેટિનમાં તેમને રૂટિન ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા એ અંગે જાણકારી આપવામાં આવી છે. સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આર્મી હોસ્પિટલના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ તો એમની હાલત સ્થિર દર્શાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે હાલ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પડોશી દેશ બાંગ્લાદેશના પ્રવાસ પર છે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પીટર સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત વિશે વાત કરી છે.
PM @narendramodi spoke to Rashtrapati Ji’s son. He enquired about the President’s health and prayed for his well-being.
— PMO India (@PMOIndia) March 26, 2021
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી કાર્યાલયના કહેવા અનુસાર ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પુત્ર સાથે વાત કરીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્વાસ્થ્ય સંબીધિત જાણકારી મેળવી લીધી છે. પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જલ્દી જ સાજા થઈ જાય એવી કામના પણ કરી છે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 3 માર્ચે કોરાના વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લગાવવામાં આવી હતી.
એ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે સફળતાપૂર્વક દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન હાથ ધરવા બદલ તમામ ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના લોકોને કોરોના વેક્સિન લગાવવા માટે અપીલ પણ કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!