Site icon News Gujarat

કોરોનાને માત આપ્યા બાદ આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, નહિં તો આ તકલીફોથી જીવનું થઇ જશે જોખમ

કોરોનામાંથી સ્વસ્થ થયા પછી લોકો વિવિધ સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે. તેમાંથી, કેટલાક દર્દીઓ એવાપણ છે જેઓને ભુલવાની બિમારી લાગુ પડી છે. ડોકટરો કહે છે કે તેને પોસ્ટ કોવિડ સિમ્પટમ કહેવામાં આવે છે. જે દર્દીમાં કોવિડનો ચેપ વધારે હોય છે તેને સાજા થયા બાદ વધુ લક્ષણો જોવા મળે છે. કોરોના વાઇરસથી સ્વસ્થ થયા પછી પણ અનેક લોકો બીમાર પડી રહ્યા છે. તેમનામાં શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, થાકવું, સામાન્ય તાવ, જોઇન્ટ્સમાં દુખાવો અને ઉદાસીનતા જેવા લક્ષણ સામે આવી રહ્યા છે. આને પોસ્ટ કોવિડ સિમ્પટમ્સ કહે છે.

image source

કોરોના વાઇરસની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લક્ષણ હોય છે

ભારત જ નહીં, વિદેશોમાં પણ લોકોએ સોશિયલ મીડિયા અથવા સર્વેમાં દ્વારા પોતાના અનુભવો રજૂ કર્યા છે. દિલ્હીના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં આ મહિને પોસ્ટ કોવિડ ક્લિનિક પણ બનાવવામાં આવ્યું, જ્યાં કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ જેમને તકલીફ થઈ રહી છે તેવા દરદીઓનો ઇલાજ થાય છે. ડૉક્ટરોના કહેવા પ્રમાણે એવા અનેક દરદી સામે આવી રહ્યા છે, જેમનો કોરોના વાઇરસની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લક્ષણ હોય છે અને તેમને ઇલાજની જરૂર પડી રહી છે.

image source

20 ટકા લોકોમાં ભૂલી જવાની સમસ્યા

રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર અજિત જૈનના જણાવ્યા પ્રમાણે કોરોનાથી સ્વસ્થ થયા પછી લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓ થાય છે. કોવિડ પછીના ક્લિનિકમાં સારવાર કરાયેલા 250 લોકોમાંથી, 80 લોકો ન્યૂરોની સમસ્યાઓ જોવા મળી છે. તેમાંથી, લગભગ 20 ટકા લોકો છે જેને ભૂલી જવાની સમસ્યા છે.

image source

લોકોની નસોમાં લકવો થાય છે

તેમણે કહ્યું કે ઘણી વખત એવું બને છે કે લોકોની નસોમાં લકવો થાય છે, કેટલીકવાર તે મગજને પણ અસર કરે છે, જે મેમરીને પ્રભાવિત કરે છે. જે દર્દીઓમાં સંક્રમણ દરમિયાન મગજમાં સોજાની સમસ્યા હતી તેમાં વધુ લક્ષણો જોવા મળે છે. સાજા થયેલા 70 ટકા લોકોમાં નવળાઈ અને ચક્કર આવવાની ફરિયાદો સામે આવી હતી.

image source

રોગ પ્રતિરોધક તંત્રમાં બદલાવ આવી શકે છે

ડોકટરોના મતે આમ થવું કોઈ નવી વાત નથી. આ અન્ય વાયરસના કેસોમાં પણ થાય છે. એપોલો હોસ્પિટલના ડોક્ટર યશ ગુલાટીના મતે વાયરસ સામે લડવા માટે શરીરમાં બનાવવામાં આવતી એન્ટિજેન્સ રોગપ્રતિકારક શક્તિમાં આવા ફેરફારો કરે છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારે પ્રતિક્રિયા આપે છે. આને કારણે જ તાવ, શરીરમાં દુખાવો અને અન્ય સમસ્યાઓ શરૂ થાય છે. જેમ ચિકનગુનિયા માં 8 કે 10 દિવસ તાવ રહયા બાદ તે મટી જાય છે, પરંતુ તેના ઘણા દર્દીઓમાં કેટલાક મહિનાઓથી સાંધાનો દુખાવો અને શરીરનો દુખાવો રહે છે. ઘણા દર્દીઓમાં સંધિવા પણ થાય છે.

image source

કોરોનાથી ઠીક થયા પછી આ સાવધાનીના પગલા લેવા

કોરોના વાઇરસથી ઠીક થયા પછી કોઈ વ્યક્તિમાં 30 થી 40 દિવસ સુધી ઍન્ટિબોડી બનેલા રહે છે. એવામાં તેના કોરોનાથી સંક્રમિત થવાનો ભય ખૂબ જ ઓછો થઈ જાય છે. છત્તાં પણ ડૉક્ટર સંપૂર્ણ સાવધાનીઓ વર્તવાની સલાહ આપે છે. ડૉક્ટર શરદ જોશીનું કહેવું છે કે તમારું શરીર એક વાઇરસથી લડીને જીત્યું છે. તમારે ઇમ્યૂન સિસ્ટમ પર પહેલાથી જ દબાણ હતું. એવામાં ખાવા-પીવાનું ધ્યાન રાખો. માસ્ક, હાઇજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને સાવધાનીઓ રાખો. એવું ના કરવાના કારણે થઈ શકે છે કે તમને કોઈ બીજુ ઇન્ફેક્શન થઈ જાય અને પહેલાથી નબળાં શરીર પર તેની ગંભીર અસર થઈ જાય. જો કોરોના વાઇરસ ઠીક થયા પછી કોઈ પણ સમસ્યા થઈ રહી છે, તો ડૉક્ટરને અવશ્ય દેખાડો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version