મિત્રો, સલાડ એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તેથી ઘણા લોકો સલાડ ખાય છે અને તેનો ઉપયોગ કરે છે. ઘણા લોકો એવા હોય છે જે બપોરના સમયે ભોજન સાથે તેનુ સેવન કરવાનુ પસંદ કરે છે. તે ભોજન કરતા નથી ફક્ત સલાડનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કાકડી, મૂળા, ગાજર, બીટરૂટ અને ટામેટા જેવા શાકભાજી સામાન્ય રીતે સલાડ તરીકે ખાવામાં આવે છે પરંતુ, જેના કારણે સલાડ અસ્તિત્વમા આવ્યુ તે ભાગ્યે જ જોવા મળે છે.
હા, આપણે અહી વાત કરવા જઈ રહ્યા છીએ લેટયુસ પતાની કે જેના કારણે સલાડ અસ્તિત્વમા આવ્યુ. તે ક્યારેક રેસ્ટોરન્ટ અને હોટલોમાં લંચ અને ડિનર દરમિયાન જોવા મળે છે પરંતુ, ખુબ જ ઓછા લોકોનુ ધ્યાન આ બાબત પર જાય છે. તે સલાડમાં સમાવિષ્ટ બાકીના શાકભાજી કરતા પણ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે.
જો તમે પણ સલાડ ખાવાનું પસંદ કરો છો તો બાકીના શાકભાજી સાથે સલાડના પાનનો ઉપયોગ ચોક્કસ કરો કારણકે, તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તો ચાલો આજે આ લેખમા અમે તમને અહીં સલાડના પાનના ફાયદા વિશે માહિતી આપીએ.
વજન ઘટાડવા માટે લાભદાયી :
વજન ઘટાડવા માટે લોકો વેજિટેબલ સલાડ ખાવાનું પસંદ કરે છે, પરંતુ લેટસ વજન ઘટાડવામાં બાકીના શાકભાજી કરતાં વધુ મદદ કરી શકે છે. આ પાંદડામાં ઓછી કેલરી અને ઉચ્ચ પોષક તત્વો હોય છે. તેથી તમારે સલાડમાં લેટસનો સમાવેશ કરવો જ જોઈએ.
અનિન્દ્રાની સમસ્યામા રાહત મળે :
જે લોકોને ઊંઘની સમસ્યા હોય તેમણે સલાડના પાનનો ઉપયોગ કરવો જ જોઈએ. લેટસમાં પેંટોબાર્બીટલ ગુણધર્મો હોય છે, જે તણાવદૂર દવા તરીકે કામ કરે છે અને તમને સારી ઊંઘ મેળવવામાં મદદ કરશે.
ડાયાબીટીસની સમસ્યામા રાહત મળે :
લેટસનો ઉપયોગ ડાયાબિટીસની સમસ્યાને પણ ઘટાડે છે. આ પાનમાં લેક્ટ્રક્સેન્થીન નામનું તત્વ હોય છે જે ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો ધરાવે છે. તે લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.
શરીરમા લોહીનુ પ્રમાણ વધે છે :
શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે પણ લેટસનું સેવન કરી શકાય છે. આ પાંદડામા ફોલેટ પુષ્કળ માત્રામા જોવા મળે છે, જે લોહીમાં આયર્નનું પ્રમાણ વધારે છે તથા એનિમિયાની સમસ્યાને થતી અટકાવી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબુત બને :
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લેટસ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેના સેવનથી બીમારીઓનુ જોખમ પણ ઘટી જાય છે.
શરીરને હાઈડ્રેટ રાખવામા લાભદાયી :
ગરમીની ઋતુમા શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણીની વધુ જરૂર પડે છે. જો લેટસનું સેવન બપોરના ભોજન અથવા રાત્રિભોજન સાથે કરવામાં આવે તો તે શરીરમાં પાણીના અભાવને પૂર્ણ કરે છે અને શરીરમા ભેજ પણ જાળવી રાખે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત