Site icon News Gujarat

આમીર અલી અને સંજીદા શેખે એમના ડિવોર્સ પર તોડ્યું મૌન, બંનેએ કહી આ વાત

અભિનેતા આમિર અલી અને અભિનેત્રી સંજીદા શેખ ટીવી ઈન્ડસ્ટ્રીનું લોકપ્રિય કપલ માનવામાં આવતું હતું, પરંતુ આજના સમયમાં બંને અલગ થઈ ગયા છે. થોડા સમય પહેલા આમિર અલી અને સંજીદા શેખના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. બંનેએ વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા અને બંને આયરા નામની એક સુંદર પુત્રીના માતાપિતા પણ છે. જોકે, જ્યારે તેમના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા ત્યારે ચાહકો ચોંકી ગયા હતા. બધા તેમના છૂટાછેડાનું કારણ જાણવા માંગતા હતા પરંતુ બંનેએ તેમના છૂટાછેડા પર મૌન સેવ્યું હતું. તો હવે આમિર અને સંજીદાએ તેમના છૂટાછેડા પર મૌન તોડ્યું છે.

image socure

એક અહેવાલ અનુસાર, આમિર અલી અને સંજીદા શેખે તેમના તાજેતરના ઇન્ટરવ્યુમાં તેમના છૂટાછેડા વિશે વાત કરી છે. રિપોર્ટ અનુસાર, સંજીદાએ કહ્યું, ‘હું આ રિપોર્ટ્સ પર કમેન્ટ કરવા માંગતી નથી. હું ફક્ત મારા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કામ કરવા માંગુ છું જેથી તે મારા પર ગર્વ અનુભવે અને તે ખૂબ જ જલ્દી થશે

image soucre

બીજી તરફ આમિર અલીએ પણ સંજીદા સાથેના છૂટાછેડા પર કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. છૂટાછેડાના સમાચાર પર તેણે કહ્યું, ‘હું આ અંગે કમેન્ટ કરવા માંગતો નથી. હું તેને સિમ્પલ અને ક્લીન રાખવા માંગુ છું. હું સંજીદા અને દીકરીને શુભેચ્છા પાઠવું છું.

image socure

રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2020માં આમિર અલી અને સંજીદા શેખ વચ્ચે સમસ્યાઓ આવવા લાગી અને તેના કારણે બંને અલગ પણ થઈ ગયા. નવ મહિના પહેલા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા અને પુત્રીની કસ્ટડી સંજીદા શેખને મળી છે. બંને તેમના જીવનમાં આગળ વધ્યા છે પરંતુ તેઓ તેમના સંબંધો વિશે ગોપનીયતા રાખવા માંગે છે તેથી તેઓએ તેમના સંબંધો વિશે વધુ જાહેરાત કરી નથી.

image socure

આમિર અલી અને સંજીદા શેખ ટીવીનું લોકપ્રિય કપલ હતું. બંને નચ બલિયે સીઝન 3 માં જોવા મળ્યા હતા અને આ સીઝન પણ તેઓ જીતી ગયા હતા. તો આમિરની કારકિર્દીની વાત કરીએ તો, તે એક લોકપ્રિય ટીવી અભિનેતા છે, જે વર્ષોથી પોતાના અભિનયના દમ પર ચાહકોના દિલ પર રાજ કરી રહ્યો છે. આમિર ‘એક હસીના થી’, ‘ટશન-એ-ઈશ્ક’, ‘સરોજિની’ સહિત ઘણા ટીવી શોમાં જોવા મળ્યો છે.

image soucre

સંજીદા શેખ પણ ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. તે લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેણે અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી હિટ સિરિયલો આપી છે. સંજીદા ‘ક્યા હોગા નિમ્મો કા’, ‘બિદાઈ’, ‘ભાગ્ય લક્ષ્મી’, ‘લવ કા હૈ ઇન્તેઝાર’ જેવી ઘણી સિરિયલોનો ભાગ રહી ચૂકી છે.

Exit mobile version