એક તરફ દેશમાં તહેવારની સીઝિની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે કોરોનાનું સક્રમણ પણ માથું ઉચકી રહ્યો છે. તો આ સમયે જો તમે સૌરાષ્ટ્રના મંદિરે દર્શન કરવાનો પ્લાન છે તો તમારે ચેતી જવાનો પ્લાન છે. વિરપુરના જલારામ મંદિરને હોળીના દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર તરફથી મળતી માહિતી અનુસાર હોળીના દિવોસમાં 4 દિવસ મંદિર બંધ રહેશે. દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને આ નિર્ણય મંદિર દ્વારા લેવામાં આવ્યો છે.
જાણો ક્યાં સુધી બંધ રહેશે દ્વારકાધીશનું જગતમંદિર
27 માર્ચથી 30 માર્ચ સુધી ટ્રસ્ટે જલારામ મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે દેશમાં મોતનો આંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મંગળવાર સુધીમાં અહીં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1730 નવા કેસની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. હવે દેશમાં દૈનિક મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે
દેશમાં કુલ 5 રાજ્યો છે જે કોરોનાનું ટેન્શન વધારી રહ્યા છે. મહારાષ્ટ્ર સૌથી મોખરે છે. ગુજરાતની વાત કરીએ તો સુરત અને પછી અમદાવાદમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના 4 શહેરોમાં અનેક પ્રકારની પાબંધી પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં સંક્રમણ અટકાવવા માટે પણ મોટો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રથી ગુજરાતના આવતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં મહારાષ્ટ્રના પેસેંજરોને કોરોના ટેસ્ટ વગર ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.
રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. Rtpcr ટેસ્ટ બાદ જ મહારાષ્ટ્રથી આવતા મુસાફરોને એન્ટ્રી મળશે. એરપોર્ટ પર કડક પણે નિયમોનું અમલીકરણ થશે. પેસેંજરોના કોરોના ટેસ્ટ માટે એરપોર્ટ પર જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અહીં કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ જ પેસેંજરોને એરપોર્ટ બહાર એન્ટ્રી મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!