Site icon News Gujarat

હેમા માલિનીએ શાહરુખ ખાન અને ગૌરી ખાનની સુહાગરાતને કરી દીધી હતી બરબાદ, જાણો આખી મેટર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ પાવર કપલની વાત કરવામાં આવે છે ત્યારે ઈન્ડસ્ટ્રીના ‘કિંગ ખાન’ એટલે કે શાહરૂખ ખાન અને તેની લવિંગ પત્ની ગૌરી ખાનનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. બંનેએ તેમની સુંદર કેમેસ્ટ્રી દ્વારા લાખો અને કરોડો કપલ્સને ઇન્સપાયર કર્યા છે. શાહરૂખ અને ગૌરીએ 25 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા હતા. પરંતુ એ પણ સાચું છે કે ગૌરી ખાનને પોતાની બેગમ બનાવવા માટે શાહરૂખ ખાને ઘણા પાપડ વણવા પડ્યા હતા. શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરી સાથે જોડાયેલી ઘણી વાતો બોલિવૂડની ગલીઓમાં સાંભળવા મળી રહી છે.

image soucre

બંનેની પહેલી મુલાકાતથી લઈને ત્રણ વાર લગ્ન કરવા સુધી, ચાહકોએ આ કપલ સાથે જોડાયેલી વાતો ઉત્સાહપૂર્વક વાંચે છે. પરંતુ શાહરૂખ અને ગૌરી ખાનના હનીમૂન સાથે જોડાયેલી કહાની તમને ભાગ્યે જ ખબર હશે. અભિનેત્રી હેમા માલિનીના કારણે બંનેની પહેલી રાત બરબાદ થઈ ગઈ હતી અને ખુદ શાહરૂખ ખાને પણ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

image soucre

શાહરૂખે ગૌરી સાથે લગ્ન કર્યા ત્યારે જ બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ દિવસોમાં અભિનેતા ફિલ્મ ‘દિલ આશના હૈ’નું શૂટિંગ કરી રહ્યો હતો. આ કારણથી લગ્ન પછી તરત જ તે પત્ની ગૌરી સાથે મુંબઈ આવી ગયો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન પાસે રહેવા માટે ઘર ન હતું, આ કારણે તે ગૌરી સાથે હોટલમાં ગયો હતો. અહીં એક્ટર અઝીઝ મિર્ઝાએ શાહરૂખ અને ગૌરી માટે રૂમ બુક કરાવ્યો હતો.

image soucre

હેમા માલિની ફિલ્મ ‘દિલ આશના હૈ’ના નિર્દેશક હતા. કહેવાય છે કે ગૌરી સાથે હોટલ પહોંચ્યા બાદ શાહરૂખ ખાને સૌથી પહેલા હેમા માલિનીને ફોન કર્યો હતો. આ દરમિયાન અભિનેતાએ હેમાને કહ્યું કે તે મુંબઈ પરત આવી ગયો છે. પરંતુ જેવી હેમાને શાહરૂખના આવવાની ખબર પડી કે અભિનેત્રીએ શાહરૂખને મળવા માટે સેટ પર બોલાવ્યો અને શાહરૂખ પણ હેમા માલિનીની વાત ટાળી શક્યો નહીં. આ કારણોસર શાહરૂખ ખાને પોતાનું હનીમૂન છોડીને હેમા માલિનીને મળવા જવું પડ્યું હતું. શાહરુખ ખાન ગૌરી ખાનને પણ એમની સાથે સેટ પર લઈને ગયા હતા.

image soucre

જો કે, હેમા માલિની સેટ પર ન હતી. એવામાં શાહરૂખ ખાને ગૌરીને મેક-અપ રૂમમાં બેસાડી અને પોતે શૂટિંગ કરવા ગયા. બંને લગભગ 11 વાગે સેટ પર પહોંચ્યા અને 2 વાગે શાહરૂખ શૂટ કરવા ગયા. કહેવાય છે કે ગૌરી અહીં સાડી, ભારે જ્વેલરી અને બંગડીઓ પહેરીને આવી હતી અને જે રૂમમાં ગૌરીને બેસાડવામાં આવી હતી ત્યાં ઘણા બધા મચ્છરો હતા, જેણે ગૌરીને કરડી લીધી હતી અને તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ બધું જોઈને શાહરૂખ ખાન ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.

image soucre

એક ઈન્ટરવ્યુમાં આ સમગ્ર ઘટનાને યાદ કરતા શાહરૂખ ખાને કહ્યું હતું કે, ‘તે દિવસે હું મારા નિર્ણય પર ખૂબ રડ્યો હતો. મને લાગતું હતું કે એ દિવસ મારા અને ગૌરી માટે અપમાનજનક હતો. તે ગૌરીની સુહાગરાત હતી જે મચ્છરથી ભરેલા ઓરડામાં કોઈની રાહ જોતા કપાઈ હતી. આ ઈન્ટરવ્યુમાં શાહરૂખે એમ પણ કહ્યું હતું કે, જ્યારે હું શૂટિંગ પૂરું કરીને આવ્યો ત્યારે ગૌરીએ મને કંઈ કહ્યું ન હતું.

Exit mobile version