Site icon News Gujarat

શત્રુઘ્ન સિન્હાએ ચાલતી ટ્રેનમાં કર્યો હતો પૂનમને પ્રપોઝ, ડોકટર બનાવવા માંગતા હતા પિતા

પોતાના મજબૂત અભિનય અને ડાયલોગ ડિલિવરી માટે જાણીતા શત્રુઘ્ન સિન્હાને તેમના પિતા ડૉક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ તેઓ અભિનેતા બની ગયા. વાત જાણે એમ હતી કે, શત્રુઘ્ન સિન્હાના પિતા ઈચ્છતા હતા કે તેઓ પણ તેમના અન્ય ભાઈઓની જેમ ડૉક્ટર કે એન્જિનિયર બને. પરંતુ તેણે અભિનયનો માર્ગ પસંદ કર્યો. અભિનયથી રાજકારણ સુધીની સફર નક્કી કરી. હીરો અને વિલન બંને રોલમાં તેને દર્શકોએ પસંદ કર્યો હતો.

image soucre

શત્રુઘ્ન સિંહાનો જન્મ 9 ડિસેમ્બર 1945ના રોજ કદમકુઆં, પટનામાં થયો હતો. શત્રુઘ્ન સિન્હા ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેમના સ્પષ્ટ નિવેદનો માટે પણ જાણીતા છે. શોટગન તરીકે જાણીતા શત્રુઘ્ન સિંહાએ 1980માં પૂનમ સિંહા સાથે લગ્ન કર્યા હતા. તેની અને પૂનમની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. શત્રુઘ્ન સિંહાને પહેલી જ મુલાકાતમાં પૂનમ સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ તે સમયે તે રીના રોયને ડેટ કરી રહ્યા હતા

image soucre

શત્રુઘ્ન સિન્હાએ ફિલ્મ ‘પાકીઝા’ના ડાયલોગ ‘અપને પાઓં જમીન પર મત રખીયેગા…’ કાગળ પર લખીને ચાલતી ટ્રેનમાં પૂનમને પ્રપોઝ કર્યું હતું. જો કે, આ પહેલા તેની પૂનમ સાથે ઘણી મુલાકાત થઈ હતી, પરંતુ તેણે આ અનોખી રીતે પોતાના દિલની વાત કરી હતી. પરંતુ જ્યારે શત્રુઘ્ન સિંહા પૂનમને ટ્રેનમાં મળ્યા ત્યારે તેમણે પાકીઝાનો પ્રખ્યાત ડાયલોગ એક ટુકડા પર લખીને પૂનમને પ્રપોઝ કર્યું. પૂનમ ચંદિરમણીએ પણ તેમના પ્રેમ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.

image socure

જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સાથે લગ્ન કરવા માટે ઘણા પાપડ વણવા પડ્યા હતા. શત્રુઘ્નના ચહેરા પરના નિશાન અને ફિલ્મોમાં તેના પાત્રો જોઈને પૂનમની માતાએ આ લગ્નની ના પાડી દીધી હતી. પરિવારને સમજાવ્યા બાદ જ્યારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી અને લગ્નનો કાર્યક્રમ શરૂ થયો ત્યારે શત્રુઘ્ન સિંહા પોતે તેમના લગ્નમાં લગભગ ત્રણ કલાક મોડા પડ્યા હતા.

image socure

એક ઈન્ટરવ્યુમાં શત્રુઘ્ને કબૂલ્યું હતું કે લગ્ન પછી પણ રીના સાથે તેના સંબંધો હતા. તો, પૂનમે પણ કહ્યું હતું કે તે તેના પતિ અને રીનાના અફેર વિશે બધું જ જાણે છે. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ આખરે બધું સારું થયું. લગ્ન બાદ શત્રુઘ્નને બે પુત્ર લવ, કુશ અને એક પુત્રી સોનાક્ષી છે. 70નો દશક અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન વચ્ચે સ્પર્ધાનો સમયગાળો હતો. બંને વચ્ચે ઝઘડો થયો હોવાના અહેવાલો હતા પરંતુ હવે બંને સારા મિત્રો છે.

Exit mobile version