SP રાહુલ શર્મા કરશે ધડાકો, દીપ સિદ્ધુએ દારુ પીધો હતો કે નહીં, રિપોર્ટમાં ખુલશે એક એક રહસ્યો

પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં મોત પર સોનીપતના SP રાહુલ શર્માએ જણાવ્યું કે ફોરેન્સિક રિપોર્ટ પછી ખબર પડશે કે એમણે દારૂ પીધો હતો કે નહિ. એમણે જણાવ્યું કે હજુ સુધી તપાસમાં જલ્દીમાં અને બેદરકારીરહી ગાડી ચલાવવાનો મામલો સામે આવ્યો છે અને એજ ધારા પર અમે FIR દાખલ કરી છે. ચાલકની ઓળખ કરવામાં આવી છે એણે પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ગાડીમાંથી એમનું સામાન અને દારૂની અડધી બોટલ મળી છે.

જણાવી દઈએ કે પંજાબના અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. ગયા વર્ષે ૨૬ જાન્યુઆરીએ ખેડૂત આંદોલન દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં થયેલી હિંસાને કારણે સિદ્ધુ હેડલાઇન્સમાં આવ્યા હતા. સિદ્ધુ પર આંદોલનકારીઓના જૂથને ઉશ્કેરવાનો આરોપ હતો. માહિતી મુજબ આ દુર્ઘટના કેએમપી એક્સપ્રેસ વે પર થઇ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર સિદ્ધુ તેની મહિલા મિત્ર સાથે સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યો હતો.

પરંતુ, રાત્રે 9 વાગ્યાની આસપાસ રસ્તા પર અંધારુ હોવાના કારણે તેમની કારનો અકસ્માત થયો હતો. સિદ્ધુના પાર્થિવ દેહને સોનીપતની ખારખોડા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સિદ્ધુ પંજાબની આ વિધાનસભા ચૂંટણીમાં ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા હતા.