કોઈ અજાણ્યા શખ્સનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું. ડોકટરો તેમનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે જોયું કે આ વ્યક્તિનું હૃદય ખૂબ જ સખત હતુ. સિનિયર તબીબોને તેની જાણ થતાં જ તેઓએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હકિકતમાં આ ઘટના ગોવાની છે. જ્યાં અજાણ્યા શબની ઓટોપ્સી દરમિયાન ડોકટરોને પથ્થર જેવું કઠિન હૃદય જોવા મળ્યું હતું.
ચાલો જાણીએ આ દુર્લભ કેસ પાછળનું કારણ શું છે. એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું છે કે, ગોવા મેડિકલ કોલેજના ડોક્ટરોએ ‘હાર્ટ ઓફ સ્ટોન’ શોધી કાઢ્યું છે. રિપોર્ટ અનુસાર હૃદયની આ દુર્લભ સ્થિતિ હૃદયની ટિશૂજના કેલિસિફિકેશનને કારણે થઈ છે. આ સ્થિતિમાં પેશીઓ પથ્થર જેવી બને છે.
મેં આ દુર્લભ શોધને મારા સિનિયરોને કહ્યું
અખબાર સાથેની વાતચીત દરમિયાન, ઓટોપ્સી કરનારા ડોક્ટર ભરત શ્રીકુમારે કહ્યું, ‘હૃદય એટલું સખત હતું, જેમ કે તેને પથ્થરમાં મૂકવામાં આવ્યું હોય. મેં આ દુર્લભ શોધને મારા સિનિયરોને કહ્યું, પછી તેઓએ જીએમસીના પેથોલોજી વિભાગની મદદથી હૃદયના આ ભાગનો હિસ્ટોપેથોલોજીકલ અભ્યાસ કરવાની સલાહ આપી.
ડો.શ્રીકુમાર જીએમસીના ફોરેન્સિક મેડિસિન વિભાગમાં બીજા વર્ષના પીજીના વિદ્યાર્થી છે. જુલાઇમાં તેણે આ ઓટોપ્સી કરી હતી. જોકે દક્ષિણ ગોવાના એક પાર્કમાં મળી આવેલા મૃતકની ઓળખ થઈ શકી નથી. તેમના પેપર ‘એ હાર્ટ સેટ ઇન સ્ટોન’ ને ઓડિશામાં તાજેતરમાં સમાપ્ત થયેલી ઈન્ડિયા એકેડેમી ઓફ ફોરેન્સિક મેડિકલની 42 મી આવૃત્તિમાં પ્રથમ ઇનામ મળ્યું છે.
વ્યક્તિનું હૃદય પથ્થરમાં ફેરવાઈ ગયું
રોગનો અભ્યાસ કરવા માટે કરવામાં આવેલી માઇક્રોસ્કોપિક તપાસને હિસ્ટોપેથોલોજી કહેવામાં આવે છે. તપાસમાં બહાર આવ્યું છે કે કેલિસિફિકેશનને કારણે વ્યક્તિનું હૃદય પથ્થરમાં ફેરવાઈ ગયું છે. આ એક જ પ્રકારની સમસ્યા છે જે કિડનીના પત્થરોનું કારણ બને છે. અભ્યાસના નિષ્કર્ષ એ તથ્યની વિરુદ્ધ હતું કે ફાઇબ્રોસિસને કારણે પેશીઓ સખત હતા. એન્ડોમિઓકાર્ડિયલ ફાઇબ્રોસિસ એ ભારતમાં સામાન્ય તબીબી સમસ્યા છે.
ભારતીયો હૃદયરોગના શિકાર જલદી બને છે
તમને જણાવી દઈએ કે એક સંશોધન અનુસાર વિશ્વના અન્ય લોકો કરતાં ભારતીય લોકો હૃદયરોગના વધુ શિકાર બને છે. તેના માટે ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનુ વ્યસન, ભોજનમાં ચરબીવાળા પદાર્થોનું વધુ પ્રમાણ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક લાઈફ સ્ટાઈલ જેવાં વિવિધ કારણોને કારણે ભારતીયોમાં હૃદયરોગના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.નોંધનિય છે કે હૃદયરોગ હવે નાની ઉંમરના લોકોને પણ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, હાલમાં 10 કરોડથી પણ વધુ ભારતીય લોકો હૃદયની ધમનીના રોગથી પીડાય રહ્યા છે. બીજી તરફ ભારતમાં મૃત્યુનું મુખ્ય કારણ હશે હૃદયરોગનો હુમલો. જે આજ કાલ સામાન્ય બીમારી થઈ ગઈ છે. નાનાથી લઈને મોટા સુધી દરેકને ક્યારે હ્યદય રોગનો હુમલો આવી જાય કઈ કહી શકાતુ નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!