Site icon News Gujarat

શું તમે જાણો છો દેશના આ પેટ્રોલ પમ્પ વિશે, જ્યાં સજા કાપી રહેલા કેદીઓ ભરે છે વાહનોમાં પેટ્રોલ..

મિત્રો, મધ્યપ્રદેશના જેલ વિભાગ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે. આ પ્રયોગ દ્વારા તેમનો પ્રયાસ જેલના કર્મચારીઓને ગુનાહિત પ્રવૃતિઓમાંથી બહાર કાઢવાનો હતો. આપણે સૌ જાણીએ છીએ કે, મોટાભાગના લોકો ગુનાહિત પ્રવૃતિએ ત્યારે જ ચડે છે જ્યારે તેમની પાસે આજીવિકા મેળવવાનુ કોઈ માધ્યમ નથી હોતુ.

image source

આ કારણોસર હાલ મધ્યપ્રદેશના જેલ વિભાગ દ્વારા શનિવારના રોજથી પેટ્રોલ પંપ શરૂ કરવા માટેનો નિર્ણય લેવામા આવ્યો હતો. આ મધ્યપ્રદેશનો પહેલો એવો પેટ્રોલ પંપ છે કે, જેમા સારા વર્તનવાળા દોષિત કેદીઓ વાહનોમાં બળતણ ભરવા માટે રાખવામા આવ્યા છે.

image source

અહીના ખાતાકીય અધિકારીઓએ જણાવ્યું હતું કે, આમાંના મોટાભાગના કેદીઓને હત્યાના જુદા-જુદા કેસોમા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેલ અને સુધરાઈ સેવા વિભાગના નવનિયુક્ત ડિરેક્ટર જનરલ અરવિંદ કુમારે શહેરની સેન્ટ્રલ જેલ નજીક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે જોડાયેલા એક પેટ્રોલપંપનુ ઉદઘાટન કર્યુ હતુ.

image source

આ સમય દરમિયાન રાજ્યના જેલ વિભાગનું મુખ્ય પ્રતીક સ્વરૂપ તેમની કારમા બળતણ ભરતા નજરે પડી રહ્યા હતા. કુમારે પત્રકારોને જણાવ્યુ હતુ કે, પેટ્રોલ પંપ આઠ દોષિત કેદીઓને અહી પેટ્રોલ ભરવા માટેના કામમા રોકવામા આવેલ છે, જેમને સારા વર્તનને કારણે ખુલ્લી જેલમાં રાખવામાં આવ્યા છે અને જેમની જેલની સજાનો સમયગાળો આગામી એક કે બે વર્ષની અંદર સમાપ્ત થવાનો છે.

image source

તેમણે જણાવ્યુ હતુ કે, જેલ વિભાગે પ્રાયોગિક ધોરણે ઈન્દોર ખાતે પેટ્રોલ પંપ શરૂ કર્યા છે અને તેની કામગીરીની સફળતા પર રાજ્યના અન્ય શહેરોમા પણ આવા પેટ્રોલ પંપ ખોલવા અંગે વિચારણા કરવામા આવી રહી છે. પેટ્રોલ પંપમાં જેલમાં બંધ કેદીઓમાં સંડોવાયેલા પ્રતાપસિંહ એ જણાવ્યુ હતુ કે, હત્યાના કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને આ સજા છ મહિના બાદ પૂર્ણ થવાની છે.

રતલામ જિલ્લાના આ કેદીએ જણાવ્યુ હતુ કે, હુ મારા પરિવાર સાથે ખુલ્લી જેલમા રહુ છુ. પેટ્રોલ પંપ પર રોજગારીને કારણે મારુ ભાવિ જીવન એકદમ સરળ બની ગયુ છે. આ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, પેટ્રોલ પંપનું સંચાલન ઈન્દોર ખાતે સેન્ટ્રલ જેલ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવશે અને મળેલી આવકનો ઉપયોગ કર્મચારીઓના કલ્યાણ માટે કરવામાં આવશે.

image source

સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ કુમાર ભંગેએ જણાવ્યું હતું કે, તેમણે જેલ વિભાગના ડાયરેક્ટર જનરલને પેટ્રોલ પંપમા વધુ છ દોષિત કેદીઓને કામ પર રાખવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપમાં કેદીઓને રોજગાર આપવાથી અમને તેમના પુનર્વસનમાં પણ મદદ મળશે અને ગુનાહિત પ્રવૃતિઓનુ પ્રમાણ પણ ઘટી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version