આ યોગાસન કરવાથી શુગરને રાખી શકાય છે કન્ટ્રોલમાં, વાંચો આ લેખ અને જાણો તમે પણ…
જીવનશૈલી અને ખરાબ ખાવાની ટેવનું સૌથી મોટું જોખમ ડાયાબિટીસ એટલે કે હાઈ સુગર લેવલ છે. નિષ્ણાતો માને છે કે ભારતની મોટી વસ્તી ડાયાબિટીસ થી પીડિત છે અને તેનાથી પણ મોટી ભારતીય વસ્તી એવી છે કે તેમને ખબર નથી કે તેમને ડાયાબિટીસ છે. આનો અર્થ એ છે કે ડાયાબિટીસ હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે, જેને પ્રી-ડાયાબિટીક કહેવામાં આવે છે.
ડાયાબિટીસમાં શરીરમાં બ્લડ સુગર વધે છે, જે ઘટાડવો ખૂબ જરૂરી છે. નિષ્ણાતો ના જણાવ્યા મુજબ, દૈનિક કસરત અને યોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં હાઈ સુગર નિયંત્રિત થઇ જાય છે. અહીં જણાવેલા કેટલાક યોગાસન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
હાઈ શુગર ને ઘટાડવા માટે 5 અસરકારક યોગાસન
આર્ટ ઓફ લિવિંગ મુજબ જો તમે ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવા માંગતા હોવ, તો તમારે તમારી જીવનશૈલીમાં પ્રાણાયામ, યોગ અને ધ્યાન ઉમેરવું જોઈએ. તેમના જણાવ્યા મુજબ તમે અહીં જણાવેલ યોગાસન સવારે અથવા સાંજે કોઈપણ સમયે કરી શકો છો.
ધનુરાસન
આર્ટ ઓફ લિવિંગ મુજબ ધનુરાસન સ્વાદુપિંડ ને સક્રિય કરે છે. ઇન્સ્યુલિન હોર્મોન, જે શરીરમાં બ્લડ સુગર ને નિયંત્રિત કરે છે, તે સ્વાદુપિંડ દ્વારા જ ઉત્પન્ન થાય છે. આ સિવાય ધનુરાસન પેટના તમામ અંગોને મજબૂત બનાવે છે અને તણાવમાંથી પણ રાહત આપે છે.
કપાલભાતી પ્રાણાયામ
ડાયાબિટીસના દર્દીઓ માટે કપાલભાતી પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા શરીર ની તંત્ર-તંત્રીકાઓ અને મગજ ની નસોને મજબૂત બનાવે છે. તેની સાથે તે શરીર ને ઉર્જા પણ આપે છે. કપાલભાતી પ્રાણાયામ શરીરમાં લોહીનો પ્રવાહ સુધારે છે, અને મનને પણ શાંત કરે છે.
અર્ધમત્સ્યેન્દ્રાસન
ડાયાબિટીસના દર્દીઓએ અર્ધ મત્સ્યેન્દ્રસન પણ કરવું જોઈએ. તેનાથી પેટના અંગોની મસાજની સાથે કરોડરજ્જુ પણ મજબૂત બને છે. ડાયબિટીસથી રાહત આપતો આ યોગાસન ફેફસાંની શ્વાસની ક્ષમતામાં પણ વધારો કરે છે.
પશ્ચિમોત્તાનાસન
આર્ટ ઓફ લિવિંગ મુજબ હાઈ બ્લડ સુગર ને નિયંત્રિત કરવા માટે પશ્ચિમોત્નાસન પણ કરવું જોઈએ. આ આસન પેટના તમામ અંગોને પણ સક્રિય કરે છે. જેના કારણે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરનારા સ્વાદુપિંડને પણ અસર થાય છે. ડાયાબિટીસમાં ફાયદાકારક આ યોગાસન મનની શાંતિ અને જીવન ઉર્જા વધારવામાં પણ ફાયદાકારક છે.
શવાસન
શાવસન એક ખૂબ જ સરળ યોગ આસન છે, જે કોઈપણ ડાયાબિટીસ દર્દી કરી શકે છે. શવાસનમાં ધ્યાન લગાવવાની જરૂર છે. જે શરીરને આરામ આપે છે અને મનને શાંત કરે છે અને ઉર્જાનો સંચાર કરે છે.