આ છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતુ ખોલવા માટેની યોગ્ય રીત, જાણો તમે પણ આ વિશે A TO Z માહિતી…

મિત્રો, કરવેરા આયોજન, નિવૃત્તિ આયોજન, રોકાણ આયોજન પર વળતર. મોટાભાગના લોકો આ બધી વસ્તુઓનું આયોજન કરે છે. પરંતુ, જ્યારે બાળકોની વાત આવે છે ત્યારે વહેલા આયોજનનો વિચાર ભાગ્યે જ કોઈ કરતુ હોય છે. પરંતુ, શરૂઆત જેટલી વહેલી થશે તેટલો જ તમને વધુ લાભ મળશે.

image source

રોકાણ જેટલો મોટો હશે તેટલું જ તમે બાળકનું ભવિષ્ય વધુ સારું બનાવી શકો છો. જ્યારે માત્ર નજીવો ખર્ચ કરવાની વાત આવે ત્યારે તમે શું કહેશો? એવી ઘણી બચત યોજનાઓ છે કે, જ્યા તમે પૈસા મૂકી શકો છો અને સારું વળતર મેળવી શકો છો. પરંતુ, જો તમારા દીકરીના ભવિષ્યનુ આયોજન કરવામાં આવે તો તેના માટે એક જ યોજના કારગર છે, તે છે સુકન્યા સમૃદ્ધિ યોજના.

image source

આ યોજના ૧૦ વર્ષ સુધીની દીકરીઓ માટે છે, જેમાં નાણાકીય વર્ષમાં ત્રિમાસિક ધોરણે ૭.૬ ટકા વ્યાજ આવે છે. તેથી આજે જ તમે રોકાણ શરૂ કરો. આ યોજના આવકવેરાની કલમ ૮૦ સી હેઠળ કરમુક્તિ પણ પૂરી પાડે છે. તમે તેને તમારા રોકાણોમાં બતાવી શકો છો. આ ખાતામાં જમા રકમ, પ્રાપ્ત વ્યાજ અને પરિપક્વતા પરની રકમ કરમુક્ત છે.

image source

આવકવેરા બચત માટે તમે આ ખાતામાં વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો પરંતુ, રોકાણ કરતા પહેલા તમારા મનમાં ઘણા પ્રશ્નો છે અને તેને દૂર કરવા માટે આ યોજના સાથે જોડાયેલી અમુક બાબતો પણ અહી અમે જણાવેલ છે. આ ખાતુ ૧૦ વર્ષ સુધીની ઉંમરની છોકરીઓ માટે ખોલી શકાય છે.

image source

જો તમે બાળકનો કુદરતી અથવા કાનૂની વાલી છો તો જ તમે આ ખાતું ખોલો. સૌથી મોટી વાત તો એ છે કે તમે બે દીકરીઓ માટે પણ આ ખાતું ખોલી શકો છો પરંતુ જો બીજા સંતાનના જન્મ સમયે જોડિયા દીકરી હોય તો તમે ત્રીજું ખાતું પણ ખોલો. જ્યારે ત્રણ બાળકો હોય તો ત્રણ બાળકો એક સાથે જન્મે છે ત્યારે પણ આ જ નિયમ લાગુ પડે છે.

image source

આ યોજનાની શરૂઆતમાં તમે ૧ રૂપિયા અને પછી ૧૦૦ રૂપિયાના ગુણામાં પૈસા જમા કરાવી શકો છો. નાણાકીય વર્ષમાં ખાતામાં વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. તમે ખાતું ખોલવાની તારીખથી ૧૪ વર્ષ સુધી પૈસા જમા કરાવી શકો છો. નાણાકીય વર્ષમાં એક વખત ઓછામાં ઓછા ૧,૦૦૦ રૂપિયા જમા કરાવવા જરૂરી છે. જો તમે ઓછામાં ઓછી રકમ જમા નહીં કરો તો તમારે ૫૦ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

image source

સરકાર દર વર્ષે સુકન્યા સમૃદ્ધિ ખાતા પરનું વ્યાજ નક્કી કરે છે. જોકે આ ત્રિમાસિક ધોરણે નક્કી થાય છે અને તે વાર્ષિક ખાતામાં જમા થાય છે. હાલ, વ્યાજ ૭.૬ ટકા જેટલુ છે. આ યોજના અંતર્ગત તમે બાળક ૧૮ વર્ષનું થાય તે પહેલાં તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી, આ બાબત અંગે વિશેષ સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!