સુશાંત સિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, વાંચો વિગતવાર..

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં શરુઆતમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યાર પછી ડોક્ટર્સએ હવે સુશાંત સિંહ રાજપૂતના અંગોને વધુ તપાસ માટે જે. જે. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે

image source

જે. જે. હોસ્પિટલમાં સુશાંતના અંગોમાં કોઈપણ પ્રકારના ઝેરી તત્વો કે પછી ડ્રગ્સ છે કે નહી તેની તપાસ કરવામાં આવશે. સુશાંત સિંહ રાજપુતના સુસાઈડ કેસની તપાસ કરી રહેલ મુંબઈ પોલીસ ઝોન ૯ના ડીસીપી અભિષેક ત્રિમુખી જણાવે છે કે, સુશાંત સિંહ રાજપુતના રૂમમાં પોલીસને કોઈપણ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી.

સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યાના કેટલાક દિવસ પહેલા જ પોતાના પૂર્વ મેનેજરના મોતની ખબર સાંભળીને લાગણીશીલ બની ગયો હતો. સુશાંત સિંહ રાજપૂતએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘આ ખુબ જ દુઃખદ સમાચાર છે. હું દિશાના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન દિશાની આત્માને શાંતિ આપે.’

image source

બોલીવુડના પ્રસિદ્ધ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ (Sushant Sinh Rajput) ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ પોતાના જ ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. એન્ટરટેઈનમેન્ટ દુનિયા અને સુશંતના ફેંસ આ દુઃખદ ખબર સાંભળીને ઘણો મોટો શોક લાગ્યો. જો કે, સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કરવાનું કારણ હાલ તો ડીપ્રેશનના શિકાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની તપાસ કરી રહેલ પોલીસ ટીમનું કહેવું છે કે, પોલીસને સુશંતના ઘરેથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે પછી સુસાઈડ નોટ મળી નથી. સુશાંતના મૃતદેહના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

image source

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટમોર્ટમ રીપોર્ટ મધ્ય રાતે આવ્યો છે આ રીપોર્ટમાં સુશાંત સિંહે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ડોક્ટર્સએ સુશાંતના વાઈટલ અંગોને વધુ તપાસ માટે જે. જે. હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે સુશાંતના અંગોની વધુ તાસ દ્વારા જાણકારી મળશે કે સુશાંતના શરીરમાં કોઇપણ પ્રકારનું ઝેર કે પછી ડ્રગ્સ છે કે નહી? પરંતુ હજી સુધી સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રીપોર્ટ માટે કોઈ અધિકારીક જાણકારી આપવામાં આવી નથી.

image source

સુત્રોની જાણકારી પ્રમાણે સુશાંત સિંહ રાજપૂતએ ઘરમાં જયારે આત્મહત્યા કરી ત્યારે ઘરમાં સુશાંત સહિત અન્ય ૩ વ્યક્તિઓ હાજર હતા. સુશાંતના ઘરમાં ત્યારે બે કુક અને એક હાઉસકીપિંગ હાજર હતા. સુશાંત સિંહ રાજપૂતએ મધ્ય રાત્રિ દરમિયાન એક મિત્રને કોલ કર્યો હતો પણ મિત્ર સાથે સુશાંતની વાતચીત થઈ શકી નહી.

પોલીસના જણાવ્યા પ્રમાણે સુશાંત સિહ પોતાના જ બેડરૂમમાં હતા. સુશાંતએ રવિવારની સવારે નાસ્તા કરતા સમયે પણ વધારે સમય સુધી દરવાજો ખોલ્યો નહી. ત્યાર પછી રવિવારના ૧૨ વાગતા બેડરૂમનો દરવાજો તોડી નાખવામાં આવ્યો અને જયારે અંદર જોવામાં આવ્યું તો સુશાંત સિંહ પંખા પર લટકેલ જોવા મળ્યા.

સુશાંત સિંહ રાજપૂતના આજ રોજ મુંબઈમાં જ અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. સુશાંતના પરિવારના સભ્યો પણ પટનાથી મુંબઈ આવી પહોચ્યા છે. સુશાંતની અંતિમ સંસ્કાર વિધિમાં સુશાંતના પરિવારના સભ્યો અને અન્ય નજીકના સંબંધીઓ હાજર રહેવાના છે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત