Site icon News Gujarat

સુશાંતનું આ સપનું ના થયુ પૂરું, જાણો કોની સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી સુશાંતની

સુશાંત સિહ રાજપૂતના કેસમાં તેના પિતા કે. કે. સિંહએ અભિનેત્રી રીયા ચક્રવર્તી પર આરોપ લગાવવાની અને FIR નોંધાવી છે. એની સાથે જ સુશાંત સિંહ રાજપૂતના કેસએ હવે નવો વળાંક લઈ લીધો છે અને આ કેસ હવે બિહાર પોલીસની પાસે ચાલ્યો ગયો છે. ફિલ્મ ક્રિટિક સુભાષ કે. ઝા સાથે સુશાંત સિંહ રાજપુતના કેસને લઈને વાતચીત કરી છે.

image source

સુભાષ ઝાએ સુશાંત સિંહ રાજપૂત અને તેમની જિંદગીને લઈને કેટલાક મોટા ખુલાસા વિષે જણાવ્યું છે. સુભાષ ઝા જણાવે છે કે, કેવી રીતે સુશાંત સિંહ રાજપૂત, રીયાના જીવનમાં આવ્યા પછી તેઓ બદલાઈ ગયા હતા. આ સાથે જ સુભાષ ઝા એ પણ જણાવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત પોતાની પહેલી ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે લગ્ન કરવા માટે તૈયાર હતા.

image source

સુભાષ ઝાનું કહેવું છે કે, રીયા ચક્રવર્તીના આવ્યા પછી સુશાંત સિંહ રાજપૂત પૂરી રીતે બદલાઈ ગયા. દોઢ- બે વર્ષમાં જ સુશાંત સિંહ રાજપૂત એકલા થઈ ગયા જયારે તેમનાથી પહેલા તેઓ ખુબ જ મિલનસાર થયા કરતા હતા. અંકિતા લોખંડેની સાથે સુશાંત સિંહ રાજપૂત ખુબ જ ખુશ રહેતા હતા. તેમણે મને એમ પણ જણાવ્યું હતું કે તેઓ બે વાર લગ્ન કરશે. એકવાર પોતાના પરિવાર માટે અને બીજીવાર અંકિતાના પરિવાર માટે ઇન્દોરમાં લગ્ન કરશે. સુશાંત સિંહ રાજપુતના પરિવારના સભ્યો પણ અંકિતા લોખંડેને ખુબ જ પસંદ કરતા હતા.

image source

બે વર્ષના અભિનેત્રી રીયા ચક્રવર્તી સાથેના રીલેશનશિપમાં સુશાંત સિંહ રાજપૂત ખુબ જ બદલાઈ ગયા. તેની અસર સુશાંત સિંહ રાજપૂતના ફિલ્મી કરિયર પર પણ પડી કેટલીક ફિલ્મો પણ સુશાંત સિંહ રાજપૂતએ છોડી દીધી. જ્યાં સુધી અભિનેત્રી રીયા ચક્રવર્તીને ફિલ્મોમાં લેવાની શરતની વાત છે તો તેને લઈને ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ચર્ચા થઈ હતી પરંતુ તેની કોઈ સાબિતી અમારી પાસે છે નહી.

image source

પરંતુ એ વાત છે કે, સુશાંત સિંહ રાજપુતના ફોન અભિનેત્રી રીયા ચક્રવર્તી જ એટેંડ કરતી હતી સુશાંત સિંહ રાજપૂત કોની સાથે વાત કરશે તે કદાચ રીયા ચક્રવર્તી જ નક્કી કરતી હતી. તેનો શિકાર તો હું પણ થયો છું. સુશાંત સિંહ રાજપૂત બદલાઈ ગયા હતા તેની સાબિતી તો છે. આ હત્યા છે નહી પરંતુ સુસાઈડ કરનાર વ્યક્તિ સુશાંત સિંહ રાજપૂત હતા નહી. કોઈ એવી વાત જરૂર થઈ છે જેનાથી સુશાંત સિંહ રાજપૂત મજબુર થઈ ગયા હશે.

image source

આપને જણાવીએ કે, સુશાંત સિંહ રાજપૂતની મુલાકાત અંકિતા લોખંડે સાથે સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર થઈ હતી. એકતા કપૂરની આ સીરીયલમાં બંને માનવ અને અર્ચનાના કિરદારમાં જોવા મળ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે પરદા પર તો પ્રેમી હતા જ આ સાથે જ તેઓ બંને રીયલ લાઈફમાં પણ પ્રેમ થઈ ગયો હતો.

image source

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનો સંબંધ અંદાજીત ૬ વર્ષ સુધી ચાલ્યો. બોલીવુડમાં કરિયર શરુ કર્યા પછી બંનેના સંબંધોમાં તિરાડ આવી ગઈ અને બંને અલગ થઈ ગયા. ત્યાર બાદ સુશાંત સિંહ રાજપૂતનું નામ અભિનેત્રી કૃતિ સેનન અને અભિનેત્રી રીયા ચક્રવર્તી સાથે જોડવામાં આવ્યું હતું.

Source : aaj tak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version