તમે પણ લીધી છે કોરોનાની વેક્સીનનો ડોઝ તો ડાયટમાં સામેલ કરો આ ચીજો, નહીં થાય સાઈડ ઇફેક્ટ્સ
કોરોનાની વેક્સીન લગાવ્યા બાદ સાઈડ ઇફેક્ટ ન થાય તે માટે વિશેષજ્ઞોની તરફથી વેક્સીનેશન પહેલા અને પછી ડાયટમાં કેટલીક ખાસ ચીજો સામેલ કરવાનું સૂચન કરાયું છે.
કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે દેશમાં મોટા પાયે વેક્સીનેશન થઈ રહ્યું છે. સંક્રમણથી બચવું હાલમાં ખૂબ જ જરૂરી છે. વેક્સીન લગાવ્યા બાદ કેટલાક લોકોને તેના સાઈડ ઈફેક્ટનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ વેક્સીન લગાવ્યા બાદ લોકોને તાવ, શરીર દુઃખવું જેવી તકલીફ રહી શકે છે. વેક્સીન લગાવ્યા બાદ આ તકલીફો ટાળવા માટે તમારે ડાયટમાં પણ ફેરફાર લાવવાની જરૂર રહે છે તો જાણો તમારે શું ખાવું અને શું નહીં.
હેલ્થને સારી રાખવા માટે ડાયટનો ખાસ રોલ હોય છે. એવામાં જ્યારે સંક્રમણનો પ્રભાવ ઘટે છે તો વેક્સીન લગાવો અને કેટલીક ચીજોનું ધ્યાન રાખો.
લીલા શાક
તમે તમારા ડાયટમાં પાલક, કેળ, બ્રોકોલી જેવા શાક ખાવા જોઈએ. તેમાં એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે. જે શરીરમાં થતા સોજાને દૂર કરે છે.
સ્ટ્રૂ અને સૂપ
પોતાના શરીરની ઇમ્યુન પાવરને વધારવા માટે આ ખાસ આહાર લેવો જરૂરી છે. તેના માટે તમે સ્ટ્રૂ અને સૂપનું સેવન કરો તે જરૂરી છે.
ડુંગળી અને લસણ
ડુંગળી અને લસણ પ્રોબાયોટિક્સથી ભરપૂર રહે છે. તે તમારા આંતરડામાં પ્રોબાયોટિક્સને માટે જરૂરી છે. ડુંગળી અને ફાઈબર અને પ્રોબાયોટિક્સનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. તે આંતરડા માટે પણ જરૂરી છે.
હળદર
હળદર સોજા સામે લડવામાં મદદ કરે છે અને સાથે જ મસ્તિષ્કને પણ ચિંતાથી દૂર રાખે છે. અનેક શોધમાં કહેવાયું છે કે હળદરમાં મળનારું રસાયણ કરક્યૂમિન અવસાદને ઘટાડવાનું કામ કરે છે.
બ્લૂ બેરી
આ એન્ટી ઇન્ફ્લેમેટરી ખાદ્ય પદાર્થમાંનું એક છે. તે શરીરમાં સેરોટોનિનનું સ્તર વધારે છે. સાથે બ્લૂ બેરીમાં એન્ટી ઓક્સીડન્ટ વધારે પ્રમાણમાં હોય છે જે અનેક બીમારીથી બચાવે છે. તેમની રોકથામ જરૂરી છે. દહીંની સાથે બ્લૂ બેરીનું સેવન કરવાનું કહેવાયું છે.