મિત્રો, કોરોના વાયરસ બીમારી ની સમસ્યાથી માત્ર લોકોના સ્વાસ્થ્યને અસર થઈ નથી પરંતુ, લોકડાઉન થયુ ત્યારે તેની અસર લોકોના ધંધા અને રોજગાર પર પણ પડી છે. આ વાયરસના ભયંકર સ્તરને ધ્યાનમાં રાખીને, માર્ચથી જુલાઈ-ઓગષ્ટ મહિનાના તાળાબંધીથી અનેક નોકરીઓ ખોવાઈ ગઈ છે અને બેરોજગારીએ લોકોની આર્થિક સ્થિતિને સંપૂર્ણપણે હચમચાવી નાખી છે. જો તમારી નોકરી પણ આ લોકડાઉન નો શિકારબની ગઈ છે અને અનેકવિધ પ્રયાસો છતાપણ તમને નવી નોકરી નથી મળી રહી તો પછી તમે કેટલાક જ્યોતિષીય ઉપાય અપનાવી શકો છો જેથી, જલ્દી જ તમને નવી નોકરી મળશે પણ તમે વ્યાવસાયિક જીવનમાં પણ પ્રગતિ મેળવશો.
સોમવાર ના દિવસે અજમાવો આ વિશેષ યુક્તિ :
જો તમે ઇચ્છતા હોવ કે તમારી નોકરી ની શોધ ટૂંક સમયમા જ સમાપ્ત થાય તો તમે સોમવાર ના રોજ સવારે સફેદ કપડામા ચોખા બાંધીને કાલીમાતાને અર્પણ કરો. તમારે કમ સે કમ સાત સોમવાર સુધી આ ઉપાય અજમાવવો જેથી, તમને ટૂંક સમયમા જ તમારી ઈચ્છા મુજબ ની નોંકરી મળી જશે.
મહાદેવ ને કરો પ્રસન્ન :
જો દર સોમવારે પ્રભુ મહાદેવ નો જલાભિષેક કરવામાં આવે તો માત્ર નોકરી જ નહીં પરંતુ, જીવન સાથે જોડાયેલી બીજી અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
પભુ શ્રી બજરંગબલી ખોલી આપશે તમારા માટે સફળતા ના દ્વાર :
મિત્રો, પ્રવર્તમાન સમયમા જો કોઈ હાજરાહજૂર દેવતા હોય તો તે પ્રભુ શ્રી બજરંગબલી છે. ફક્ત તેમનુ નામ લેતા જ મુશ્કેલીઓનો અંત થઇ જશે તથા નોકરી સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ નો અંત થશે. આ ઉપરાંત જો તમે ઘરે મંદિરમા પ્રભુ શ્રી બજરંગબલી ઉડતા હોય તેવી એક છબ્બી રાખો અને તેમની નિયમિત પૂજા કરો તો તમને અવશ્ય લાભ થશે.
ઇન્ટરવ્યૂ પર જતા પહેલા અજમાવો આ સરળ નુસખો :
ઘણીવાર એવુ બનતુ હોય છે કે, તમે ઇન્ટરવ્યુ ખુબ જ સરસ આપો છો અને તમને ખાતરી પણ હોય કે, તમને નોકરી પણ મળી જશે પરંતુ, નોકરી કોઈ બીજાને મળી જાય છે. જો તમારી સાથે વારંવાર આવી ઘટના ઘટતી હોય છે , તો ઇન્ટરવ્યૂ પર જતા પહેલા આ અમુક યુક્તિઓ અજમાવી જુઓ. જ્યારે પણ તમે ઇન્ટરવ્યુ માટે જાવ છો, ત્યારે પહેલા જમણો પગ ઘરની બહાર કાઢો. આ કરવાથી તમને ઇન્ટરવ્યૂમા ચોક્કસ સફળતા મળશે.
દરરોજ કરો કુળદેવતા ને નમન :
નિયમિત સવારે સ્નાન કર્યા પછી તમારી કુળદેવી અથવા કુળદેવતા નુ પૂજન કરો. ત્યારબાદ ઘી નો દીવડો પ્રગટાવો અને તેને યાદ કરો. ટૂંક સમયમા જ તમને તેનો લાભ મળશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,