ભૂલથી પણ ના કરો આ 5 વસ્તુઓનું દાન, નહિં તો થશે ભયંકર નુકસાન અને…
મિત્રો, બધા જ ધર્મોમા દાનનુ એક વિશેષ મહત્વ હોય છે. દાન કરવાથી વ્યક્તિનુ મન એકદમ શાંત થઇ જાય છે અને એવુ પણ માનવામા આવે છે કે, દાન કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે. પૂજા-પાઠના કાર્ય સાથે દાન કરવાથી પણ તમને લાભ મળે છે. જો તમે દાન-પુણ્યનુ કાર્ય કરો છો તો તમને ગ્રહદોષમાથી પણ મુક્તિ મળે છે.
આ ધાર્મિક કાર્યનુ મહત્વ શાસ્ત્રોમા વિશેષ મહત્વ પણ જણાવવામા આવ્યુ છે પરંતુ, તમે ભાગ્યે જ જાણતા હશો કે, અમુક ચીજવસ્તુઓનુ દાન આપવુ એ આપણા માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે કઈ વસ્તુઓનુ દાન ના કરવુ જોઈએ.
ફાટેલા પુસ્તકોનુ દાન કરવુ :
વિદ્યાનુ દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે. જો તમે કોઈને પુસ્તકો, નકલ અને પૌરાણિક ગ્રંથોનું દાન કરી રહ્યા છો, તો નોંધી લો કે તે ક્યાંયથી તૂટેલું ના હોય. જો તમે કોઈને પુસ્તક દાનમા આપી રહ્યા છો, તો તેને સારી રીતે કવર કરીને ત્યારબાદ જ તેનુ દાન કરો.
સાવરણીનુ દાન કરવુ :
આ વસ્તુનુ દાન કરવાથી ઘરમા આર્થિક મુશ્કેલી અને પૈસાની સમસ્યા પણ થઈ શકે છે. આ વસ્તુનુ દાન કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઇ જાય છે. માટે તમારે ભૂલથી પણ ક્યારેય આ વસ્તુનુ દાન ના કરવુ જોઈએ.
તેલનુ દાન કરવુ :
શનિવારના રોજ ઓઈલનુ દાન કરવુ એ આપણા માટે અત્યંત શુભ માનવામા આવે છે પરંતુ, અમુક લોકો વપરાયેલા અથવા તો ખરાબ તેલનુ પણ દાન કરે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારના રોજ આ ખરાબ ઓઈલનો ઉપયોગ કરવાથી કે તેનુ દાન કરવાથી પણ પ્રભુ શનિ ક્રોધિત થઇ જાય છે અને તેના કારણે તમારા ઘરમા લડાઈ-ઝઘડાનુ પ્રમાણ પણ વધે છે.
જૂના કપડાઓનુ દાન કરવુ :
આ સિવાય જ્યોતિષશાસ્ત્ર મુજબ જૂના કપડાનુ દાન કરવુ એ તમારા માટે ખુબ જ હાનિકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત પહેરેલા કપડાનુ દાન કરવુ ખુબ જ અપશુકનિયાળ માનવામા આવે છે. આ ઉપરાંત એવુ પણ માનવામા આવે છે કે, લક્ષ્મી માતાજી ક્રોધિત થાય છે. તેથી હંમેશા તમારે નવા વસ્ત્રોનુ દાન કરવા માટેનો આગ્રહ રાખવો જોઈએ.
લોખંડની વસ્તુઓનુ દાન ના કરો :
આ સિવાય લોખંડ અને અણીદાર વસ્તુઓનુ દાન પણ ક્યારેય ના કરવુ જોઈએ અને તે સિવાય તમારે સ્ટીલના વાસણો દાન કરવાનુ પણ ટાળવુ જોઈએ. જો તમે આ વસ્તુઓનુ દાન કરો છો તો તમારે આર્થીક સમસ્યાઓથી પીડાવુ પડી શકે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,