તારક મહેતા શો વિશે જેઠાલાલનું નિવેદન આખા ગામમાં ચર્ચામાં, કહ્યું-હવે શો લગભગ ફેક્ટરી થઈ ગયો છે

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ છેલ્લાં 12 વર્ષથી ટીવી પર આવી રહી છે. આ સિરિયલે હાલમાં જ 3000 એપિસોડ પૂરા કર્યા હતા. ત્યારે તેમાંથી ઘણા કલાકારોપ પણ બદલાયા છે. રોશન સિંહ સોઢી બનતા ગુરુચરણ સિંહે આ શો છોડી દીધો હતો.

image source

હવે તેના સ્થાને ‘દિલ તો પાગલ હૈં’ ફૅમ એક્ટર બલવિંદર સિંહને સિરિયલમાં લેવામાં આવ્યો છે. અંજલિભાભીના પાત્રમાં નેહા મહેતા જોવા મળતી હતી. નેહા મહેતાએ પણ લૉકડાઉન બાદ ફરીવાર શૂટિંગ શરૂ થયું તો તેણે શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. નેહા મહેતાના સ્થાને ટીવી એક્ટ્રેસ સુનૈના ફોજદારને લેવામાં આવી છે.

image source

જો કે, શરૂઆતથી જ આ સિરિયલ સાથે જોડાયેલા તથા જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીને લાગે છે કે સમયને કારણે સિરિયલના રાઈટિંગ પર અસર થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે કેટલાંક એપિસોડ રમૂજની દૃષ્ટિએ એટલા સારા બન્યા નહોતા. દિલીપ જોષીએ સ્ટેન્ડ અપ કોમેડિયન સૌરભ પંતના સ્પેશિયલ પોડકાસ્ટમાં વાત કરી હતી અને કહ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રાઈટર્સ ડેઈલી એપિસોડને કારણે દબાણ હેઠળ હોય છે. આ જ કારણે રાઈટિંગની ક્વોલિટી પર અસર પડે છે. તેનું કહેવું છે કે ‘જ્યારે તમે ક્વોન્ટિટી જુઓ છો તો ક્યાંકને ક્યાંક ક્વૉલિટી પર અસર થતી હોય છે.

image source

આગળ વાત કરતાં જેઠાલાલે કહ્યું કે, પહેલા વીકલી અમે આ શો કરતા હતા અને રાઈટર્સ પાસે બહુ જ સમય રહેતો હતો. તેઓ ચાર એપિસોડ લખતા અને બીજા ચાર એપિસોડ આવતા મહિને શૂટ કરવાના રહેતા.

image source

હવે તો ફેક્ટરી જેવું બની ગયું છે. રોજ રાઈટર્સે નવા નવા સબ્જેક્ટ શોધવા પડે છે. અંતે તેઓ પણ માણસ છે. હું એ વાત સાથે સમંત છું કે જ્યારે તમે આટલા લાંબા સમયથી ડેઈલી શો કરતા હો ત્યારે બધા એપિસોડ્સ તે સ્તરના ના બની શકે.

image source

દિલીપ જોશીએ કહ્યું કે, મને પણ લાગે છે કે કેટલાંક એપિસોડ રમૂજના દૃષ્ટિકોણથી તે સ્તરના બન્યા નહોતા. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ટીવી રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના સેટ પર ‘તારક મહેતા’ની આખી ટીમ જોવા મળી હતી. અસિત મોદીએ શોની સ્પર્ધક રુજુતામાં નવા દયાભાભી મળી ગયા હોવાની વાત કરી હતી.

આ શોમાં દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી આ શોમાં જોવા મળતી નથી. સિરિયલમાં હજી સુધી દિશા વાકાણીના સ્થાને નવી અભિનેત્રી લેવામાં આવી નથી.

image source

અવાર-નવાર એવી ચર્ચા થતી રહી છે કે દિશા વાકાણી શોમાં પરત ફરશે પરંતુ હજી સુધી દિશા વાકાણી આવી નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે નવા દયાભાભી આવે છે અને શોમાં જોવા જેવો ખેલ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત