દર્શકોને લાગશે વધુ એક ઝટકો? શુ હવે તારક મહેતામાં દયાભાભીની જેમ અંજલી ભાભી પણ લેશે વિદાય?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરિયલમાં દયાભાભી પછી હવે અંજલીભાભી પણ જોવા નહીં મળે? દર્શકોને લાગશે વધુ એક ઝટકો? શુ હવે તારક મહેતામાં દયાભાભીની જેમ અંજલી ભાભી પણ લેશે વિદાય??? એક પછી એક કલાકારોની વિદાયથી શુ તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલની લોકપ્રિયતા જળવાઈ રહેશે? જાણો કોઈ લઈ રહ્યું છે વિદાય.

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલે લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે અને હાલ 28 જુલાઈએ જ આ સીરિયલે 12 વર્ષ પૂરા કર્યા હતા. સીરિયલના એક એક પાત્ર તેના દર્શકોના હૈયે વસી ગયા છે. પણ થોડા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે આ સિરિયલમાં અંજલીભાભીનો રોલ પ્લે કરતી નેહા મહેતાએ આ શો છોડી દીધો છે.

image source

નેહા છેલ્લાં 12 વર્ષથી તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ સાથે જોડાયેલી છે. તમને જાણ જ હશે કે દિશા વાકાણી એટલે કે દયાભાભી પણ અઢી વર્ષથી શોમાં જોવા મળી નથી.

અંજલીભાભી એ નવા એપિસોડનું શૂટિંગ કર્યું નથી

image source

મળેલી માહિતી અનુસાર અંજલીભાભી એટલે કે નેહાએ નવા એપિસોડનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને પોતે આ શોમાં હવે કામ નહીં કરે તે વાત જણાવી દીધી હતી. લૉકડાઉન પછી જ્યારે ફરીથી આ સિરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારથી નેહા મહેતા સેટ પર પરત ફરી નથી.

image source

નેહા આ સિરિયલમાં તારક મહેતા (શૈલેષ લોઢા)ની પત્ની અંજલી મહેતાનું પાત્ર ભજવતી હતી. આ સિરિયલમાં અંજલી મહેતાનું પાત્ર ડાયટ અંગે ખૂબ જ સજાગ હોવાનું બતાવવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ આ સિરિયલનું શૂટિંગ 10 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું.અને નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.

સેટ પર ઉજવાયા સીરિયલના સફળ 12 વર્ષ

image source

હાલ 28 જુલાઈના દિવસે જ આ સિરિયલને 12 વર્ષ પૂરા થયા હતા અને એની ઉજવણીના ભાગ રૂપે સેટ પર કેક કટિંગ સેરેમની રાખવામાં આવી હતી.

ગુરુચરણ સિંહે પણ શો છોડ્યાની વાતો થઈ હતી

થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે ગુરુચરણ સિંહ એટલે કે રોશન સિંહ સોઢી શો છોડવાનો છે. જોકે, પ્રોડ્યૂસર અસિત મોદીએ આ વાતને માત્ર અફવા ગણાવી હતી.

image source

દયાભાભી લાંબા સમયથી છે આ સિરિયલથી દૂર.

તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં પોતાની પ્રેગ્નનસીના કારણે બ્રેક પર ગઈ હતી. જોકે, તે સમયે કહેવામાં આવતું હતું કે દિશા પાંચ મહિના બાદ શોમાં પરત ફરશે. પણ હજી સુધી દિશા વાકાણી શોમાં આવી નથી.

આ વિશે શું કહ્યું આસિત મોદીએ?

image source

હાલમાં જ એક વાતચીત દરમીયાન અસિત મોદીએ કહ્યું હતું, ‘દયાબેનના પાત્રને લઈ હાલમાં કોઈ ચર્ચા થતી નથી. સાચું કહું તો આ પાત્ર વગર પણ શો અઢી વર્ષ સારો ચાલ્યો છે. દયાભાભી વગર પણ શોની લોકપ્રિયતામાં સહેજ પણ ફેર પડ્યો નથી. દર્શકો મને તથા મારી ટીમને સમજ્યા છે.

image source

તેમને આગળ જણાવ્યું હતું કે દર્શક સમજે છે કે અમે દિશા વાકાણીને પરત લાવવા માટે બનતા પ્રયાસો કરી રહ્યા છીએ. પણ, તે નહીં આવે તો શો બંધ થઈ જશે એવું નથી. દર્શકોએ દયાભાભી વગર પણ શોને પ્રેમ આપ્યો છે. સાચું કહું તો દિશા શોમાં આવે કે ના આવે હવે તે ચર્ચાનો વિષય જ નથી. તે પરત આવે છે તો સારી વાત છે અને નથી આવતી તો show must go on.

image source

આસિત મોદીએ તેમ પણ કહ્યું કે અમે બીજી દયાભાભી લાવીને અમારું કામ ચાલુ રાખીશું. લૉકડાઉન પીરિયડમાં તેમની સાથે વાત થઈ હતી અને દરેકની પોત-પોતાની સમસ્યા હોય છે. કોઈની પર દબાણ લાવીને કામ કરાવી શકાય નહીં. જોઈએ હવે આગામી દિવસોમાં શું થાય છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત