છેલ્લા 12 વર્ષથી લોકોને ખડખડાટ હસાવતો તારક મહેતા શોએ 24 સપ્ટેમ્બરે 3000 એપિસોડ પૂરા કરીને એક નવો રેકોર્ડ કર્યો છે. યે રિસ્તા ક્યા કહેલાતા હે પછી બીજા નંબરે તારક મહેતા શો છે. તારક મહેતાની આ નવી સિદ્ધિનું ટીમે સેટ પર એક સેલિબ્રેશન પણ રાખ્યું હતું.
ત્યારે એક વાત બધા જાણે છે કે‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લીડ એક્ટ્રેસ દિશા વાકાણીની અછત ઘણા સમયથી વર્તાઈ રહી છે. ત્રણ વર્ષ પહેલાં શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી અને એ પછી તે પરત આવી શકી નહિ. ગયા વર્ષે નવરાત્રીમાં એક્ટ્રેસ કમબેક કરવાની હતી અને તે માટે એક પ્રોમો પણ શૂટ કર્યો હતો, પણ મેકર્સ સાથે કોઈ વાત આગળ ના વધી.
આ બધાની વચ્ચે હવે મેકર્સે તેને પરત બોલાવવાની બધી તૈયારીઓ કરી લીધી છે. શો અને દયા ભાભીના ફેન્સ માટે ખુશખબરી છે. દયા બેન આ વર્ષે નવરાત્રીમાં કમબેક કરી શકે એવા પુરા એંધાણ છે. છેલ્લા ઘણા દિવસથી દયા બેનના કમબેકના સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વિશે એક સૂત્રએ પિંકવિલા સાથે વાતચીતમાં કહ્યું કે, દિશા વાકાણી સાથે કમબેકને લઈને મારી વાત થઇ રહી છે. જો કે, પરિવારની ડિમાન્ડ છેલ્લા ઘણા સમયથી રસ્તા પરનો કાંટો બની ગઈ છે.
સમાચાર આવ્યા છે કે હવે મેકર્સે દયા બેનને પરત લાવવાની બધી તૈયારી કરી લીધી છે. મેકર્સ પ્રમાણે, દયા બેનના કમબેક માટે નવરાત્રીથી સારો બીજો કોઈ તહેવાર ના હોઈ શકે. જો નવરાત્રી પહેલાં તેઓ નહિ આવે તો દિવાળી પહેલાં પણ શોમાં કમબેક કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, દિશાએ ત્રણ વર્ષ પહેલાં પ્રેગનન્સીને લીધે શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી. એક વર્ષ પછી જ્યારે એક્ટ્રેસ માતા બની તો તેમણે મેકર્સ પાસે બાળકીની દેખભાળ કરવા માટે સમય માગ્યો હતો. દીકરી મોટી થઇ તો દિશાની ડિમાન્ડ હતી કે તે શોમાં અમુક સ્પેશિયલ સીનમાં જ દેખાશે પરંતુ મેકર્સ તેને ફુલ ટાઈમ રાખવા માગતા હતા.
આ સાથે જ ગયા વર્ષે મેકર્સ આ વાત સાથે સહમત પણ થઇ ગયા હતા અને દિશાનો એક પ્રોમો પણ શૂટ કર્યો હતો પણ પછી તેના પરિવાર તરફથી કોઈ બીજી ડિમાન્ડ આવી અને વાત આગળ ના વધી. આની પહેલા દિશાના રોલ માટે નવી એક્ટ્રેસની શોધ પણ ચાલુ હતી પણ દિશાના કમબેકના સમાચારથી નિર્ણય બદલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જો આ વખતે પણ દિશા કમબેક નહિ કરે તો તેને બદલે શોમાં કોઈ બીજી દયાબેન દેખાઈ શકે છે.
જ્યારે આ વખતે તારક મહેતા શોમાં 3000 એપિસોડ પૂરા થયા અને સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું ત્યારે પણ ફેન્સ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે દયા બેનને પરત બોલાવો. એના વગર શોમાં મજા નથી આવતી. ત્યારે મેકર્સે ફેનનું સાંભળી લીધું હોય એવું લાગી રહ્યું છે. જો કે એ તો સમય જ બતાવશે કે દયાભાભી પરત આવશે કે કેમ, અને આવશે તો ક્યારે આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત