Site icon News Gujarat

આ પદ્મશ્રી મહિલા એક સમયે માંગતી હતી ભીખ, જે આજે લાખો મહિલાઓના ભરી રહી છે પેટ, આ મહિલાની કહાની સાંભળી અમિતાભ પણ થયા ભાવૂક

દ્રઢ આત્મવિશ્વાસથી લોકો શું કરી શકે તેનું ઉદાહરણ છે પદ્મશ્રી ફૂલ બાસન દેવી. એક સમયે ભીખ માગી પેટ ભરનાર આજે લાખો લોકોનું પેટ ભરી રહી છે. કોન બનેગા કરોડપતિના શુક્રવારે આવનારા કર્મવીર એપિસોડ બધાને પ્રેરિત કરે છે. સમાજ માટે કંઈક સારું કરવાની શીખ આપે છે. આ એક એપિસોડમાં દેશ એવા મહાન લોકોને મળે છે જેણે ના ફક્ત સમાજ સેવા કરી છે પરંતુ કેટલાય લોકોની જિંદગીને હંમેશા માટે બદલી નાંખી છે. આ શુક્રવારે કર્મવીર એપિસોડમાં પદ્મશ્રી ફૂલ બાસન દેવી આવ્યા હતા. છત્તીસગઢમાં પોતાના કામથી લાખો મહિલાઓને આત્મનિર્ભર બનાવનારી ફૂલ બાસન યાદવે અમિતાભ બચ્ચનને પોતાના સંઘર્ષ બાબતે જણાવ્યું. ચેનલ દ્વારા આ એપિસોડના કેટલાય પ્રોમો રજૂ કરાયા હતા. આ એપિસોડમાં ફૂલ બાસન સાથે એક્ટ્રેસ રેણુકા શહાણે પણ જોવા મળી.

મારે પણ સમાજ માટે કંઈક કરવું છે

image source

પોતાના સંઘર્ષ વિશે વાત કરતા ફૂલ બાસને કહ્યું કે, શરૂઆતના દિવસોમાં, તેણે બધી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે દરેકને બે રૂપિયા જમા કરીને શરૂઆત કરી હતી. બાદમાં તેને બેંક તરફથી નાની લોન અપાવી અને તેને 11 મહિનામાં ચુકવણી કરવાની ટેવ પણ પડાવી. ફૂલ બાસનનું માનવું છે કે જે મહિલાઓ પોતે નોકર તરીકે કામ કરતી હતી તે હવે એક રીતે માલિક બની છે. ક્યારેક ભીખ માંગીને જીવન જીવનારી ફૂલ બાસન યાદવે આજે 200 ગામની બે લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવી ચૂકી છે. તેના સન્માનમાં રેણુકા શહાણેએ કહ્યું કે તમે પણ મને પ્રેરણા આપી છે. મારે પણ સમાજ માટે કંઈક કરવું છે.

લાખો મહિલાઓની જિંદગી બદલી

ફૂલ બાસનની જિંદગી સંઘર્ષ પૂર્ણ રહી છે. ફૂલ બાસન યાદવની વાત કરવામાં આવે તો તેના લગ્ન નાનપણમાં કરી દેવામાં આવ્યા હતા. તેને ઘણાં સમય સુધી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમણે આ મુશ્કેલીઓથી હાર ન માની, પરંતુ પોતાના ગામની જ તમામ મહિલાઓને એકઠી કરીને એક નવી મુહિમની શરૂઆત કરી. છત્તીસગઢમાં બલમેશ્વરી જનહિતકારી સમિતિનું ગઠન કરીને ફૂલ બાસને લાખો મહિલાઓની જિંદગી હંમેશા માટે બદલી નાંખી.

image source

પરંતુ સમય જતાં, ફૂલ બાસન યાદવની આ ઝુંબેશ ભારત સરકારના ધ્યાનમાં આવી. તેની ઓળખ મહિલા સશક્તિકરણ સાથે જોડી દેવામાં આવી. તેમણે માત્ર સમાજ માટે દાખલો જ બેસાડ્યો એટલું જ નહીં, પરંતુ ઘણી સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પદ્મશ્રી સહિત ઘણા એવોર્ડ આપવામાં આવ્યા છે.

વિધવા મહિલાઓ માટે આશ્રમ બનાવવાનું સપનું

image source

ફૂલ બાસન યાદવે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે કેબીસીમાં જીતેલા પૈસાથી ગરીબ બાળકોને ભણાવશે. તેણીનું આશ્રમ બનાવવાનું સપનું પણ છે જ્યાં વિધવા મહિલાઓ રાખી શકાય છે, જ્યાં તેમને સશક્તિકરણ માટે કાર્ય કરી શકાય છે.
ફૂલ બાસન યાદવની સંસ્થામાં જેટલી પણ મહિલાઓ કામ કરે છે તે મોટે ભાગે ગુલાબી રંગની સાડી પહેરે છે.

image source

આનું કારણ સમજાવતાં તે કહે છે જેમ કાંટાઓ વચ્ચે ગુલાબ વધે છે, તેવી જ રીતે આ મહિલાઓનો વિકાસ થયો છે. બીજી બાજુ ગુલાબની પાંખડીઓ આ મહિલાઓ જેવી જ છે જેઓ તેમના કાર્યથી આખા સમાજને સુગંધ પ્રસરાવવાનું કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version