આ રહ્યો ઉપાય, જો કોઈ ઉછીના લઇ ગયેલા પૈસા પાછા ના આપતુ હોય તો..

આ રહ્યો ઉપાય, જો કોઈ ઉછીના લઇ ગયેલા પૈસા પાછા નથી આપતું

image source

પૈસા, ધન અને સંપત્તિ… જીવનની એવી જરૂરિયાતો છે જેના વગર આપણું જીવન ખરેખર અટકી જાય છે. ભલે ને કોઈ એમ કહેતું હોય કે ખાલી પૈસાથી જ જીવી નથી શકાતું. પણ, સત્ય એ પણ છે કે પૈસા વગર પણ જીવી તો નથી જ શકાતું. જીવન જીવવા માટે ધનની જરૂર દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે તો પડે જ છે. આપણી આસપાસ રહેલા દરેક વ્યક્તિ ધન કમાવા માટે જ તો રાતદિવસની આ દોડધામ કરે છે.

ઘણા લોકોને મહેનત કરતા હોવા છતાં પોતે કરેલી અથાગ મહેનતનું ફળ નથી મળતું. આ કારણો સર એમના જીવનમાં પણ પૈસાની કમી રહે છે. તેઓ પોતાનું જીવન અન્ય લોકોની જેમ ખુશીથી જીવી શકતા નથી. કદાચ આ જ એ કારણ છે જેથી એમને લોકો પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે.

image source

જો તમારા જીવનમાં પણ સતત ધનની કમી રહેતી હોય અથવા તો કોઈ નાણા ઉધાર લઈ જાય પછી પરત આપવાનું નામ પણ ન લેતું હોય તો નીચે મુજબના ઉપાય કરીને જીવનમાં ધન પ્રાપ્ત કરી શકાય છે.

– એક લાલ પોટલી બનાવીને તેમાં થોડા ઘઉં અને કેસરના તાંતણા ઉમેરી મંદિરમાં મૂકી દો. બીજા દિવસે જ્યારે લોટ દળાવો ત્યારે આ પોટલીની સામગ્રી અને તેમાં 11 તુલસીના પાન ઉમેરી લેવા. ત્યારબાદ આ લોટને ઘરમાં ઉપયોગમાં લેવાથી ઘરમાં બરકત રહે છે. ખાસ ધ્યાન રાખવું કે આ લોટ શનિવારે દળાવવો જોઈએ.

image source

– પોતાનું મકાન બનાવવા ઈચ્છતા વ્યક્તિએ દર શુક્રવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ અને રવિવારે ગાયને ગોળ પણ ખવડાવવો જોઈએ. આમ નિયમિત કરવાથી ઘરની સંપત્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત જાતકે સવારે સ્નાન કર્યા પછી ‘ઓમ પદ્માવતી, પદ્મ કુશી, વજ્રવજ્રાંપુશી પ્રતિબ ભવંતિ ભવંતિ’ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.

– કોઈ પણ સંબંધીને જો તમે ધન આપેલું હોય અને એ ધન હવે પાછું ન મળતું હોય, તો 21 સફેદ કોડીને પીસીને તેનું ચૂરણ બનાવીને તેના દરવાજા બહાર વેખરી દેવું જોઈએ. આ ઉપાય 43 દિવસ સુધી કરતા રહેવાથી ધન પરત મળી જશે.

image source

– શનિવારના દિવસે પીપળાના ઝાડનું એક પત્તું તોડી એની ધૂપ દીપ સાથે પૂજા કરીને તમે જે સ્થાન પર બેસતા હોય ત્યાં નીચે રાખી દેવું. આ ઉપાય સાત શનિવાર સુધી કરતા રહેવાથી તમારી બઢતી થશે અને લાભ મળશે. જ્યારે સાત પત્તા એકત્ર થઈ જાય ત્યારે તેને નદીમાં વહાવી દેવા જોઈએ.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત