Site icon News Gujarat

અંડર આર્મ્સની કાળાશ દૂરીને ગરમીમાં રહો કૂલ અને મેળવો ગ્લેમરસ લૂક…

ગરમીની સીઝન શરૂ થઈ ચૂકી છે. ગરમીમાં મહિલાઓ સ્લીવલેસ ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ અનેક મહિલાઓ આ સ્લીવલેસ ડ્રેસ પહેરી શકતી નથી. સ્લીવલેસ કપડાં ન પહેરવાનું સૌથી મોટું કારણ છે તેમના કાળા પડી ગયેલા અંડર આર્મ્સ. કાળા અંડર આર્મ્સ હોવાના કારણે મહિલાઓ સ્લીવલેસ કપડા પહેરી શકતી નથી.

image source

ક્રીમ અને શેવિંગને કારણે અંડર આર્મ્સ કાળા થઈ જાય છે. જો તમે પણ આ પ્રકારના કાળા થઈ ગયેલા અંડર આર્મ્સથી પરેશાનછો તો તમે પણ આજે અમે જે ઉપાયો આપી રહ્યા છીએ તેને ટ્રાય કરી શકો છો. તો જાણી લો કઈ ઘરેલૂ વસ્તુઓ તમારા કાળા અંડર આર્મ્સને સુંદર બનાવી દેશે.

બટાકા

image source

બટાકામાં વિટામીન એ, બી અને સી મળે છે જે સ્કીનને નેચરલ બ્લીચ કરવામાં મદદ કરે છે. તમે બટાકાના રસને અંડર આર્મ્સ પર લગાવી લો. 20 મિનિટ સુધી રાખ્યા બાદ તેને સાદા પાણીથી ધોઈ લો.

લીંબુ

image source

બટાકાની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. આ પણ એક નેચરલ બ્લીચંગ એજન્ટ હોય છે જે અંડર આર્મ્સના કાળા ભાગને દૂર કરવામાં મદદ કરે છે અને સાથે જ તમારી સ્કીનને પણ હાઈડ્રેટ રાખે છે. અંડર આર્મ્સ પર લીંબુ લગાવવાની રીત પણ અલગ છે જે તમારે જાણી લેવી જોઈએ. સૌ પહેલા લીંબુની સ્લાઈસને લઈને કાળા થયેલા અંડર આર્મ્સ પર ઘસો અને પછી કોટનને લીંબુના રસમાં ડુબાડીને તેને સ્કીન પર લગાવો. લીંબુના છોડા પર ખાંડ મિક્સ કરો અને અંડર આર્મ્સ પર સ્ક્રબ કરો. આમ કરવાથી પણ કાળાશ દૂર થશે.

ખીરા

image source

ડાર્ક અંડર આર્મ્સથી છૂટકારો મેળવવા તમે ખીરાનો ઉપયોગ કરી શકો છો. તેની પાતળી સ્લાઈસને કાપો અને તેને અંડર આર્મ્સ પર લગાવો. તેનાથી પણ કાળાશ દૂર થશે.

બેકિંગ સોડા

image source

અંડર આર્મ્સની કાળાશને દૂર કરવામાં બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. તે સોડાના ઉપયોગથી પરસેલાની સ્મેલ પણ દૂર કરી શકો છો. આ બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને થોડો સમય અંડર આર્મ્સ પર લગાવો. પછી તે સૂકાઈ જાય એટલે તેને સાદા પાણીથી ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version