સુશાંત સિંહ આત્મહત્યાના ત્રણ દિવસ પહેલાં જ ચૂકવી દીધો હતો હાઉસ સ્ટાફને પગાર, અને કહ્યું હતુ કે..

સુશાંત સિંહ મરતા-મરતા પણ પોતાના હાઉસ સ્ટાફનો વિચાર કરતો ગયો – આત્મહત્યાના ત્રણ દિવસ પહેલાં જ ચૂકવી દીધા પગાર

image source

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઈના ઘર ખાતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ આખીએ બોલીવૂડે ઇન્ડસ્ટ્રીમાં જાણે એક સન્નાટો છવાઈ ગયો છે. લોકો માનસિક સ્વાસ્થ્ય પર વાત કરતા થયા છે અને તેની સાથે સાથે એકબીજાને સુશાંતના મૃત્યુ માટે જવાબદાર ગણાવી રહ્યા છે. નેપોટિઝમને લઈને પણ લોકો ખુલીને વાત કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડે ફેન્સને આઘાતમાં મુકી દીધા છે. મુંબઈ પોલીસ આ મામલામાં તપાસ ચલાવી રહી છે.

image source

એક અહેવાલ પ્રમાણે પોતાની આત્મહત્યાના ત્રણ દીવસ પહેલાં જ ઘરમાં કામ કરતા સ્ટાફને તેણે પગાર ચૂકવી દીધો હતો. ટાઇમ્સ નાઉના એક અહેવાલ પ્રમાણે, પોલીસના એક સોર્સ દ્વારા જાણવા મળ્યું છે કે એક્ટરે સુસાઈડના ત્રણ દિવસ પહેલાં જ બધાની સંપૂર્ણ સેલેરી ચૂકવી દીધી હતી. સુશાંતે તે લોકોને એવું પણ કહ્યું હતું કે તેમણે પગાર રાખી લેવો જોઈએ કારણ કે આગળ તે તેમને નહીં આપી શકે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે એક વેબ સીરીઝને લઈને સુશાંત પોતાની એક્સ-મેનેજર દિશા સલિયનના કોન્ટેક્ટમાં હતા. પણ પોલીસને તે બાબતે કોઈ પણ પ્રકારના પુરાવા નથી મળી રહ્યા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત અને દિશાની વાત માર્ચમાં છેલ્લીવાર થઈ હતી. તે પણ વ્હોટ્સએપ દ્વારા.

image source

તમને જણાવી દઈ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ બોલીવૂડની કદરૂપી અને જેને કહો કે સાચી બાજુને છતી કરી દીધી છે. ઘણા મોટા ડીરેક્ટર્સ અને એક્ટર્સની પોલ ખુલી રહી છે. તેવામાં કેહવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે કરણ જોહર, સંજય લીલા ભણસાલી, દિનેશ વિજાન, એકતા કપૂર સહિતના લોકોથી ત્રસ્ત થઈને અને કામ ન મળવાના કારણે આવું પગલું ઉઠાવ્યું છે. આ બધાની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક્ટ્રેસ કંગના રનૌતે એક વિડિયો બનાવીને પોતાના સોશિયલ મિડિયા કાઉન્ટ પર શેર કર્યો હતો જેમાં તેણીએ બોલીવૂડમાં નેપોટિઝમને લઈને વાત કરી હતી.

image source

સમાચાર મળી રહ્યા છે કે સંજય લીલા ભણસાળીએ સુશાંતસિંહ રાજપૂતને ચાર ફિલ્મો ઓફર કરી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભણસાલી અને સુશાંત એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. ટાઇમ્સ ઓફઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે સોર્સે એવું પણ કહ્યું છે કે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો સુશાંતના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે સંજય અને સુશાંત વચ્ચે એક સારું બોન્ડીંગ હતું. બન્ને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા.

image source

પણ બન્ને સાથે ચારવાર કામ કવાના હતા. સંજયે સુશાંતને એક સાથે ચાર ફિલ્મો ઓફર કરી હતી. પણ ડેટ્સ મેચ નહીં થવાના કારણે વાત આગળ નહોતી વધી શકી. સંજય લીલા ભણસાળી પર ફિલ્મ પદ્માવતના શુટિંગ વખતે જ્યારે એટેક થયો હતો ત્યારે સુશાંતે તેમનો પક્ષ લીધો હતો. અને પોતાના નામ આગળથી રાજપૂત હટાવી લીધું હતું, જે તેમણે સંજયને સપોર્ટ કરવા માટે કર્યું હતું.

Source : livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત