Site icon News Gujarat

ઉત્તરાખંડમાં રસ્તા બન્યા તળાવ, ટ્રેક્ટરની લારી પર ગાડી રાખીને રસ્તો ઓળંગી રહ્યા છે લોકો

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ અને પૂરે તબાહી મચાવી છે. જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 52 લોકોના મોત થયા છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. રસ્તાઓ તળાવ બની ગયા છે અને બજારો ડૂબી ગયા છે. લોકો પાસે ખાદ્ય પદાર્થોની પણ અછત શરૂ કરી દીધી છે.

image soucre

કેટલાક લોકોએ કહ્યું કે, ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ અમે પાણીનું સ્તર વધતું જોયું. અમે દુકાનદારોને કહેવા ગયા હતા, પરંતુ અમે જ્યારે પહોંચ્યા ત્યાં સુધીમાં બજાર પાણીમાં ડૂબી ચૂક્યું હતુ. 50 વર્ષીય રાજુ કંડપાલે કહ્યું, ‘મારો જન્મ અને ઉછેર રામપુરમાં જ થયો હતો. મેં આજ સુધી આવું પૂર ક્યારેય જોયું નથી. મને આશા છે કે ત્રણ-ચાર દિવસમાં પાણી ઓછું થઈ જશે.

image socure

30 વર્ષની સવિતા માટે આ કોઈ ખરાહ સ્વપ્નથી ઓછું નથી. પાણી ભરાવાને કારણે અવરજવરનું કોઈ સાધન નથી. સવિતા ટ્રેક્ટર દ્વારા મુસાફરી કરી રહી છે અને તેના માટે એક વખત 100 રૂપિયા ચૂકવવાની ફરજ પડી છે. સવિતા કહે છે, ‘કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. પાણી ઘટતું ન હોવાથી ડૂબી જવાનો ભય છે. મારું ઘર બીજી બાજુ છે, તેથી મારી પાસે પૈસા ખર્ચીને ટ્રેક્ટર-ટ્રોલીમાં મુસાફરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

પાણી હવે ડુંગરાળ વિસ્તારોમાંથી નીચે આવી રહ્યું છે, પરંતુ મેદાનોમાં હજુ પણ પૂર છે. સંચાર પણ થઈ રહ્યો નથી. ક્યાંક જવા માટે, કાં તો તમારે પૂરના પાણીમાંથી પસાર થવું પડશે અથવા તમારે તમારી કાર ટ્રેક્ટર પર રાખીને રસ્તો પાર કરવો પડશે.

image socure

NDRF ની ટીમો પણ તૈનાત છે અને અત્યાર સુધીમાં 1,300 થી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાવામાં આવ્યા છે. એનડીઆરએફ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં એવું જોવા મળે છે કે હવે રસ્તાઓ પર માત્ર કાદવ અને કાટમાળ જ બચ્યો છે.

સરકારી આંકડાઓ અનુસાર, ટ્રેકર્સ સહિત ઘણા લોકો હજુ પણ ગુમ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત કાર્યો માટે પ્રત્યેક ડીએમને 10 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ સાથે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને 4-4 લાખના વળતરની જાહેરાત પણ કરવામાં આવી છે.

image socure

નોંધનિય છે કે, ઉત્તરાખંડ, કેરળ બાદ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ સતત થઈ રહેલા વરસાદે આફત નોતરી છે. સિક્કિમ અને પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને દાર્જિંલિંગમાં ભૂસ્ખલનના કારણે કેટલાક રોડ બંધ થઈ ગયા છે. તો બીજી તરફ બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગના પહાડી વિસ્તાર પર છેલ્લા 45 કલાકથી સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાક સ્થળો પર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે.

image socure

આ ઉપરાંત મહાનદીમાં એનએચ 55 પર ભૂસ્ખલન થયુ છે. સુકના સુધી રસ્તા જામ થઈ ગયા છે. કુરસ્યોંગમાં લેન્ડસ્લાઈડના કારણે ઘરને પણ નુકસાન પહોંચ્યુ છે. ઘટનાના કારણે ઘરે કોઈ હાજર નહોતુ. કુરસ્યોંગમાં ભૂસ્ખલન બાદ કેટલાક ઘર પર પડવાનુ જોખમ છે. એવામાં પરિવારની પાસેના હોલમાં સ્થળાંતરિત કરી દેવાયા છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના કારણે અહીંના ગ્રામીણ વિસ્તાર પણ શહેરોથી કપાઈ ગયા છે.

Exit mobile version