કાવ્યા પછી હવે વનરાજનો બદલાયો અંદાજ, અનુપમાને થયો અનુજ સાથે પ્રેમ
ટીવી સિરિયલ અનુપમાની વાર્તા દરરોજ ધમાકેદાર અને ખૂબ જ મજેદાર હોય છે. શૉની આ ખૂબી જોઈને દર્શકો ફિદા છે. આવનારા દિવસોમાં જ્યાં અનુપમાના જીવનમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે ત્યારે તેના પૂર્વ પતિ વનરાજ શાહ હવે તે ખુશીઓનો નાશ કરવા માટે તેની જૂની શૈલીમાં પાછા ફરવા જઈ રહ્યા છે.
તો હવે કાવ્યાને પાઠ ભણાવવા માટે અને અનુજ અને અનુપમાંની લાઈફમાં ફરી એકવાર વિલન બનીને પરત ફરી રહ્યા છે. બીજી તરફ વનરાજના આ નવા લૂકથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે સુધાંશુ પાંડે (વનરાજ) ફરી એકવાર આ શોમાં લાંબી ઈનિંગ રમવા માટે તૈયાર છે. એમના શોમાં બહાર થવાની ખબરો અફવા સાબિત થઈ ગઈ છે. આ વાતનો પુરાવો શોનો પ્રિકેપ વિડીયો છે.
શાહ હાઉસ પર કાવ્યાએ કર્યો કબજો
View this post on Instagram
અત્યાર સુધી તમે જોયું કે કાવ્યાએ શાહ હાઉસ પર કબજો જમાવ્યો છે અને તેના પતિ વનરાજ સહિત બાબુજી-બા, તોશુ-કિંજલ, સમર-નંદની અને પાખીને બહાર કાઢવાની ધમકી આપી છે. અનુપમા – અનુજ આ બધું થતા જુએ છે પણ કંઈ કરી શકતી નથી. જો કે, બાદમાં અનુપમા વનરાજને પરિવારના સભ્યોને તેના ઘરે લઈ જવા કહે છે.
બીજી બાજુ, કાવ્યા, તેના વનરાજની માફી માંગે છે અને કહે છે કે તેનો ઈરાદો તેને દુઃખી કરવાનો કે અપમાન કરવાનો નહોતો, તે માત્ર તેના અધિકારો મેળવવા અને શાહ પરિવારમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે આવું કરે છે. કાવ્યાની વાત સાંભળીને વનરાજ મનમાં શપથ લે છે કે તે તેને પહેલા વાળો વનરાજ શાહ બનીને બતાવશે. બીજી તરફ, બાબુજી અનુપમાને અનુજને તેના જીવનમાં આવવા દેવા કહેતા જોવા મળે છે કારણ કે ભગવાને તેને ફરીથી પસંદ કર્યો છે. બાબુજીની વાત સાંભળીને અનુપમા ચોંકી ગઈ છે.
હવે આવનારા શોમાં તમે જોશો કે બાબુજી, અનુપમાના કપાળ પર તિલક લગાવીને, અનુજનો હાથ પકડીને તેને ચાલવા માટે કહે છે. અનુપમા પણ અનુજ પ્રત્યેનો પ્રેમ ફિલ કરે છે અને તે બાપૂજીની વાત માનીને આ વખતે અનુજનો હાથ પકડી લેશે. જો કે વનરાજ હવે પહેલા કરતા વધુ ખતરનાક દેખાઈ રહ્યો છે, તે તેની તાજેતરની મુશ્કેલીઓને દૂર કરવા માટે જે કઈ પણ કરશે અને એક પછી એક હિસાબ પતાવટ કરવા પાછો પરત આવશે.