બે વર્ષથી અંકિતાના ઘરે ઘર-જમાઈ બનીને રહે છે વિક્કી જૈન, પોતે જણાવ્યું એ પાછળું અસલી કારણ

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અને બિઝનેસમેન વિકી જૈનના લગ્ન 14 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. ત્યારથી આ કપલ સતત ચર્ચામાં છે. અંકિતા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પતિ વિકી જૈન સાથે ઘણી તસવીરો શેર કરતી રહે છે. વિકી જૈન બિલાસપુરનો છે પણ તે મુંબઈમાં બિઝનેસ પણ કરે છે અને અંકિતાનું કામ પણ અહીં જ છે, તેથી કપલ મુંબઈમાં જ રહે છે, જો કે તે બંને હજુ પણ તેમના નવા ઘરમાં રહેવાની રાહ જોઈ રહ્યાં છે. તાજેતરમાં વિકી જૈને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે બે વર્ષથી અંકિતાના ઘરે રહે છે. ઈન્ટરવ્યુમાં કપલે પોતાના લગ્ન જીવન વિશે ઘણી વાતો જણાવી.

image source

E-Times ને આપેલા ઈન્ટરવ્યુમાં અંકિતા અને વિકી જૈને નવા ઘરમાં શિફ્ટ ન થઈ શકવા અને તેમના જીવન વિશે ઘણી વાતો કરી. આ દરમિયાન જ્યારે વિકી જૈનને પૂછવામાં આવ્યું કે તેમને તેમની પત્ની સાથે તેમની જગ્યા શેર કરવામાં કેવું લાગે છે ત્યારે તેમણે મજાકમાં કહ્યું કે આ પ્રશ્ન અંકિતાને પૂછવો જોઈએ કારણ કે તેઓ અત્યારે અંકિતાના ઘરે જમાઈ તરીકે રહે છે. હું જ્યારે પણ મુંબઈ આવું છું ત્યારે અંકિતાના ઘરે જ રહું છું. તેથી આ પ્રશ્ન તેમને પૂછવો જોઈએ કારણ કે બે વર્ષથી તેઓ તેમના ઘરે મારી સાથે તેમના કપડા શેર કરી રહી છે.

કપલ તરીકે નવી શરૂઆત થશે

image source

આ વિશે વાત કરતાં અંકિતાએ એમ પણ કહ્યું હતું કે ‘મારા માટે એક કપલ તરીકે મારી રિયલ લાઈફ છે, અમે બંને લગ્ન પહેલા પણ એક જ છત નીચે પતિ-પત્નીની જેમ રહેતા હતા. જ્યારે અમે અમારું નવું ઘર બનાવીએ છીએ, ત્યારે અમે દંપતી તરીકે નવી શરૂઆત કરીશું. વિકી જૈને કહ્યું કે ‘અમે બંનેએ સાથે મળીને નવો ફ્લેટ લીધો હતો પરંતુ હજુ પણ તેના રિનોવેશન અને રિપેર જેવી ઘણી બાબતો બાકી છે જે સમયસર પૂર્ણ થઈ શકી નથી. કોરોના વાયરસને કારણે કામમાં ઘણો વિલંબ થયો હતો, હજુ ઘણું કામ બાકી છે, તેથી અમે નવા મકાનમાં શિફ્ટ થઈ શક્યા નથી.

image source

અંકિતા સારી ગૃહિણી બનશે

આગળ વાત કરતાં અંકિતા લોખંડેએ કહ્યું, ‘હું એક સારી ગૃહિણી બનીશ અને હું બધું બરાબર સંભાળી શકીશ. વિકી સાથે મારું જીવન અને બધું શેર કરવામાં મને કોઈ વાંધો નથી.