BJPના ધારાસભ્ય મત વિસ્તારમાં લોકો વચ્ચે ગયા, લોકોએ ધમકી આપી-જો મત માંગવા આવશો તો લાડકી તૈયાર જ છે

કોરોનાની બીજી લહેરના કારણે હાલમાં આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. તો વળી હવે જન પ્રતિનિધિઓએ પોતપોતાના વિસ્તારોમાં પ્રવાસ શરૂ કર્યો છે. જો કે, તેઓ ઘણી જગ્યાએ ગુસ્સાનો સામનો પણ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડના ઝબરેડામાં સામે આવ્યો છે. ભાજપના ધારાસભ્ય દેશરાજ કર્ણવાલ જેવા જ પીએચસી પહોંચ્યા કે તરત જ ગામલોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમને ખરીખોટી સંભળાવવા લાગ્યાં હતા.

image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના ધારાસભ્ય દેશરાજ કર્ણવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગામ લોકો એકઠા થઈ ગયા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યને ગામમાં પ્રવેશ ન કરવા દેવાની વાત કરી હતી, તેઓએ ગામની અવગણના કર્યાના આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં ભાજપના ધારાસભ્ય દેશરાજ કર્ણવાલને એક ગ્રામજનો કહે છે, ‘ધારાસભ્ય જી તમને માત્ર પદનું સન્માન છે, જે તમને આજે છોડીને જતા રહ્યા છે, જો તમે ચૂંટણી સમયે મત માંગવા આવશો તો ગેલેરીમાં તમારા માટે લાકડી તૈયાર છે.’ ગામલોકોએ સીધા ભાજપના ધારાસભ્યને ધમકી આપી હતી અને તેઓને ગામ છોડવાનું કહ્યું હતું.

image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના ધારાસભ્ય દેશરાજ કર્ણવાલ લોકોને કારોના રોગચાળા વિશે જાગૃત કરવા માટે ક્ષેત્રમાં ફરતા હતા અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, લોકોએ તેમની વિધાનસભાના એક ગામમાં તેમને ઘેરી લીધા હતા અને ધારાસભ્યનો ક્લાસ લઈ લીધો હતો. જો કે આ દરમિયાન ધારાસભ્યએ મૌન ધારણ કર્યું હતું.

ગામલોકોનો દાવો છે કે ધારાસભ્ય બન્યા પછી દેશરાજ કર્ણવાલે ગામમાં કોઈ કામ કર્યું નથી. કોરોના સમયગાળા દરમિયાન પણ, ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં હજી સુધી કોઈ વ્યવસ્થા નહોતી, ન તો અહીં કોઈ ડોક્ટર છે અને ન તો અહીં કોઈ બીજી વ્યવસ્થા છે. ગટરનાં બાંધકામો ન થવાને કારણે સારવાર માટે કોઈ વ્યવસ્થા નથી અને શેરીઓ ગંદા પાણીથી ભરાય છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય પાસે તેમની સમસ્યાઓ સાંભળવા અને નિદાન કરવા લોકોની વચ્ચે જવા માટે સમય નથી, તેથી જનતામાં ધારાસભ્ય સામે ભારે રોષ છે. તે જ સમયે, ભાજપના ધારાસભ્ય દેશરાજ કર્ણવાલ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોને શાંત પાડવાનો પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ ગામલોકો ખરી ખોટી સંભળાવતા રહ્યા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી પર કાબૂ મેળવવા બાબતે 10 રાજયોના 54 જિલ્લા કલેક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. મોદીએ કહ્યું કે, ‘ગયા વર્ષની મહામારી હોય કે પછી હાલો સમય, દરેક મહામારીએ એક જ વાત શીખવી છે. મહામારી સામે લડવા માટે આપનો વ્યવહારમાં સતત બદલાવ અને સતત નવીનતા જરૂરી છે.

વધુમાં કહ્યું હતું કે વાયરસ મ્યૂટેન્ટમાં, સ્વરૂપ બદલાવામાં માહિર છે, તો આપનો વ્યવહાર અને સ્ટ્રેટેજી પણ ડાયનેમિક હોવી જોઈએ. બીજી લહેર વચ્ચે વાયરસ મ્યૂટેન્ટનું કારણ હવે યુવાઓ અને બાળકો માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમે જે રીતે ફિલ્ડ પર કામ કર્યું છે તેના કારણે આ ચિંતાને ગંભીર થવાથી અટકાવવામાં મદદ તો મળી જ છે, પરંતુ આપણે આગળ પણ આ માટે તૈયાર રહેવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!