જયારે પરમાણુ હુમલામાં બરબાદ થઇ જશે બધું, તો પણ બચી જશે આ જગ્યાઓ; જાણો શું છે કારણ

કેટલાક નિષ્ણાતોના મતે વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની કગારે ઊભું હોય તેવું લાગે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગની સતત ચર્ચા થાય છે. જો આમ થશે તો પૃથ્વી પર એવી તબાહી સર્જાશે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હશે. વિનાશનું એવું દ્રશ્ય જોવા મળશે કે અનેક પેઢીઓ તેનો માર સહન કરશે. લોકો માટે પોતાનો જીવ બચાવવા માટે પૃથ્વી પર જગ્યા મેળવવી પણ મુશ્કેલ બનશે. પરંતુ હજુ પણ કેટલીક જગ્યાઓ એવી છે જે પરમાણુ હુમલા સમયે પણ સુરક્ષિત રહેશે અથવા તો આ જગ્યાઓ પર પરમાણુ હુમલાની અસર નહિવત હશે.

એન્ટાર્કટિકા ખંડ બચી જશે!

એક રિપોર્ટ મુજબ પરમાણુ હુમલાથી બચવા માટે જો કોઈ સુરક્ષિત જગ્યા છે તો તે એન્ટાર્કટિકા મહાદ્વીપ છે. હકિકતે વર્ષ 1961માં એક સંધિ થઈ હતી, જેનું નામ એન્ટાર્કટિક સંધિ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત આ મહાદ્વીપમાં કોઈપણ પ્રકારની સૈન્ય પ્રવૃત્તિ કરવામાં નહીં આવે. એટલે કે આ બર્ફીલા ખંડ પર કોઈ પણ દેશ પરમાણુ હુમલાથી લઈને કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી નહીં કરે. આ સંધિમાં પરમાણુ સંપન્ન દેશો પણ સામેલ છે. પછી તે અમેરિકા, સોવિયેત સંઘ, ભારત અને બ્રિટન હોય કે પછી જર્મની, ફ્રાન્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો.

image source

આઇસલેન્ડ અને ગુઆમ સુરક્ષિત રહેશે

ઉત્તર ધ્રૂવ પર આવેલો નાનકડો દેશ આઇસલેન્ડ છે. તે આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે. આઇસલેન્ડ ન્યુટ્રલ અર્થાત તટસ્થ દેશ છે. તેથી અહીં પરમાણુ હુમલાની શક્યતા ઘણી ઓછી છે. જેના કારણે આ જગ્યા પણ સુરક્ષિત માનવામાં આવે છે.

ભૂમિગત સુરંગોમાં જઈને પણ હુમલાથી બચી શકાય

એ જ રીતે, પેસિફિક મહાસાગરમાં એક નાનકડો ટાપુ ગુઆમ પણ ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે. લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા અને સંપૂર્ણ રીતે પર્યટન પર નિર્ભર ગુઆમનો પણ કોઈ દેશ દુશ્મન નથી. એવામાં અહીં પરમાણુ હુમલાની આશંકા નહિવત બરાબર છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાનું પર્થ પણ કોઈ પણ રાજનીતિક કેન્દ્રથી એટલું દૂર માનવામાં આવે છે કે અહીં પરમાણુ હુમલાની શક્યતા નહીવત છે. એ સિવાય ભૂમિગત સુરંગોમાં જઈને પણ હુમલાથી બચી શકાય છે.

image source

પર્વતની અંદર એક ‘ન્યુક્લિયર પ્રૂફ’ ગુફા

એક રિપોર્ટ મુજબ પરમાણુ હુમલા દરમિયાન પણ અમેરિકાના કોલોરાડોમાં પર્વતીય વિસ્તાર પર બનેલું એક સેન્ટર સુરક્ષિત રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએ પર્વતની અંદર એક ‘ન્યુક્લિયર પ્રૂફ’ ગુફા છે. ગુફાના એન્ટ્રી ગેટ ઉપર લગભગ 25 ટન વજનનો દરવાજો છે, જે પરમાણુ બોમ્બના હુમલામાં પણ પીગળી શકે નહીં. આ સ્થાન NORAD (નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ) અને USNC (યુનાઈટેડ સ્ટેટ્સ નોર્ધન કમાન્ડ) ના મુખ્ય મથક તરીકે ઓળખાય છે. અમેરિકાએ સોવિયત સંઘના હુમલાનો સામનો કરવા માટે તેને 60ના દાયકામાં બનાવ્યું હતું.

ઇસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મના સૌથી મહત્વપૂર્ણ સ્મારકો

પરમાણુ હુમલા સમયે સુરક્ષિત સ્થળોની યાદીમાં જે દેશનું નામ સૌથી છેલ્લે આવે છે તે જરા ચોંકાવનારું છે. હકિકતે તેનું નામ ઈઝરાયેલ છે. ઈઝરાયેલ પર પરમાણુ હુમલાની શક્યતા બહુ ઓછી વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું એટલા માટે કે ત્યાં ઇસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મના સૌથી મહત્વપૂર્ણ સ્મારકો છે, જેને કોઈ પણ દેશ નષ્ટ કરવા માંગશે નહીં.

image source

તમામ બાબતો અટકળો અને અનુમાન પર આધારિત

જો કે આ તમામ બાબતો અટકળો અને અનુમાન પર આધારિત છે. ખરી વાત એ છે કે જો પરમાણુ યુદ્ધ થશે તો તેની અસર આખી દુનિયામાં પડશે. પેઢી દર પેઢી વિનાશનો માર સહન કરતી રહેશે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત સંસ્થા ઇન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન (ICAN) અનુસાર, જો આજના સમયમાં ઘણા બધા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં લાખો લોકોના મોત થશે. તે જ સમયે, જો અમેરિકા અને રશિયા વચ્ચે મોટું પરમાણુ યુદ્ધ થાય તો મૃત્યુઆંક 10 કરોડને પાર કરી જશે.