ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા, એમ જ નથી કહેતા લોકો ગાયને માતા.
ગાયની પૂજા કરવાના ઘણા છે ફાયદા, એમ જ નથી કહેતા લોકો ગાયને માતા.
1. પુરાણ અને ઉપનિષદે જ નહીં વાસ્તુએ પણ માન્યું.
ગાયને હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. પુરાણો અને ઉપનિષદોમાં પણ ગાય માતાની સેવાને સર્વોપરી ગણવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ગાયની સેવાનું અલગ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ગાય માતાની સેવા કરવામાં આવે તો વાસ્તુ સંબંધી ઘણી તકલીફો સરળતાથી દૂર કરી શકાય છે. પણ આના માટે અમુક નિયમ પણ બતાવવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ એ ક્યાં નિયમો છે અને આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં કઈ ખુશીઓ આવે છે
2. આવી રીતે કરવી જોઈએ શરૂઆત.
જો તમે વાસ્તુદોષના કારણે દામ્પત્યમાં કષ્ટ કે પછી નિઃસંતાનપણાની તકલીફથી ઝઝુમી રહયા હોય તો સૌથી પહેલા ઘરે એક ગાય લઈ આવો. એ પછી ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો સૌથી પહેલા ગાય માતાની પૂજા કરીને જ શુભ કાર્ય આરંભ કરો. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને દામ્પત્ય જીવનમાં સુખ શાંતિ આવે છે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ પુરી થાય છે.
3. આવું કરવાનું ક્યારેય ન ભૂલો.
વાસ્તુ પ્રમાણે તમે ઘરમાં ગાય રાખી હોય કે ન રાખી હોય પણ વાસ્તુદોષ દૂર કરવા માટે ગાયને નિયમિત રૂપે રોટલી જરૂર ખવડાવો. ધ્યાન રાખો કે જ્યારે પણ જમવાનું બનાવો ત્યારે એક ચોખ્ખી ડીશમાં પહેલી રોટલી અને એના ઉપર શાક મૂકી એને પગે લાગી અલગ મૂકી દો. અને પછી જો ઘરમાં ગાય હોય તો એને ખવડાવી દો અથવા બહાર કોઈ ગાય દેખાય તો એને ખવડાવી દો. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે પોતાના ભોજન પહેલા ગાયને આ પ્રકારે રોટલી ખવડાવવાથી બધા જ વાસ્તુદોષ દૂર થઈ જાય છે.
4. ગાયના દૂધમાંથી જ બનાવો આ વસ્તુ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં જ્યારે પણ પૂજાવિધિ કે કોઈ શુભ કાર્યનું આયોજન કરો ત્યારે ગાયના દૂધનું જ પંચામૃત બનાવો. એવું માનવામા આવે છે કે આનાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે.જો તમે ઘરમાં ગાય રાખી હોય તો એના માટે ગૌશાળા અવશ્ય બનાવો. અને એનું પણ ધ્યાન રાખો કે ગૌશાળાની દીવાલ ઘરને અડીને જ હોય. વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે ઘર નજીક બાંધેલી ગાય ઘરના બધા સભ્યોના દોષ દૂર કરે છે અને વિકારોને પણ રોકે છે.
5. આ વાતનું પણ રાખો ધ્યાન.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે ગાયને ઘરે રાખવામાં સક્ષમ ન હોવું અથવા તમારી પાસે ગાયને રાખવા માટે પૂરતી જગ્યા ન હોય તો તમે ગાયનું પ્રતીક પણ રાખી શકો છો. પણ ધ્યાન રાખો કે એને હંમેશા દક્ષિણ- પૂર્વ દિશામાં જ રાખો. એવું કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે અને જાતકની શિક્ષા અને વ્યવસાયના વાસ્તુદોષના કારણે થતી તકલીફો એક એક કરીને દૂર થઈ જાય છે.
source : navbharat
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,