તારક મેહતામાં જોવા મળતી ગડા ઇલેક્ટ્રોનિક્સ બની ગઈ ટૂરિસ્ટ સ્પોટ, લોકો સેલ્ફી લેવા લગાવે છે લાઈન

તારક મહેતા કા ઉલટાહ ચશ્મા સિરિયલ વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક અદ્ભુત વસ્તુ જણાવવા રહ્યા છીએ. આ શોના મુખ્ય પાત્રોમાંથી એક જેઠાલાલ ગડા ઇલેક્ટ્રોનિક્સની દુકાનનો માલિક છે અને તે એક પ્રખ્યાત ઉદ્યોગપતિનું પાત્ર ભજવે છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે ગડા ઇલેક્ટ્રોનિક્સનો અસલી માલિક કોણ છે.

image source

ગડા ઇલેક્ટ્રોનિક્સમાં જેઠાલાલને નટ્ટુ કાકા અને બાઘો મદદ કરે છે. આ દુકાન લગભગ દરેક એપિસોડમાં બતાવવામાં આવે છે, વાસ્તવિક જીવનમાં આ દુકાન મુંબઈના ખારમાં સ્થિત છે. આ દુકાનના માલિકનું નામ શેખર ગડિયાર છે અને અગાઉ આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતું.

શેખર ગડિયારના જણાવ્યા અનુસાર, ગડા ઇલેક્ટ્રોનિક્સ તરીકે પ્રખ્યાત થયા પછી, તેણે તેનું નામ ગડા ઇલેક્ટ્રોનિક્સ રાખ્યું. માલિકે એમ પણ કહ્યું કે શોને કારણે તેની દુકાન ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે અને શોના ચાહકો ઘણીવાર આ દુકાનમાંથી સામાન લે છે. તમને જણાવી દઈએ કે આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો અને તે 12 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે.

image source

દુકાનના માલિક શેખર કહે છે કે દુકાન ભાડે આપતા પહેલા તેને ડર હતો કે શૂટિંગ દરમિયાન તેની ઇલેક્ટ્રોનિક્સની કેટલીક નાજુક વસ્તુ તૂટી જશે. પરંતુ છેલ્લા 12 વર્ષોમાં, એવું ક્યારેય બન્યું નથી કે તેની કોઈ પણ વસ્તુ તૂટી હોય. શેખર કહે છે કે આ શોની લોકપ્રિયતાને કારણે તેને ગ્રાહકો કરતા વધારે ટૂરિસ્ટ આવે છે. તેઓ કંઈપણ ખરીદી કરે કે ન કરે પણ તેઓ દુકાન સાથે ફોટા જરૂર પડાવે છે. તેઓ તેમના મિત્રો-સંબંધીઓને વીડિયો કોલ કરીને અહીં હોવાના પુરાવા પણ બતાવે છે.

‘તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા’ થી મૂળ દુકાનના બિઝનેસમાં વધારો થવાની વાત હોય કે, ‘ચક દે ઈન્ડિયા’, પછી હોકીનું વેચાણ વધવાની વાત, અથવા ‘3 ઇડિયટ્સ’ પછી લદાખના પર્યટનમાં વધારો થવાની વાત હોય. મૂવીઝ અને ટીવી શોના આવા ઘણા ઉદાહરણો વાસ્તવિક જીવનમાં પ્રભાવ પાડતા હોય છે.

image source

ટીવી પર સૌથી વધુ પસંદ કરવામાં આવતો શો તારક મહેતા કા ઉલટાહ ચશ્માના દરેક પાત્ર ઘરે ઘરે પ્રખ્યાત છે. શો વિશે વારંવાર સમાચાર આવે છે. એક જૂની કહેવત છે, જ્યાં બે વાસણો હોય છે, ત્યાં કકડાટ થાય છે. તાજેતરમાં જ શોના બે મુખ્ય કલાકારો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને તેનો ઓનસ્ક્રીન દીકરો ટપ્પુ વિશે સમાચાર આવ્યા હતા કે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. જ્યારે બંને વચ્ચે બગડતા સંબંધો વિશે ચર્ચાઓ તીવ્ર થઈ, ત્યારે ટપ્પુ એટલે કે રાજ અનાડકટે આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું અને બધાને સત્ય કહ્યું.

image source

તાજેતરમાં, તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્માના જેઠાલાલ અને તેના ઓનસ્ક્રીન પુત્ર ટપ્પુ વિશે એક સમાચાર આવ્યા હતા કે બંને વચ્ચે બધુ બરાબર નથી. દિલીપ જોશી તેના ઓનસ્ક્રીન દીકરા રાજ અનડકટની કેટલીક હરકતોથી ખૂબ ગુસ્સે હતા. આ બાબતે હવે રાજ અનાડકટે મૌન તોડીને યોગ્ય જવાબ આપ્યો છે. એક ઈન્ટવ્યૂમાં ટપુએ આ બાબતોને બકવાસ કહી હતી. રાજ અનાડકટે કહ્યું કે હું આવી અફવાઓ પર ધ્યાન આપતો નથી. હું આવી અફવાઓ પર હસું છું. તેમણે કહ્યું કે અમારી વચ્ચે બધુ બરાબર છે, મને સમજાતું નથી કે આવી અફવાઓ કેવી રીતે ફેલાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!