ડિવોર્સના 4 વર્ષ બાદ અરબાઝ ખાને મલાઈકા માટે મોકલી એક ખાસ ગિફ્ટ, વીડિયો શેર કરી અભિનેત્રીએ કહ્યું કે…

એક્ટ્રેસ મલાઇકા અરોરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઘણા ફોટા અને વીડિયો પણ સતત ટ્રેન્ડ થતાં જોવા મળે છે. ફરી એક વાર મલાઈકા દ્વારા કંઈક ખાસ શેર કરવામાં આવ્યું છે. મલાઈકાએ જણાવ્યું છે કે તેને તેના પૂર્વ પતિ અરબાઝ ખાન તરફથી ગિફ્ટ આપવામાં આવી છે. આ ઝવેરાત અથવા કિંમતી ભેટ નથી, પરંતુ સ્વાદિષ્ટ કેરીની પેટી આપવામાં આવી છે.

मलाइका
image source

અભિનેત્રીએ જાતે ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કરીને તે કેરીનું બોક્સ બતાવ્યું હતું. મલાઇકાએ તે વીડિયો સાથે લખ્યું છે – આ કેરીઓનો આભાર અરબાઝ, જે તમે ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. તે જાણીતું છે કે અરબાઝ અને મલાઈકાએ લગ્નના 18 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા. તેમના લગ્નજીવન તૂટી જવાનું વાસ્તવિક કારણ ક્યારેય બહાર આવ્યું ન હતું, પરંતુ એવું કહેવાતું હતું કે બંને એક સાથે ખુશ નહોતા. છૂટાછેડા પછી મલાઇકાને અભિનેતા અર્જુન કપૂરમાં તેના પ્રેમની શોધ થઈ, જ્યારે અરબાઝને જ્યોર્જિયા એન્ડ્રિયાનીના રૂપમાં એક નવી ભાગીદાર પણ મળી.

मलाइका-अरबाज
image source

આ વાત 20217ની છે કે જ્યારે અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વચ્ચે 18 વર્ષથી ચાલી રહેલા પતિ-પત્નીના સંબંધોનો આખરે કાયદાકીય રીતે અંત આવી ગયો હતો. બાંદ્રા ફેમિલી કોર્ટે આ કપલના ડિવોર્સને મંજૂરી આપી દીધી હતી. નવેમ્બર 2016માં આ બંનેએ એકબીજાની સહમતીથી ડિવોર્સ માટે એપ્લિકેશન કરી હતી. જો કે મહિના દરમિયાન આ બંને સ્ટાર ઘણી વખત એક બીજા સાથે જોવા મળ્યાં. આ બંને સાંજે પોપ સેંસેશન જસ્ટિન બીબરના કોન્સર્ટમાં પણ એક સાથે જોવા મળ્યાં હતા. આ સાથે પુત્ર અરહાન પણ પહોંચ્યો હતો.

मलाइका संग अर्जुन
image source

ડિવોર્સની અરજી કરી હોવા છતાં આ બંને સ્ટાર્સ એક જ કારમાં વેન્યૂ પર પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટસ મુજબ કોર્ટે ડિવોર્સ મંજૂરી આપતા કહ્યું કે અરહાન પોતાની માતા મલાઈકા અરોરા સાથે રહેશે અને તેના પિતા એટલે કે અરબાઝ ખાનને તેને ગમે ત્યારે મળી શકે છે. બીબરના કોન્સર્ટમાં એક સાથે દેખાયા બાદ એવી પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને વચ્ચે બધું ઢીક થઈ ગયું છે પરંતુ એવું ન હતું. મલાઈકા અને અરબાઝ વચ્ચેના અણબનાવ પાછળ એક્ટર અર્જુન કપૂરને માનવામાં આવતો હતો.

मलाइका
image source

ડિવોર્સ બાદ અરબાઝ તથા મલાઈકા પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. ડિવોર્સ બાદ પણ બંને એકબીજા સાથે ઘણી જ સહજતાથી વાતચીત કરે છે અને દીકાર અરહાન ખાન સાથે સમય પસાર કરે છે. અરબાઝે ડિવોર્સને લઈને કહ્યું હતું કે જ્યારે તમારે બાળક હોય ત્યારે આ પગલું ભરવું ઘણું જ મુશ્કેલ બની જાય છે પરંતુ આ જરૂરી હતું.

मलाइका
image source

કેટલાંક સંબંધો એક એવા તબક્કે પહોંચી જાય છે કે તેનાથી અલગ થવું એ જ એકમાત્ર રસ્તો હોય છે. અરબાઝને પૂછવામાં આવ્યું કે ડિવોર્સની વાત પર તેના દીકરાનું રિએક્શન શું હતું? જેના જવાબમાં અરબાઝે કહ્યું હતું કે તે સમયે અરહાનની ઉંમર માત્ર 12 વર્ષની હતી. તેને બધી જ ખબર હતી કે શું ચાલી રહ્યું છે. તેથી તેને વધુ સમજાવવાની જરૂર પડી નહોતી.