રણબીર-આલિયા કરી રહ્યા છે લગ્નની ખાસ તૈયારીઓ, કંઇક આવા ફોટાથી સજાવવા માંગે છે પોતાનું નવું ઘર
આલિયા ભટ્ટ સાથે લગ્ન માટે રણબીર કપૂરની ખાસ તૈયારી, લેડીલવના ફોટાથી સજાવવા માંગે છે પોતાનું નવું ઘર.
બોલિવુડના મોસ્ટ પોપ્યુલર લવબર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લવ સ્ટોરીથી દરેક વ્યક્તિ વાકેફ છે. હાલ તો રણબીર અને આલિયાની જોડી બોલીવુડની સૌથી ફેવરિટ જોડી બની ગઈ છે અને એમના ફેન્સ આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જ્યારથી બંનેએ પોતાના પ્રેમનો એકરાર દુનિયા સામે કર્યો છે ત્યારથી બંને ઘણીવાર એકસાથે દેખાયા છે અને એમના લગ્નની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. એ દરમિયાન હવે ખબર આવી રહી છે કે રણબીર પોતાની લેડીલવ આલિયા માટે સપનાનું ઘર બનાવી રહ્યા છે, જેને એ આલિયાના ફોટાથી સજાવવા માગે છે. જ્યાં બંને લગ્ન પછી રહેવાના છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણબીર લગ્ન પહેલા આલિયાના હિસાબથી પોતાના નવા ઘરને સજાવવાના પુરા પ્રયત્ન કરી રહ્યા છે અને એ માટે એ ઇન્ટિરિયર ડિઝાઈનર પાસે ઘણી મહેનત પણ કરાવી રહ્યા છે. રણબીર ઈચ્છે છે કે એમના નવા ઘરમાં આલિયાના સુંદર અને કેન્ડીડ ફોટા સજાવવામાં આવે.
એ માટે આલિયાના ઘણા ફોટા કલેક્ટ કરીને એક મોજેક ટાઇલ્સ સેટ કરવાનો પ્લાન છે જેથી એમના ઘરને એક શાનદાર લુક મળી શકે. તો બીજી બાજુ જણાવવામાં આવી રહ્યું કજે કે આલિયા પણ પોતાના ઘરમાં એક કોર્નરમાં રણબીર અને ફેમિલીને કેટલાક ફોટા લગાવવા માંગે છે જેને એ યાદો તરીકે સંભાળીને રાખવા માંગે છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો એવું જાણવા મળી રહ્યું છે કે આલિયા અને રણબીર લિવ ઇન રિલેશનશિપમાં રહે છે જ્યારે બીજા ઘણા રિપોર્ટનું માનીએ તો આલિયાએ રણબીરના એપાર્ટમેન્ટમાં જ એક ફ્લેટ ખરીદ્યો છે. જેથી બંને એકબીજા સાથે ક્વોલિટિ ટાઈમ સ્પેન્ડ કરી શકે. એ દરમિયાન રણબીર અને આલિયાને ઘણીવાર એમના નવા ઘરની સાઇટ પર પણ સ્પોટ કરવામાં આવ્યા છે જ્યાં એ લગ્ન પછી રહેવાના છે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર રણબીર આલિયા સાથે લગ્ન બંધનમાં જોડાય એ પહેલાં પોતાના નવા વહરને ડેકોરેટ કરાવી રહ્યા છે જેથી લગ્ન પછી બંને નવા ઘરમાં શિફ્ટ થઈ શકે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ રણબીરે આલિયા સાથે પોતાના રિલેશનશિપ પર ખુલીને વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમને પોતાની લેડીલવ અને લગ્નને લઈને કહ્યું હતું કે જો દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ન ફેલાયો હોત તો અત્યાર સુધી એ આલિયા સાથે લગ્ન કરી ચુક્યા હોત. જાણવા મળી રહ્યું છે કે રણબીર અને આલિયા વર્ષ 2020માં જ લગ્ન બંધનમાં બંધાઈ ચુક્યા હોત પણ કોરોના વાયરસ મહામારીના કારણે એવું ન થઈ શક્યું.
જો કે થોડા સમય પહેલા લગ્નને લઈને એક ઇન્ટરવ્યૂમાં આલિયાને સવાલ કરવામાં આવ્યો તો એમને એ કહેતા પોતાના લગ્નના સવાલનો ટાળી દડીધો કે એ હજી ફક્ત 27 વર્ષની છે.
ભલે આલિયાએ પોતાની ઉંમરની વાત કહી લગ્નની વાતને ટાળી દીધી હોય પણ રણબીરે ચોખ્ખા શબ્દોમાં એ જાહેર કરી દીધું છે કે જો કોરોના મહામારી ન હોત તો એ વર્ષ 2020માં જ આલિયા સાથે લગ્ન કરી ચુક્યા હોત. હાલ બંને એમના લગ્નની ખબર વચ્ચે પોતાના રિલેશનશિપ અને ડેટિંગ પિરિયડને એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે.
6 વર્ષ પહેલા જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણના સેટ પરથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી. વર્ષ 2014માં આ શોમાં આલિયાએ કબૂલ કર્યું હતું કે રણબીર કપૂર એમના ક્રશ છે.
એટલું જ નહીં એક્ટ્રેસે એ પણ કહ્યું હતુંકે એ બધું જ છોડીને રણબીર સાથે લગ્ન કરવા માંગે છે. જો કે એ દરમિયાન રણબીર કપૂર કેટરીના કેફને ડેટ કરી રહ્યા હતા પણ આલિયાના આ બયાન પછી બોલીવુડની ગલીઓમાં રણબીર અને આલિયાને લઈને ગોસિપ શરૂ થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે આલિયાના આ બયાનના થોડા સમય પછી રણબીર અને કેટરીનાના સંબંધોમાં કડવાશ આવી ગઈ, એ પછી બંનેએ બ્રેકઅપ કરી લીધું અને બંનેના રસ્તા અલગ થઈ ગયા. રણબીર અને કેટરીનાના બ્રેકઅપ પછી બોલીવુડની ગલીઓમાં અફવા ઉડવા લાગી કે રણબીર અને આલિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ડેટિંગની અફવાઓ વચ્ચે રણબીર અને આલિયાએ વર્ષ 2018માં સોનમ કપૂરના રીસેપ્શનમાં પોતાની રિલેશનશિપને કનફાર્મ કરી હતી.
તમને જણાવી દઈએ કે સોનમના રીસેપ્શનમાં બંનેએ એકસાથે એન્ટ્રી કરીને બધાને હેરાન કરી દીધા હતા ત્યારથી લઈને આજ સુધી બંને બધાની સામે એકબીજાને પોતાના પ્રેમનો એકરાર કરતા આવ્યા છે અને હવે ફેન્સ એ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે રણબીર આલિયાને પોતાની દુલહનિયા બનાવીને પોતાના નવા ઘરે લઈ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!