મુકેશ અંબાણીની જીવનશૈલીને ટક્કર આપે એવી જીંદગી જીવે છે આ 4 પરિવાર, આવી ઠાઠમાઠની જીવે છે જીંદગી

આવા છે આ રાજવી પરિવારના ઠાઠમાઠ, મુકેશ અંબાણીની શાનને પણ પાડી દે છે ઝાંખી.

આપણો દેશ ભલે આઝાદ થઈ ચૂક્યો હોય પણ આઝાદી પહેલાના રાજવી પરિવારો આજે પણ એવું વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. સમય ભલે બદલાઈ ગયો હોય પણ પધ્ધતિઓ એની એ જ છે આજે આપણે અહીં આવા ચાર રાજવી ગૃહોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે આજે પણ એકદમ ઠાઠ સાથે જીવન જીવી રહ્યા છે.

પટૌડીના નવાબ :

image source

આઝાદીના સમયે પટૌડીના રાજા હતા મન્સૂર અલી ખાન પટોડી. તે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર પણ હતા અને એમને બોલીવુડની અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા. જેમના ત્રણ બાળકો છે શબા અલી ખાન, સૈફ અલી ખાન અને સોહા અલી ખાન. જે બોલિવૂડ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઉચ્ચ પદ ધરાવે છે. હાલ સૈફ અલી ખાન પટૌડીના નવાબ તરીકે કામ કરી રહ્યો છે અને પટૌડી પેલેસનો માલિક પણ છે. અભિનેતા સૈફએ કરીના કપૂર ખાન સાથે લગ્ન કર્યા, અને આ બંનેને બે પુત્રો પણ છે.

વડીયાર રાજવંશ :

મૈસુરના વાડિયાર વંશના રાજા યદુવીરની પત્ની ત્રિસિકાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે 400 વર્ષ પછી આ પરિવારમાં એક બાળક આવ્યું. રાજા યદુવીર વડિયાર આ રાજવંશનો 27 મો રાજા છે અને એમને ડુંગરપુરની રાજકુમારી ત્રીશાકા સાથે 27 જૂન, 2016 ના રોજ લગ્ન કર્યા હતા.

image source

તમને જણાવી દઈએ મૈસુરના આ રાજવી પરિવારની સંપત્તિ આશરે 10 હજાર કરોડ રૂપિયાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. મહારાજ બન્યા પછી યદુવીર કૃષ્ણદત્ત ચમારજા વાડીયાર તરીકે પણ ઓળખાય છે. ગયા વર્ષે 23 ફેબ્રુઆરીએ રાણીએ યદુવીરને દત્તક લીધો હતો અને તેને રાજા બનાવવાનો નિર્ણય કર્યો હતો. વડિયાર રાજવી પરિવારે 1399 થી મૈસુર પર શાસન શરૂ કર્યું, ત્યારથી રાજાની ઘોષણા કરવામાં આવી છે.. આ પરિવારમાં છેલ્લે 1974 માં રાજ્યાભિષેક થયો હતો અને તે પછી યદુવીરના કાકા શ્રીકાંતદત્ત નરસિંહહારાજ વાડીયારને ગાદી મળી. 2013 માં તેમનું અવસાન થયું અને ત્યારબાદ યદુવીર રાજા બન્યો.

મેવાડ રાજવંશ :

અરવિંદ સિંહ મેવાડ રાજવીના પૂર્વ રાજા ભાગવતસિંહનો પુત્ર છે. મોટી મોટી ઇવેન્ટ્સમાં અરવિંદ સિંહની હાજરી જોવા મળે છે. એ ક્રિકેટ અને પોલોના શોખીન છે. મેવાડ પરિવારના અરવિંદસિંહ 76 મા વારસદાર છે. તેમણે કચ્છની રાજકુમારી વિજયરાજ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક પુત્ર લક્ષરાજ સિંહ અને પુત્રી પદ્મજા છે.

image source

તમને જણાવી દઈએ કે અરવિંદ સિંહને લક્ઝરી ગાડીઓનો ખૂબ જ શોખ છે અને તેમની પાસે ઘણી બધી રોલ્સ રોયસ ગાડીઓ છે. . આ પરિવાર આજે પણ રાજાશાહી ઠાઠ ભોગવી રહ્યો છે.

જોધપુર ના રાઠોડ :

જોધપુરના રાઠોડ પરિવારના વંશજો આજે જોધપુરમાં રહે છે. જોધપુરનો મેહરાનગગઢ કિલ્લો અને ઉમેદ ભવન પેલેસ તેમનું ઘર છે, જે વિશ્વના સૌથી મોટા કિલ્લાઓ અને સૌથી મોટા ખાનગી નિવાસસ્થાનોમાંથી એક ગણાય છે.

image source

હાલમાં મહારાજા ગજસિંહ તેની પત્ની અને બે બાળકો સાથે ઉમેદ ભવન પેલેસમાં રહે છે. મહેલનો એક ભાગ પ્રવાસીઓ માટે ફાળવવામાં આવ્યો ક છે અને બાકીના ભાગનું સંચાલન તાજ ગ્રુપ ઓફ હોટેલ્સ દ્વારા કરવામાં આવે છે, જે પરિવાર સાથે સમાંજ્દારીમાં ચાલે છે.

તમને જણાવી દઈએ મહારાજા ગજસિંહે રાજ્યસભાના સભ્ય તરીકે કામ કર્યું છે. અને તેમણે થોડા વર્ષો પહેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય હાઈ કમિશનર તરીકે પણ સેવા આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!