Site icon News Gujarat

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિષ્ટ આ એક્ટ્રેસને બનાવશે પોતાની દુલહન? બન્નેના સંબંધ રહ્યા છે ભારે ચર્ચામાં

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમના જીવનની નવેસરથી શરૂઆત કરી હતી અને હવે બધાની નજર કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન પર છે, જે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં થશે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આમિર ખાન પણ ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા આમિર ખાને તેની પત્ની કિરણ રાવથી અચાનક છૂટાછેડા લીધા હતા. તે દરમિયાન બંનેએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે હવે અમે બંને પતિ-પત્ની નથી, પરંતુ અમે કો પેરેન્ટ્સ અને એકબીજાના પરિવાર તરીકે રહીશું. આમિર ખાન અને કિરણ રાવના આ સ્ટેટમેન્ટે લોકોને ચોંકાવી દીધા હતા.

image soucre

તો હવે સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરવાનું વિચારી રહ્યો છે અને અભિનેતા આમિર ખાન ટૂંક સમયમાં ત્રીજા લગ્ન માટે લગ્નના બંધનમાં બંધાતા જોવા મળશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર ખાન તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ બાદ એમના લગ્નની જાહેરાત કરશે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. આ કારણથી એવું માનવામાં આવે છે કે આમિર ખાન આવતા વર્ષે એપ્રિલમાં ફેન્સને પોતાના લગ્નની માહિતી આપી શકે છે. આટલું જ નહીં, જો ગોસિપ પર વિશ્વાસ કરવામાં આવે તો આમિર ખાન તેના એક કો-સ્ટાર સાથે લગ્ન કરશે.

image soucre

આમિર ખાન અને કિરણ રાવના અચાનક છૂટાછેડા પછી અભિનેત્રી ફાતિમા સના શેખ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. ફાતિમા આમિર ખાન સાથે ફિલ્મ ‘દંગલ’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’માં જોવા મળી હતી. આમિર ખાન અને ફાતિમા સના શેખ રિલેશનશિપમાં હોવાની અફવા હતી. જો કે, ધીરે ધીરે આ અફવા શાંત થઈ ગઈ

image soucre

આમિર ખાને અત્યાર સુધી બે લગ્ન કર્યા છે. અભિનેતા આમિર ખાનએ પ્રથમ લગ્ન વર્ષ 1987માં રીના દત્તા સાથે કર્યા હતા. વર્ષ 2002માં આમિર ખાન અને રીના દત્તાએ છૂટાછેડા લીધા હતા. આ પછી આમિર ખાને કિરણ રાવનો હાથ પકડી લીધો હતો, પરંતુ બંને વચ્ચેનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. આને આખરે 15 વર્ષના લગ્ન જીવન બાદ હાલમાં જ આમિર ખાન અને કિરણ રાવ એકબીજાથી અલગ થયા હતા. આમિર ખાનને ઈરા ખાન, જુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન નામના ત્રણ બાળકો છે.

Exit mobile version