આઠ વાગ્યા બાદનુ સ્નાન તમારા માટે થઇ શકે છે નુકશાનકારક સાબિત, રાખો સાવચેતી નહીતર…
મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પર ચાલતો દેશ છે. આપણા દેશમા અનેકવિધ પ્રકારની શ્રદ્ધા અને અંધશ્રદ્ધાઓનો સમાવેશ થાય છે. ત્યારે આજે આ લેખમા આપણે આપણા જીવનની એક રોજીંદી ક્રિયા વિશે જણાવીશું કે, જેનુ શાસ્ત્રમા એક વિશેષ મહત્વ રહેલુ છે તો ચાલો આજે આપણે તેના વિશે થોડી વધુ માહિતી મેળવીએ.
આપણે આપણી રોજીંદી જીવનશૈલીમા સ્નાનને સ્થાન ક્યારે અને કેવી રીતે કરવુ તે આપણા ઘરની સમૃદ્ધિ વધારવી એ અમારા જ હાથમા છે. વિશેષ કરીને જે કોઈપણ ઘરની સ્ત્રીઓ હોય છે તેમના માટે આ વાત ખુબ જ વધારે પડતી લાગુ પડે છે. જો તે સ્ત્રી પત્નીના રૂપમા હોય, બેનના રૂપમાં હોય કે ઘરના વડીલ પણ હોય સૂર્ય નિકળતાના પહેલા જ સ્નાન કરવુ એ સર્વશ્રેષ્ઠ ગણાય છે. આમ, કરવાથી ધન એ ઘરમા સુખ-શાંતિ અને સમાજમા પ્રતિષ્ઠા પણ વધે છે.
જો તમે વહેલી સવારે સ્નાન કરો છો તો તેને ધર્મશાસ્ત્રએ ચાર ઉપનામ આપ્યા છે. તેને પૌરાણિક સમયમા ખુબ જ વિશેષ માનવામા આવતા હતા. આજે પણ જો તમે માનો તો તે ખુબ જ વિશેષ છે. એકવાર આજે તમને ફરી એકવાર તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, ચાલો જાણીએ
મુનિ સ્નાન :
આ સ્નાન વહેલી સવારે સૂર્ય આગમન થાય તે પહેલા ૪-૫ ના વચ્ચેના સમયમા કરવામા આવે છે. આ સ્નાન એ સર્વોત્તમ સાબિત થઇ શકે છે. આ સમય મુજબ સ્નાન કરતા જાતકના ઘરમા સુખ -શાંતિ, સમૃદ્ધિ, વિદ્યા, બળ, આરોગ્ય, ચેતના હમેશા બની રહે છે.
દેવ સ્નાન :
આ સ્નાન વહેલી સવારના ૫-૬ વાગ્યાના આસપાસ કરાય છે. આ દેવ સ્નાન તમારા માટે ખુબ જ શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. આ સ્નાન કરતા જ જાતકના જીવનમા યશ, કિર્તી, ધન, વૈભવ, સુખ -શાંતિ અને સંતોષનો હમેંશા વાસ રહે છે.
માણસ સ્નાન :
આ સ્નાન જો તમે વહેલી સવારે ૬-૮ ની વચ્ચે કરો તો તે પણ તમારા માટે ખુબ જ સારુ કહેવાય. આ સમયે જો સ્નાન કરતા હોય તો તે લોકોને કામમાં સફળતા, સારુ ભાગ્ય, સારા કર્મની સમજ મળે છે. આ સાથે જ પરિવારમા પણ એકતા પણ બની રહે છે.
રાક્ષસી સ્નાન :
જે લોકો આઠ વાગ્યા પછી સ્નાન કરતા હોય છે તેને આ સ્નાન તરીકે ઓળખવામા આવે છે . કોઈપણ વ્યક્તિએ આઠ વાગ્યા સુધી સ્નાન કરવુ જોઈએ નહિ. આ સ્નાન હિન્દુ ધર્મમા વર્જિત માનવામા આવે છે. આ સમયે સ્નાન કરતાના ઘરમા ગરીબીની સમસ્યા થઇ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!