વાહ ભાઈ વાહ, કોરોનાની સારવાર માટે ગુજરાતમાં આયુર્વેદિક દવા આવી બજારમાં, 4 દિવસમાં જ ઘોડા જેવા કરી નાંખવાનો દાવો

હાલમાં આખા ભારતની સાથે સાથે ગુજરાતની હાલત પણ ભારે ખરાબ થઈ રહી છે. બાળકો અને મોટો લોકો ટપોટપ ટપકી રહ્યા છે. ત્યારે સૌ કોઈ એ જ પ્રાર્થના કરી રહ્યું છે કે ક્યારે આ કોરોનામાંથી ભગવાન બધાને મુક્તિ આપશે અને લોકોને આ મહામારીમાંથી ઉગારશે. એક તરફ રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જેને પગલે રોજ 8000 કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 80 જેટલા દર્દી મોતને ભેટી રહ્યા છે. તો બીજી તરફ બહોળા પ્રમાણમા વેક્સિન પણ આપવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓને સાજા કરવા અને તેમનો જીવ બચાવવા માટે ઇન્જેક્શન તેમજ હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઈનો લાગી એના સીન પણ આપણે દરરોજ જોઈએ છીએ.

જો કે હવે જે માહિતી સામે આવી રહે છે એ સૌ કોઈમાં નવી આશા પુરે એવી છે. કોરોનાની સારવાર માટે સૌપ્રથમ આયુર્વેદિક દવા “આયુધ એડવાન્સ” લોન્ચ કરવામાં આવી છે. વ્યાપક સંશોધન અને સઘન માનવીય તબીબી પરીક્ષણમાં કોરોનાના દર્દીઓ, કોઈપણ આડઅસર વગર અથવા ડ્ર્ગ-ટુ-ડ્રગ રિએક્શન અથવા વિપરીત અસર વગર એક સપ્તાહની અંદર સંક્રમણમાંથી મુક્ત થતા હોવાનું પણ જાણવા મળ્યું છે જે સૌથી સારી બાબત કહી શકાય.

આ દવા અંગે વાત કરીએ તો સૌથી સારી વાત એ છે કે આ દવાને રાજ્ય સરકારના FDCA(ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન) (આયુર્વેદ) દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. આયુધ નામની આ દવા ખરીદવા અને પૂછપરછ માટે ફોન નંબર- 9978804400 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (THSTI)-ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, ભારત સરકાર દ્વારા આયુધ એડવાન્સ, રેમડેસિવિર કરતાં 3 ગણી વધુ અસરકારક છે એવું પણ જાણવા મળી રહ્યું છે.

આ અંગે અમદાવાદ GMERS, મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનાં પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, ડો. પારુલ ભટ્ટ જણાવે છે, કોરોનાનાં મધ્યમ લક્ષણો ધરાવતા અને અગાઉથી જ અન્ય કોઈ બીમારી ધરાવતા દર્દીઓનો આયુધ એડવાન્સ સ્ટાન્ડર્ડ ઓફ કેર ટ્રીટમેન્ટની સાથે આનુષંગિક ધોરણે આપવામાં આવે તો પણ એની કોઈ આડઅસર કે વિપરીત અસર નથી થતી અથવા તો એનાથી ડ્રગ-ટુ-ડ્રગ રિએક્શન પણ નથી આવતું.

આગળ વાત કરતાં ડો. પારુલ ભટ્ટ વાત કરે છે કે ચાર દિવસની સારવાર બાદ સ્ટાન્ડર્ડ ઓફ કેર ટ્રીટમેન્ટના(p<0.01) દર્દીઓની તુલનાએ આયુધ એડવાન્સ ટ્રીટમેન્ટ હેઠળના દર્દીઓમાં વાયરસની સંખ્યામાં (CT વેલ્યુમાં વૃદ્ધિના અંદાજે)નોંધપાત્ર ઘટાડો (p<0.0001) નોંધાયો હતો હવે આ દવા અંગે ચારેકોર ચર્ચા થવા લાગી છે.

“આયુધ એડવાન્સ”ના ફાઉન્ડર અને શુક્લા આશર ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડના દીપ શુક્લાએ જણાવ્યું હતું કે વેક્સિનની ભૂમિકા જ્યાં પૂરી થાય છે ત્યાંથી આયુધ એડવાન્સની કામગીરી શરૂ થાય છે. આયુધ એડવાન્સ વેક્સિનથી તદ્દન અલગ છે. વેક્સિન ચોક્કસ પ્રકારના વાયરસના સ્ટ્રેન્સ સામે એન્ટિબોડીઝ વિકસાવવામાં મદદ કરે છે. જો કે એનાથી રોગ સામે 100 ટકા રક્ષણ મળતું નહીં હોવાનું સર્વવિદિત છે.

જો સરખામણી કરવામાં આવે તો એ દવાની તુલનાએ પ્રચલિત માન્ય સારવાર સાથે આયુધ એડવાન્સના ઉપયોગથી બીમારીના સફળ નિયમનમાં મદદ મળે છે. આ દવા માટે હજારો તબીબો દ્વારા એની ભલામણ કરવામાં આવી છે અને અત્યા રસુધીમાં 50,000થી વધુ દર્દીઓની સારવાર માટે એનો ઉપયોગ પણ કરાઈ ચૂક્યો છે જે સૌથી સારી વાત છે. કોરોનાના દર્દીઓને પણ તેમને અન્ય બીમારીઓ હોવા છતાં આયુધ એડવાન્સ અત્યંત અસરકારક અને સલામત હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ સાથે જો વાત કરવામાં આવે તો આ પ્રોડક્ટને રાજ્ય એફડીસીએ(આયુર્વેદ), ગુજરાત દ્વારા માન્યતા અપાઈ છે અને ઉત્પાદન તથા વેચાણ માટે લાઇસન્સ અપાયું છે. પ્રથમ માનવ પરીક્ષણ અને અભ્યાસ શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓક્ટોબર, 2020માં હાથ ધરાયો હતો. જ્યારે બીજું માનવ પરીક્ષણ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સોલા અમદાવાદ ખાતે જાન્યુઆરી, 2021માં કરાયું હતું.

એમના પરિણામો વિશે જો વાત કરવામાં આવે તો પ્રથમ અભ્યાસમાં કોરોનાના હળવા દર્દીઓ પરની એની અસર ચકાસવામાં આવી હતી. પ્રથમ ક્લિનિકલ અભ્યાસનાં સફળ પરિણામો બાદ કોવિડનાં મધ્યમ લક્ષણો અને મોર્બિડિટી અને કો-મોર્બિડિટી ધરાવતા દર્દીઓમાં અન્ય અભ્યાસ અને વ્યાપક પરીક્ષણો હાથ ધરાયાં હતાં.

આ સાથે જ જાણવા મળી રહ્યું હતું કે કો-મોર્બિડ દર્દીઓમાં કોરોના મહામારીને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાવાનું જોખમ વધુ રહે છે. આ દર્દીઓને દિવસમાં ચાર વખત 15 એમએલનો આયુધ એડવાન્સનો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેઓ માત્ર ચાર દિવસની અંદર સ્વસ્થ થયા હતા. આ આમ તો રેકોર્ડ કહી શકાય એવી વાત કહી શકાય. કારણ કે માત્ર 4 જ દિવસમાં કોરોના દર્દી સાજો થઈ જાય એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. હાલમાં આયુધ અંતર્ગત બે પ્રોડક્ટ્સ, આયુધ એડવાન્સ અને આયુધ મેઇન્ટેનનો સમાવેશ થાય છે.

ડોક્ટરની ડીમે આગળ જણાવ્યા મુજબ, કોવિડ-19થી ગ્રસ્ત દર્દીઓ માટે આયુધ એડવાન્સ સલામત અને આનુષંગિક સારવાર છે. જો કે આ દર્દીઓનાં પરિવારજનોએ આ વાયરસનું સંક્રમણ તેમને ના લાગે એ માટે વિશેષ કાળજી લેવી જોઈએ. આયુધ વિશે વાત કરવામાં આવે તો આયુધ મેઈન્ટેન એ એક રોગનિરોધક હેલ્થ સપ્લિમેન્ટ છે, જે શરીરને રોગાણુઓ સામે લડવામાં મદદ કરી એનો નિકાલ કરે છે.

આયુધ મેઈન્ટેન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને રોગાણુઓને ઓળખવાની એની ક્ષમતા વધારે છે. અત્યાર સુધીમાં આયુધ મેઈન્ટેનની મદદથી 2,20,000 ક્વોરન્ટીન પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા છે. જો ભાવ વિશે વાત કરવામાં આવે તો આયુધની એક બોટલ રૂ. 4500માં મળે છે, જો કે કંપની દ્વારા રૂ. 3600માં એક પર એક ફ્રી આપવામાં આવશે. તમે નજીકના મેડીકલ સ્ટોર પર જઈને પણ મેળવી શકો છે અને લાભ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!