દવા લીધા વગર ના રાખવી હોય પ્રેગનન્સી, તો આ ઘરગથ્થુ ઉપાયો તમારા માટે છે એકદમ બેસ્ટ

પ્રેગ્ન્નન્ટ થઈ જવાનો ભય સતાવે છે ? તો આ ઘરગથ્થુ ઉપાયથી પ્રેગ્નન્ટ થતા બચો

આજ કાલના આધુનિક જીવનમાં છોકરા-છોકરી વચ્ચેના સંબંધો એડવાન્સ થઈ ગયા છે. અને તે દરમિયાન તેઓ કેટલીક છુટછાટ પણ લઈ લેતા હોય છે અને પછી જે કંઈ સંજોગો ઉભો થાય તેનો સામનો કરવો પડે છે.

તો બીજી બાજુ વિવાહીત સ્ત્રીઓ કે જેઓ બાળકની માતા બની ગઈ હોય છે અને પ્રેગ્નન્ટ થવા નથી ઇચ્છતી તેમને પણ સતત અનપ્લાન્ડ પ્રેગ્નન્સીનો ભય સતાવતો રહે છે. તેવું નવપરિણિત સ્ત્રીને પણ થતું હોય છે. તો આ ભય દૂર કરવા માટે એટલે કે પ્રેગન્ન્ટ નહીં થવા માટે અહીં કેટલાક ઘરેલુ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

image source

જે સ્ત્રીઓના લગ્ન થઈ ગયા છે બાળક થઈ ગયું છે તેઓ તબીબી રસ્તાઓ અપનાવી પોતાને ગર્ભવતી થતા રોકી શકે છે જેમ કે તેઓ કોપર-ટી લગાવી શકે છે અથવા તો કોન્ટ્રાસેપ્ટીવ પિલ્સ લઈ શકે છે.

image source

અને બાળકના જન્મ બાદ બીજું બાળક કે વધારે બાળક ન જોઈતા હોય તો તે ઓપરેશન પણ કરાવી શકે છે પણ તે રીવર્સિબલ નથી હોતું એટલે કે ઓપરેશન થઈ ગયા બાદ તમે ક્યારેય ગર્ભવતિ નથી થઈ શકતા. જ્યારે કોપર ટીનો ઉપયોગ કરી તમે 5થી 7 વર્ષ સુધી તમારી પ્રેગ્નન્સીને ધક્કેલી શકો છો.

બીજીબાજુ કોન્ડોમનો ઉપયોગ કરીને પણ ગર્ભ થતો રોકી શકાય છે. જો કે તે એક વિશ્વાસપાત્ર ઉપાય નથી. તેમ છતાં તે ઘણા અંશે તમને મદદ કરી શકે છે. કોન્ડોમનું રબર પુરુષના શુક્રાણુઓને સ્ત્રીના ગર્ભ પ્રવેશવા નથી દેતું અને તેમ થવાથી સ્ત્રી ગર્ભવતી નથી થઈ શકતી.

આ સિવાય તમે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો પણ ઉપયોગ કરી શકો છો. જો શારીરિક સંબંધ જોડતી વખતે કોન્ડોમનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય તો ગર્ભ ન રહી જાય તે માટે તમારે ગર્ભનિરોધક ગોળીઓનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.

image source

જો કે આ ગોળીઓને તેના પેકેટ પર જે રીતે નિર્દેશ કર્યું છે તે જ રીતે લેવી જોઈએ. અને તેને તમારે નિયમિત જ લેવી પડે છે જો તેનો નિયમિત ઉપયોગ કરવામાં ન આવે તો તેની અસર નથી રહેતી અને તમે ગર્ભ ધારણ કરી શકો છો.

image source

બીજી ગર્ભ નિરોધક ગોળી આવે છે ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્શન પિલ્સ જેને તમારે શારીરિક સંબંધ બાંધ્યાના 72 કલાકની અંદર જ લઈ લેવાની હોય છે. તેને લેવાથી ગર્ભ રહેવાની શક્યતા સાવ જ ઘટી જાય છે.

આના સિવાય ઘરેલુ ઉપાયમાં એક ઉપાય છે વિટામિન સીનું ભરપુર સેવન.

image source

હા, વિટામિન સીને પ્રચુર માત્રામાં લેવાથી જે તમે ફ્રુટ દ્વારા કે ગોળી દ્વારા મેળવી શકો છો. પણ તમારે 1500 મિલિગ્રામથી વધારે વીટામીન સી ન લેવું જોઈએ. તેના નિયમિત સેવનથી તમે ગર્ભવતી થતાં બચી શકોછો.

જો તમારા પિરિયડની તારીખ મિસ થઈ ગઈ હોય અને ઉપર 1-2 દિવસ થઈ ગયા હોય તો તે વખતે તમારે સતત પાંચ દિવસ સુધી 3000 મિલિગ્રામના પ્રમાણમાં વિટામીન સીનું સેવન કરવું જોઈએ. અને તેમ છતાં તમે પ્રેગ્નન્ટ થાઓ છો તો તેના માટે તમારે તમારા ગાયનેકની જ મુલાકાત લેવી જોઈએ.

image source

ગર્ભવતિ થતાં બચવાના કેટલાક કુદરતી ઉપાયો

image source

– આદુને ધોઈને તેને જીણું પીસી લેવું અને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં નાખી તેને તેમજ પાંચ મિનિટ સુધી રાખી તે હુંફાળા પાણીનુ સેવન કરવું. આ પ્રયોગ રોજ કરવાથી તમને ગર્ભવતી થવાનું જોખમ નથી રહેતું.

– શારીરિક સંબંધ બાંદ્યા બાદ તરત જ જો 2-3 ટુકડાં અંજીરના ચાવી લેવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા નહિવત થઈ જાય છે.

image source

– લીમડો આ બાબતમાં ઘણો અસરકારક સાબિતથઈ શકે છે. લીમડાનો અર્ક સ્પર્મની અંડકોશ સુધી પહોંચવાની ક્ષમતાને મારી નાખે છે અને તે રીતે સ્ત્રીને ગર્ભ નથી રહી શકતો. તેના માટે તમે લીમડાની ટેબલેટનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આ પ્રયોગ સ્ત્રીએ નહીં પણ પુરુષે કરવાનો હોય છે. તેમ કરવાથી થોડા સમય માટે પ્રેગ્નન્સીનું જોખમ ટળી જાય છે.

image source

– શારીરિક સંબંધ બાંધ્યા બાદ ત્રણ દિવસ સુધી પપૈયાનુ સેવન કરવાથી પણ ગર્ભ નથી રહેતો. તેમ કરવાથી જો તમારે ગર્ભ રહી પણ ગયો હોય તો તમારે ગર્ભપાત નથી કરાવવો પડતો.

આમ તમે કુદરતી રીતે પણ ગર્ભ થતાં અટકાવી શકો છો. જો કે તેમ છતાં તમારે તમારા ડોક્ટરની મુલાકાત લઈને તેમની યોગ્સ સલાહ લેવી જોઈએ. જેથી કરીને તમારા સ્વાસ્થ્યને હાની પહોંચ્યા વગર જતમે તમારા ગર્ભ રેહવાના ભયને દૂર કરી શકો.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.