શું કપિલ શર્મા શોના પહેલા ગેસ્ટ આ એક્ટર હશે? જે અત્યારે અનેક લોકોની સેવામાં છે વ્યસ્ત
દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનમાં હવે થોડી છૂટછાટ આપવામાં આવી છે. જો કે, સામાન્ય જનતાની જેમ જ સેલેબ્સ પણ ઓછા જ ઘરની બહાર નીકળી રહ્યા છે.
આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર સરકારએ ફિલ્મ સીટીમાં ૨૦ જુન શનિવારના રોજથી શુટિંગ શરુ કરવાની મંજુરી આપી દીધી છે.મંજુરી આપ્યા પછી ફિલ્મ સિટીમાં થનાર ‘ધ કપિલ શર્મા’ શોની શુટિંગની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અર્ચના પૂરણ સિંહ જણાવે છે કે, ફિલ્મ પ્રમોટ કરવા આવતા કલાકારો સિવાય આ વખતે શોમાં કોરોના વોરીયર્સ પણ જોવા મળવાના છે. હવે ખબર એવી છે કે, સોનુ સુદ શોના પહેલા ગેસ્ટ બનીને આવશે.
કોરોના વાયરસ સંક્રમણની મહામારી હજી પણ ઓછી થઈ નથી. આખી દુનિયામાં હજી પણ ઘણા બધા લોકો કોરોના વાયરસના સંકજામાં છે. હજારો લોકો રોજ મોતના મોમાં જઈ રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીની અસર જોવા મળી રહી છે. ભારતમાં પણ રોજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો કે, કોરોના વાયરસ સંક્રમણથી કેટલાક લોકો સાજા પણ થઈ ગયા છે. દેશમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. જો કે, સામાન્ય જનતાની જેમ જ સેલેબ્સ પણ ઘરની બહાર ઓછા જ નીકળી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ફિલ્મ સિટીમાં ૨૦ જુનથી શુટિંગ શરુ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે.
કપિલ શર્મા શોની તૈયારી :
મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ મંજુરી પછી ફિલ્મ સિટીમાં શૂટ થનાર ‘ધ કપિલ શર્મા’ શોની શુટિંગની તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે. અર્ચના પૂરણ સિંહ જણાવે છે કે, ફિલ્મને પ્રમોટ કરવા માટે આવતા કલાકારો સિવાય આ વખતે શોમાં કોરોના વોરીયર્સ પણ જોવા મળવાના છે. હવે ખબર એવી છે કે, સોનુ સુદ ‘ધ કપિલ શર્મા’ શોના પહેલા ગેસ્ટ બનીને આવશે.
આ દિવસથી શરુ થશે શુટિંગ :
રીપોર્ટની માનીએ તો ૨૪ જુન, ૨૦૨૦ બુધવારના રોજથી ‘ધ કપિલ શર્મા’ શોની શુટિંગ ચાલુ કરવા જઈ રહ્યા છે. ‘ધ કપિલ શર્મા’ શોમાં કોરોના વોરીયર્સને બોલાવવામાં આવશે. રીપોર્ટ મુજબ પ્રવાસી મજુરોને ઘરે મોકલનાર સોનુ સુદ પહેલા મહેમાન બનીને આવશે. મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સેટ પર અત્યારે ફક્ત 33 % કૃ મેમ્બરની સાથે જ શુટિંગ કરવાની મંજુરી આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખતા ‘ધ કપિલ શર્મા’ શોને ઓડીયન્સ વગર શો શૂટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આતુરતા પૂર્વક રાહ જોવે છે.:
અર્ચના પૂરણ સિંહ એક ઇન્ટરવ્યુમાં જણાવે છે કે, ‘હું, ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક વોટ્સ એપ ગ્રુપ પર આ જ વાતચીત કરતા રહીએ છીએ કે, અરે શો શરુ ક્યારે થશે. કૃષ્ણા તો એકદમ પાગલ જેવો થઈ ગયો છે. તે કહે છે કે, મારી પાસે હવે કોમેડી કરાવો. વગર કોમેડી કરીએ રહેવાતું નથી. ભારતી સિંહ કહે છે કે, ક્યાં સુધી પોતાના જ વાસણ ઘસતા રહીશું અને કપડા ધોતા રહીશું. અમારું જે અસલી કામ છે. તેને અમને કરવાનો અવસર મળવો જોઈએ. હવે ઘરે નથી બેસી શકાતું.’
Source : AsianetNews
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત