જો તમે ગુરુવારે કરશો આ ઉપાય, તો લગ્નમાં નહિં આવે કોઇ વિધ્ન

આપે ગુરુવારના દિવસે કરવા જોઈએ આ ઉપાય, વિવાહમાં આવી રહેલ વિઘ્નો થઈ જશે દુર.

ગુરુવારના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવા માટે વિશેષ માનવામાં આવે છે. ત્યાં જ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ કુંડળીમાં ગુરુ ગ્રહ મજબુત હોવાના લીધે વ્યક્તિના જીવનની બધું મુશ્કેલીઓ દુર થઈ જાય છે અને જ્ઞાન અને ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

image source

આ સાથે જ અવિવાહિત વ્યક્તિઓના લગ્નમાં આવતી મુશ્કેલીઓ દુર થઈ જાય છે. નહી તો આવી વ્યક્તિઓના જીવનમાં સમસ્યાઓથી ઘેરાયેલા રહેતા હોય છે એવામાં જો આપ પણ ભાગ્યને મજબુત બનાવવા ઈચ્છો છો તો ગુરુવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. આજે અમે આપને ગુરુવારના દિવસે કરવામાં આવતા ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ ગુરુવારના દિવસે કરવામાં આવતા ઉપાયો વિષે..

image source

ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આપે દર ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુના નામે વ્રત રાખવું જોઈએ. આપે ભગવાન વિષ્ણુની મૂર્તિનું પૂર્ણ વિધિ- વિધાનની સાથે પૂજા કરવાની સાથે વ્રત કરનાર વ્યક્તિએ પીળા રંગના પુષ્પ, પીળા રંગના વસ્ત્ર, ચંદન વગેરે સામગ્રીને ચઢાવવી જોઈએ. ગોળ અને ચણાની દાળને પ્રસાદ તરીકે અર્પણ કરવું જોઈએ. ત્યાર બાદ વ્રત કરનાર વ્યક્તિએ ભગવાન સત્યનારાયણના વ્રત કથાને સાંભળવી કે પછી વાંચવી જોઈએ.

image source

આની સાથે જ વ્રત કરનાર વ્યક્તિએ પોતે પણ આ શુભ દિવસે પીળા રંગના વસ્ત્રોને પહેરવા જોઈ. જે વ્યક્તિઓના લગ્નમાં કોઈને કોઈ વિઘ્નો આવી રહ્યા છે તો તેમણે ગુરુવારનું વ્રત રાખવું જોઈએ. આ સાથે જ ગુરુવારના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને કેળાના ઝાડને પાણીમાં ચપટી ભરીને હળદર ભેળવીને અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી જે વ્યક્તિઓના વિવાહમાં આવી રહેલ વિઘ્નો દુર થઈને વિવાહના સંયોગો બનતા જાય છે એટલું જ નહી ગુરુવારના દિવસે વ્રત કરનાર વ્યક્તિને મનોવાંછિત વર પણ પ્રાપ્ત થાય છે.

image source

ગુરુવારના દિવસે પીળા રંગના વસ્ત્રોને પહેરવાથી વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે એટલું જ નહી, ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત કરવાથી વ્યક્તિનું સમાજમાં માન- સમ્માન વધવાની સાથે સાથે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. ભગવાન વિષ્ણુનું વ્રત કરવાના લીધે તે વ્યક્તિના જીવનમાં દેવી લક્ષ્મીની પણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે.

image source

જેના પરિણામ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું ગુરુવારના દિવસે વ્રત કરવાથી તેમના જીવનમાં હંમેશા માટે દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. એટલા માટે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત કરવાથી વ્યક્તિના વિવાહમાં આવતા વિઘ્નો તો દુર થાય જ છે ઉપરાંત દેવી લક્ષ્મીની પણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત