વાળનું સફેદ થવું એ સામાન્ય વાત બની છે. આધુનિક જીવનશૈલીના કારણે વાળ ઝડપથી સફેદ થાય છે. તેનું ખાસ કારણ છે વાળમાં મેલનિનનું પિગ્મેન્ટ. આ જ્યારે બનવાનું ઓછું થાય છે ત્યારે વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. જો તમે આમળા સાથે નારિયેળ તેલ મિક્સ કરીને લગાવશો તો તમને ઝડપથી તમારા વાળમાં ફરક જોવા મળશે.
આ રીતે કરો આમળા અને નારિયેળ તેલનો ઉપયોગ
સૌ પહેલાં આમળા પાવડર અને નારિયેળ તેલ મિક્સ કરો. તેને 15-20 મિનિટ માટે ઉકાળો. તેને ઠંડું થવા માટે રાખો અને 24 કલાક આમ જ રહેવા દો. અન્ય દિવસે તેને વાળના સ્કલ્પમાં લગાવો. આ મિશ્રણને સતત અઠવાડિયામાં 2 કે 3 વાર વાળમાં લગાવો. લગાવ્યા બાદ હળવા હાથે મસાજ કરો. તેનાથી તે વાળના મૂળમાં જશે અને તમને ફરક જોવા મળશે.
આ સિવાય તમે આ ઉપાયો પણ કરી શકો છો.
સફેદ વાળ માટે તલનું તેલ પણ લાભદાયી રહે છે. તલના તેલની માલિશ કરવાથી અને ડાયટમાં પણ આ તેલ લેવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે.
નેચરલ હેર ડાઈ જેમકે મહેંદી, ચાની ભૂકી, બીટનો રસ પણ વાળ માટે વિટામીન્સ પૂરા પાડે છે અને તેનો રંગ પણ કાયમ રહે છે. આ સિવાય નિયમિત હેર ડાઈ પણ વાળનું ખરવું ઘટાડે છે.
નારિયેળ તેલની સાથે લીમડાના પાનને 10 મિનિટ ઉકાળી તેને ગાળી લો. તેને ઠંડું થવા દો. હવે સ્કલ્પમાં મસાજ કરો. એક-બે કલાક વાળમાં તેને રહેવા દો અને પછી શેમ્પૂ કરી લો. અઠવાડિયમાં 2-3 વાર આ પ્રક્રિયા કરવાથી વાળમાં નવી ચમક આવે છે અને વાળ કાળા થાય છે.