આ 3 વસ્તુઓથી હાથ પરની કરચલીઓને કરી દો તરત જ છૂ, જાણી લો અસરકારક ઉપાયો
આપણા વૃદ્ધત્વનાં લક્ષણો આપણા ચહેરાની સાથે આપણા હાથ પર પણ દેખાય છે. ચહેરાની જેમ આપણા હાથમાં પણ કરચલીઓ દેખાવવા લાગે છે. બીજી તરફ, હાથની યોગ્ય કાળજી ન લેવાને કારણે પણ વ્યક્તિને આવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
આને કારણે, હાથ વૃદ્ધ, રફ અને કરચલી જેવા દેખાવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં, તમે તેના માટે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો આજે આપણે હાથની કરચલીઓ ઘટાડવા માટેની કેટલીક ખાસ ટીપ્સ આ લેખ દ્વારા જાણીશું.
ઓલિવ ઓઇલ :
આ ઓઇલને ત્વચા અને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ત્વચાને નરમ અને જવાન બનાવે છે. તે હાથ પરની કરચલીઓ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તે ત્વચાને ઉંડે સુધી પોષણ આપે છે, અને ડેમેજ સેલ્સને નુકસાન પહોંચાડે છે.
આવી સ્થિતિમાં, તમે તેનો ઉપયોગ તમારા હાથ પર કરચલીઓ ઘટાડવા માટે પણ કરી શકો છો. આ માટે, તમારે ફક્ત ઓલિવ તેલના થોડા ટીપાં લેવાની જરૂર છે અને હાથની માલિશ કરવાની જરૂર છે. આની મદદથી તમારા હાથની કરચલીઓ ઓછી થશે અને તમારા હાથ સ્વચ્છ, નરમ અને સુંદર પણ દેખાશે.
કોકોનટ ઓઈલ :
ચહેરાની જેમ, નાળિયેર તેલ પણ હાથની કરચલીઓ ઘટાડવા માટે ખૂબ અસરકારક રહે છે. આ માટે આઠ થી દસ મિનિટ સુધી હાથથી માલિશ કરો. તેને થોડા દિવસો સુધી સતત લગાવવાથી, તમે તેમાં ફરક જોઈ શકશો. નાળિયેર તેલ ત્વચાની પેશીઓને સારી કરી કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે ત્વચાની રંગતને પણ સાફ કરશે. નાળિયેર તેલની રાત્રે હાથ પર માલિશ કરવાથી ફાયદો થશે.
એલોવેરા જેલ :
આ જેલમાં એન્ટિવાયરલ, એન્ટી-એજિંગ ગુણધર્મો હોય છે. તે ત્વચામાં ફાઈબ્રોબ્લાસ્ટ્સને સક્રિય કરે છે. આ કોલેજન અને ઇલાસ્ટિન રેસાની રચના કરવામાં મદદ કરે છે. આ રીતે, ત્વચામાં વધેલી ઇલાસ્ટિસિટીના કારણે કરચલીઓ થવાની શક્યતા ઓછી છે.
આ સિવાય તે હાથની ઢીલી ત્વચાને કડક કરવાનું પણ કામ કરે છે. આ માટે, એલોવેરા જેલની હાથમાં દસ થી પંદર મિનિટ સુધી માલિશ કરો. બાદમાં તેને પાણીથી ધોઈ લો. જો તમે ઇચ્છો, તો તમે તેને આખી રાત પણ રાખી શકો છે. તે કરચલીઓ દુર કરે છે, તેમજ હાથને સાફ અને નરમ પણ રાખે છે.
ચણાનો લોટ :
કરચલીની સમસ્યા દુર કરવા માટે ચણાનો લોટ અને દહીંની પેસ્ટ બનાવીને પણ લગાવી શકાય છે. આ પેસ્ટને તમારા હાથ અને ચહેરા પર લાગવી રાખો. ત્યાર બાદ તે સુકાય જાય પછી તેને પાણી થી સાફ કરી લો. આ રીતે તેમાં દૂધ પણ મિક્સ કરી શકો છો. આ ઉપાય કરવાથી તમારા હાથની અને ત્વચાની કરચલી ઓછી થવા લાગે છે.
લીંબુનો રસ અને દૂધ :
એક બાઉલમાં અડધો લીંબુનો રસ અને બે ચમચી દૂધ ઉમેરો. આ પેસ્ટને તમારા હાથ પર વીસ મિનિટ માટે લગાવો અને પછી તેને ધોઈ નાખો. આ ઉપાય કરવાથી તે આપણા હાથને નરમ અને સાફ બનાવે છે.