Site icon News Gujarat

5 પુત્રીઓ સાથે પત્નીએ કરી આત્મહત્યા, પતિ બોલ્યો..’હું તો શરાબી છું એણે વિચારવું જોઈએ ને…’

છત્તીસગઢથી આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક માતાએ તેની પાંચ પુત્રી સાથે ટ્રેનની નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. ગુરુવારે સવારે પોલીસે રેલ્વે ટ્રેક પર પડેલા તમામના મૃતદેહ મળી આવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આ દુખદાયક ઘટના દરમિયાન મહિલાનો પતિ દારૂ પીધા બાદ ઘરે સૂતો હતો. બપોર પછી, જ્યારે તે જાગી ગયો અને બધી માહિતી મેળવી, તેણે કહ્યું – હુ તો દારૂ પીવ છુ, પરંતુ તેણે દરેક માટે વિચારવું જોઈએ. આમ કરતા પહેલાં તેણે બાળકો અને પરિવારના સભ્યો વિશે વિચારવું જોઈએ.

image source

તમને જણાવી દઈએ કે નમલિભાંઠા નહેર પોલીસની નજીક રેલ્વે ટ્રેક પર પોલીસને ઘણી લાશો વેરવિખેર મળી હતી. તેની ઓળખ થવા પર મહિલાના ભત્રીજાએ જણાવ્યું કે પતિના દારૂ પીવાના લઇને બંને વચ્ચે ઘણી વખથ વિવાદ થતો હતો. પોલીસને શંકા છે કે મહિલાએ આ મામલે આ પ્રકારનું જોખમી પગલું ભર્યું હતું. પોલીસને તપાસ દરમિયાન નામ અને સરનામાં વિશે જાણ થતાં તે બેમચા પહોંચી હતી. પોલીસે મહિલાના પતિ કેજરામને કસ્ટડીમાં લીધો છો.

પતિને આ ઘટનાનો અફસોસ નથી

image source

કેજરામે પોતાને બચાવવા કહ્યું કે તે લાંબા સમયથી પત્ની અને બાળકોની શોધમાં હતો. તેણે કહ્યું કે બુધવારે સાંજે તેની પત્ની સાથે દારૂ પીવાને લઇને તકરાર થઈ હતી. તે પછી તે જમ્યા પછી સુઈ ગયો. જ્યારે હું રાત્રે 12 વાગ્યાની આસપાસ જાગ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું.

તેમણે કહ્યું કે મેં વિચાર્યું કે દરેક અહીં ક્યાંક આસપાસ હશે અને હું સૂઈ ગયો. કેજરામને જરા પણ અફસોસ નહોતો કે તેની પત્ની અને બાળકો હવે આ દુનિયામાં નથી. તેની ખરાબ ટેવને કારણે તેણે આટલું કડક પગલું ભર્યું. કેજરામે પોલીસને જણાવ્યું હતું કે જો તે આત્મહત્યા કરીને મરી ગયા તો આમાં હું શું કરી શકું છું મેં તેની શોધ કરી હતી પરંતુ તે મળી શક્યા નહીં.

પુત્રીના લગ્ન માટે પણ દબાણ હતું

image source

મળતી માહિતી મુજબ કેજરામની પત્નીનું નામ ઉમા (45) હતું. તેમની મોટી દીકરી 12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. નાની પુત્રી (9), બે પુત્રી 8 માં ધોરણમાં હતી જ્યારે સૌથી નાની પુત્રી ત્રીજા ધોરણમાં ભણતી હતી. કેજરામ મુજબ દીકરીના લગ્ન માટે ઘણુ દબાણ હતુ. લગ્નને લઈને પણ ઘણા ઝઘડા થયા હતા. તેણે પોલીસને કહ્યું કે માત્ર દીકરીઓ હોવાને લઈને ઘરમાં ક્યારેય વિવાદ થયો નથી.

પોલીસે પતિને મુખ્ય આરોપી બનાવ્યો

image source

જણાવવામાં આવી રહ્યું છે કે આત્મહત્યા કરનારી મહિલા કબીર પંથમાં વિશ્વાસ રાખે છે, તેથી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ તેને દફનાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટના માટે પતિ કેજરામને જવાબદાર ગણાવી પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી બનાવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ કેજરામ વિરૂધ્ધ આત્મહત્યા અંગે પ્રેરિત કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version