મળો રેવતી સંપતને, જેણે 14 લોકો પર યૌન શોષણનો આરોપ લગાવ્યો અને મચાવી દીધી મલયાલમ સિનેમામાં ધમાલ

વાત 15 જૂન 2021ની છે. આ દિવસે મલયાલમ સિનેમા જગતમાં મોટો ખળભળાટ જોવા મળ્યો. જ્યારે જાણીતી અભિનેત્રી રેવતી સંપતે ઈન્ડસ્ટ્રીના 14 લોકો પર ઉત્પીડનનો ગંભીર આરોપ લગાવ્યો હતો. રેવતીએ એક ફેસબુક પોસ્ટ કરી હતી. જેમાં તેણે એ 14 લોકોના નામ આપ્યા અને યૌન શૌષણનો આરોપ લગાવ્યો . તેમાં એક નામ જાણીતા અભિનેતા સિદ્દીકીનું પણ છે. પોતાના આરોપીઓના નામનો ખુલાસો કરતા રેવતીએ ફેસબુક પોસ્ટમાં એ પણ સંકેત આપ્યા છે કે તેઓને તેનો કોઈ ડર નથી કે તે ગુનેગારોનો ચહેરો મીડિયા સામે લાવી રહી છે.

image source

આ લિસ્ટ ખૂબ લાંબુ છે, જેમાં અનેક લોકોના નામ સામેલ છે. રેવતીના ખુલાસાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હલાવીને રાખી દીધી છે. આ આરોપો પર એ 14 લોકોમાંથી કોઈની પણ પ્રતિક્રિયા સામે આવી નથી. અભિનેત્રીએ કરેલા ખુલાસાને લઈને ફેન્સ પણ હેરાન છે. રેવતીએ કરેલા ખુલાસા બાદ મલયાલમ ઈન્ડસ્ટ્રી શંકાના ઘેરામાં આવી છે. સોશ્યલ મીડિયા યૂઝર્સે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા જાહેર કરી છે અને સાથે પોતાનો ગુસ્સો પણ જાહેર કર્યો છે.

અભિનેત્રીના આરોપો સાથે જોડાયેલા છે પાંચ મુખ્ય મુદ્દા

અભિનેત્રીએ પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે આ 14 લોકોએ તેમનું શારિરીક નહીં પણ યૌન રૂપે પણ ભાવનાત્મક અને માનસિક રીતે ઉત્પીડન કર્યું છે. રેવતીએ આ લોકોને અપરાધી ગણાવ્યા છે.

image source

રેવતીએ સિદ્દીકી સિવાય આ લિસ્ટમાં જાણીતા નિર્દેશક રાજેશનું નામ પણ લખ્યું છે. જે અનેક નેશનલ અને સ્ટેટ લેવલની ફિલ્મો માટે એવોર્ડ જીતી ચૂક્યા છે.

રેવતીએ આ લિસ્ટમાં ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેતા નંદુ અશોકણ સહિત પોલિસ વિભાગથી લઈને અનેક પ્રોફેશન સાથે જોડાયેલા લોકોને નામ આપ્યું છે જેમાં એક ડોક્ટર પણ છે.

image source

અભિનેત્રીના ખુલાસા બાદ તેમની પોસ્ટ પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક તરફ લોકો તેના આ પગલાંને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે તો અન્ય તરફ અનેક લોકોએ રેવતીનું સમર્થન પણ કર્યું છે.

પોતાની આ પોસ્ટમાં રેવતીએ એક સામાન્ય માણસનો ફોટો પણ શેર કર્યો છે જેણે તેઓએ પોતાના અબ્યુઝર ગણાવ્યો છે.

જાણો કોણ છે રેવતી સંપત

રેવતી સંપત મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. રેવતીએ ફિલ્મ પટનાગઢથી કરિયરની શરૂઆત કરી હતી. તેઓએ વર્ષ 2018માં વિષ્ણુ ઉદ્યન દ્વારા નિર્દેશિત ફિલ્મ વક્તથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી. તેમની ફિલ્મ એક વર્ષ બાદ રીલિઝ થઈ હતી. ત્યાર બાદ તેઓએ અનેક ફિલ્મોમાં કામ કર્યું.

image source

એક્ટિંગ સિવાય 27 વર્ષની રેવતી સામાજિક કાર્યકર્તાની રીતે પણ કામ કરે છે. રેવતીએ કોયમ્બતૂરના કેએસજી કોલેજ ઓફ આટ્સ એ્ડ સાયન્સથી અભ્યાસ કર્યો છે. રેવતીએ અનેક વાર જેન્ડર ઈક્વેલિટીની વાતને લઈને પણ ચર્ચા કરી છે. તે હંમેશા પોતાની વાત કોઈ પણ ડર વિના રાખે છે.