ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે સોમવારે શપથ લીધા છે અને હવે તેમનું નવું મંત્રીમંડળ 16 સપ્ટેમ્બરે શપથ લેશે. જી હાં ગુજરાત રાજ્યને નવા મુખ્યમંત્રી સાથે નવું મંત્રીમંડળ મળશે જે પણ નક્કી થઈ ચુક્યું છે. હાલ જે ચર્ચાઓ છે તે અનુસાર 16 સપ્ટેમ્બરે નવા મંત્રીઓ પદના શપથ લેશે. તેમનો શપથગ્રહણ સમારોહ પણ રાજભવનમાં યોજાશે.
રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં જે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે તે લોકો માટે પણ આંચકા સમાન જ છે. નવા મુખ્યમંત્રી પાટીદાર હશે તે વાત સાબિત થઈ ચુકી છે અને હવે લોકોની, કાર્યકર્તાઓની નજર રાજ્યનાં નવા મંત્રીમંડળ પર મંડાયેલી છે. જ્યારથી નવા મંત્રીમંડળની વાત સામે આવી છે ત્યારથી ચર્ચાઓ તેજ એવી પણ થઈ છે કે મંત્રીમંડળમાં પણ નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે. જેમાં પણ ચાર પાટીદાર, બે ક્ષત્રિય, એક આદિવાસી, એક આહીર, એક કોળી, એક બ્રહ્મ સમાજના મંત્રીનું પત્તું કપાશે તેવો ગણગણાટ છે.
રાજ્યના મંત્રીમંડળમાં અત્યાર સુધીમાં જે પાટીદાર નેતાઓ છે તેમાં નીતિન પટેલ છે પરંતુ નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે તેવો ગણગણાટ શરુ થયો છે. આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતા છે.
મંત્રી પદ માટે આ નેતાઓના નામની ચર્ચા
બ્રિજેશ મેરાજા- મોરબી
જીતુ ચૌધરી- કપરાડા
મોહન ઢોડિયા- મહુવા- સુરત
હર્ષ સંઘવી- મજૂરા
કિર્તિસિંહ વાઘેલા- ભાભર
ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ
રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા
કિરિટસિંહ રાણા- લીંબડી
જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ
નીમાબેન આચાર્ય- ભુજ
આત્મારામ પરમાર- ગઢડા
પંકજ દેસાઇ- નડિયાદ
આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર
જે.વી.કાકડિયા- ધારી
ઋષિકેશ પટેલ- વિસનગર
શશિકાંત પંડયા- ડીસા
રાકેશ શાહ- એલિસબ્રિજ
દેવા માલમ- કેશોદ
કોના પત્તા કપાવાનો ચાલે છે ગણગણાટ
નીતિન પટેલ- મહેસાણા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા- ધોળકા
સૌરભ પટેલ- બોટાદ
ઇશ્વર પરમાર- બારડોલી
વિભાવરીબેન દવે- ભાવનગર પૂર્વ
વાસણ આહિર- અંજાર
કિશોર કાનાણી- વરાછા
યોગેશ પટેલ- માંજલપુર
પુરસોતમ સોલંકી- ભાવનગર ગ્રામ્ય
જયદ્રતસિંહ પરમાર- હાલોલ
રમણ પાટકર- ઉમરગામ