આ ઉપાય વિદેશયાત્રાની દરેક સમસ્યાઓમાંથી તમને અપાવશે મુક્તિ, અજમાવો એક વાર

ઘણીવાર કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસની એવી આશા કરે છે કે વિદેશ યાત્રા થશે કે નહી અને થશે તો ક્યારે થશે અને કેટલા સમય દરમિયાન થશે, હું મારા પરિવાર સાથે વિદેશ યાત્રા પર જઈશ કે એકલો પ્રવાસ કરીશ?

image source

આજના વિશ્વમાં વિદેશમાં અનેક સુવિધાઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સુવિધાઓ અને બીજી ભૌતિક સુખ-સુવિધાઓ એકઠી કરવા માટે વિદેશ પ્રવાસ, કે વિદેશ જીવન આજે દુનિયામાં સુખ-સમૃદ્ધિનું પ્રતીક બની ગયું છે. આજે લગભગ દરેક વ્યક્તિ વિદેશમાં જઈને પૈસા કમાવવા માંગતો હોય છે, અને પોતાના અને તેના પરિવારના લોકોના જીવનને ખુશીથી ભરવા માંગે છે પરંતુ, તેમાં કેટલીક વાર એવા અવરોધો આવે છે, જે તેના સ્વપ્નાને તોડી નાખે છે, અને વિદેશ પ્રવાસનું પોતાનું સ્વપ્ન અધૂરું રહી જાય છે. આ સમસ્યાઓ માંથી છૂટકારો મેળવવા માટેની એવી ઘણી રીતો આ લેખમાં બતાવવામાં આવી છે.

image source

વિદેશ પ્રવાસની તમારી ઇચ્છા પૂરી કરવા માટે આ ઉપાય એક વખત ચોક્કસ કરો. આ ઉપાય કોઈપણ સંક્રાંતિના દિવસે કરવો. તેમાં સફેદ તલ અને થોડો ગોળ લો. સૂર્યાસ્ત સમયે તેને માટીના કુંડામાં મૂકો અને તેને ઝાડના પડી ગયેલા પાંદડાથી ઢાંકી દો. પછી તેને એક એકેના છોડના મૂળમાં મૂકો. તેને મુક્યા બાદ તે રસ્તામાં પાછું વળીને ન જોવું જોઈએ. ત્યાર બાદ ઘરે આવીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતા પાણીમાં થોડો શુદ્ધ કેસર મિક્સ કરવો . ગુરુના આશીર્વાદ થી એકવાર આનો જરૂર ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવાથી વિદેશ યાત્રા પર જવાની તક મળે છે.

આજકાલ મોટાભાગના લોકો રોજગાર અથવા લગ્નમાં ફરવા માટે વિદેશ પ્રવાસ કરવા માંગે છે, પરંતુ કોઈ કારણસર તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નિમ્ર મંત્રનો જાપ કરવો તેમના માટે ખુબ સારો રહેશે.

મંત્ર- ‘ૐ અનંગ બલ્લભયે દેશ ગામનાયા કાર્યા સિદ્ધાયર્થી નમઃ’

image source

કોઈપણ શુક્લ પક્ષના શુભ શુક્રવારના દિવસે સફેદ સુતરાઉ બેઠક પર સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને બેસી તમારી સામે લાકડાના પાટલા પર સફેદ કપડું મૂકી તેના પર યોગ્ય શંખ મૂકી કેસરમાંથી સ્વસ્તિક ચિહ્ન અને તિલક કરવું, આદરપૂર્વક સ્ફટિકની માળાથી તમને જણાવેલ મંત્રનો જાપ કરો. મંત્રજાપના અંતે, યોગ્ય શંખને તે સફેદ કપડામાં સારી રીતે વીટી લો, અને તેને તેના પૂજા સ્થળ પર મૂકવું, આ ઉપાય કરવાથી વિદેશ પ્રવાસની સંભાવનાને તે મજબૂત બનાવે છે.

image source

વિદેશ ગયેલા વ્યક્તિને યાદ કરવા સવારે સ્નાન કર્યા બાદ કાગળ પર તે વ્યક્તિનું નામ લખી લો. ત્યાર પછી લોટનો દીવો બનાવો, તેમાં સરસવનું તેલ ઉમેરી ને દીવાને પ્રગટાવો. પહેલા નીચે જમીન પર મીઠું મૂકો, ત્યાર પછી તેના પર નામ લખો અને તેના પર કાગળ મૂકો. વિદેશ ગયેલા વ્યક્તિને યાદ કરી ૪૩ દિવસ સુધી સતત અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આ ઉપાય કરવાથી જે વ્યક્તિ વિદેશ ગયો છે, તે પાછો ઘરે આવી જશે.