ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધોરણ 9 થી 12ની પરીક્ષાના સમયમાં ફેરફાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી12માં જે મુખ્ય વિષયોની પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રોથી લેવનારી છે તેમાં સમય અને કોર્સ માળખામાં ફેરફાર થયો છે.જે મુજબ જુનથી ઓગસ્ટનો કોર્સ 100 ટકા રહેશે અને માત્ર સપ્ટેમ્બર માસનો કોર્સ 50 ટકા મુજબનો રહેશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટીના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 9 થી12ની પ્રથમ કસોટી એકસાથે 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ કસોટી માટેના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા અપાશે. સ્કૂલો દ્વારા ફરજિયાત બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રશ્નપત્ર અને સમયપત્રક મુજબ જ પરીક્ષા લેવી પડશે. પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે પ્રથમ કસોટીમાં ધોરણ 9 થી 11 અને 12 સામાન્ય પ્રવાહમાં 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો અને 80 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવશે. આ સિવાય ધોરણ 12 સાયન્સમાં 50 ગુણના MCQ અને 50 ગુણના વર્ણનાત્મક પ્રશ્નો રહેલા હશે.
અગાઉ જાહેર કરવામા આવેલા ટાઈમ ટેબલ મુજબ ધો.9 અને 11માં સવારે 11થી1ની પરીક્ષા હતી.જેમાં ફેરફાર કરીને હવે સવારે 10:30થી12:30 દરમિયાન લેવાશે જ્યારે ધો.10 અને 12માં અગાઉ જે 11થી2ની પરીક્ષા હતી તે હવે 2થી5 દરમિયાન લેવાશે.9-11માં બે કલાકની અને 10-12માં ત્રણ કલાકની પરીક્ષા રહેશે.
આગામી 18મી ઓક્ટોબરથી ધો.9થી12ની પ્રથમ સત્રની પરીક્ષા શરૂ થનાર છે.જેમાં ગણિત,વિજ્ઞાાન,અંગ્રેજી અને એકાઉન્ટ, બાયોલોજી, ફિઝિક્સ,કેમિસ્ટ્રી સહિતના મુખ્ય વિષયોની પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરીને દરેક જિલ્લાની સ્કૂલોમાં મોકલવામા આવનાર છે.જ્યારે બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલ કે એસવીએસ કક્ષાએથી પ્રશ્નપત્રો તૈયાર કરી લેવામા આવનાર છે.
આગામી ધોરણ-9થી12 ની પ્રથમ સત્ર માટેની પરીક્ષા 18 થી ઓક્ટોબર શરૂ થશે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને એકાઉન્ટ, બાયોલોજી, ફિઝિક્સ,કેમિસ્ટ્રી સહિતના મુખ્ય વિષયોના પરીક્ષાના પ્રશ્નપત્રો બોર્ડ સ્તરેથી તૈયાર કરીને દરેક જિલ્લાની શાળાઓમાં મોકલવામાં આવશે. જ્યારે બાકીના વિષયોની પરીક્ષા સ્કૂલ કે એસવીએસ કક્ષાએથી પ્રશ્નપત્રો તૈયાર કરી લેવામા આવનાર છે
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12 ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સિવાય પરીક્ષા અંગેની સૂચનાઓ બહાર પાડી હોવાનું સામે આવ્યું છે. આ મુજબ આ પરીક્ષાનું આયોજન 18 થી 27 ઓક્ટોબર દરમિયાન કરવા માટે કહેવામાં આવ્યું છે.
તેની સાથે બોર્ડ દ્વારા ધોરણ 9 અને 10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ધોરણ 11 અને 12 સાયન્સમાં અંગ્રેજી, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ અને ગણિત તેમજ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી, નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયોની પરીક્ષાના પ્રશ્નપત્રો અને સમયપત્ર બોર્ડ દ્વારા તૈયાર કરાશે. આ સિવાયના વિષયોના પેપર શાળા કક્ષાએ તૈયાર કરવા પડશે. જ્યારે સમગ્ર રાજ્યમાં એકસાથે પરીક્ષા લેવાય તે માટે બોર્ડ દ્વારા કાર્યક્રમ જાહેર કરાયો છે.
બોર્ડ દ્વારા માસ દરમિયાન ચેપ્ટર-કોર્સ સહિતનું માળખુ જાહેર કરવામા આવ્યુ છે.જે મુજબ પરીક્ષા લેવામા આવનાર છે.જેમા જુનથી ઓગસ્ટના મહિનાઓનો પુરો 100 ટકા કોર્સ રહેશે અને માત્ર સપ્ટેમ્બરનો 50 ટકા કોર્સ રહેશે.જ્યારે ધો.10માં આ વર્ષથી લાગુ બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પ્રથમ અને દ્રિતિય પરીક્ષામાં બંનેના પેપરો સમાન જ રહેશે.અલગ અલગ નહી કાઢવમા આવે.સ્કૂલ કક્ષાએ કોઈ ફેરફાર નહી કરવામા આવે.
આ સિવાય પ્રથમ કસોટીને લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એક અધિકારી દ્વારા નોડલ અધિકારી તરીકે નિમવામાં આવશે. નોડલ અધિકારી દ્વારા એક ગોપનીય ઈ-મેઈલ આઈડી બનાવવું પડશે. નોડલ ઓફિસરના વિષયોના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં પ્રશ્નપત્રોની સીલબંધ કોપી પરીક્ષાના 12 દિવસ પહેલા એટલે કે 5 ઓક્ટોબરના રોજ રૂબરૂમાં તેમને અપાશે.
આ નોડલ અધિકારીઓની મીટિંગ અને પ્રશ્નપત્ર સ્વીકારવા માટે 5 ઓક્ટોબરના બોર્ડની કચેરીએ હાજર થવું પડશે. જ્યારે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવનારા પ્રશ્નપત્રોનો જ પરીક્ષામાં ઉપયોગ કરવો પડશે. જ્યારે અન્ય પ્રશ્નપત્રનો ઉપયોગ કરી શકાશે નહીં. આ સિવાય સમયપત્રકમાં ફેરફાર પણ કરી શકાશે નહીં. પ્રથમ કસોટીના પ્રશ્નપત્રો જૂનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમને અનુલક્ષીને તૈયાર કરાશે. આ વખતે ઘટાડેલા અભ્યાસક્રમને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ધોરણ 9 થી 11 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્નો રહેવાના છે. જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો રખાશે.
તેની સાથે ધોરણ 9 અને ધોરણ 11ના પ્રશ્નપત્ર 50 ગુણના અને 2 કલાકના જ રહેશે. જ્યારે ધોરણ 10 ના પ્રશ્નપત્ર 80 ગુણ અને 3 કલાકના જ્યારે ધોરણ 12ના પ્રશ્નપત્ર 100 ગુણ અને 3 કલાકના જ રહેશે. પ્રશ્નપત્ર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા છપાવીને શાળાએ મોકલવામાં આવશે અને તેનો ખર્ચ સ્કૂલો પાસેથી વસૂલવામાં આવશે.