મિત્રો, આપણા વાળ પર સફેદીની પરત ચડી જવી એ એક ખુબ જ ગંભીર સમસ્યા છે અને આ સમસ્યાનો મોટાભાગના લોકો સામનો કરી રહ્યા છે. વાળનો સીધો જ સંબંધ એ આપણા ભોજન સાથે છે. જો તમે ઈચ્છો તો અકાળે વાળ પર ચડતી સફેદીની પરતને તમે દૂર કરી શકો છો.
આ સમસ્યાનો હાલ મોટાભાગના લોકો સામનો કરી રહ્યા છે. જો તમારી ખાણીપીણી અને દૈનિક દિનચર્યા શિસ્તબદ્ધ હોય તો આ સમસ્યાને તમે ઘણી હદ સુધી ટાળી શકો છો. ડૉક્ટરોનુ કહેવુ છે કે, ૨૦ વર્ષ પછી વાળ પર સફેદીની પરત ચડવા લાગે છે અને જ્યારે પણ વાળ પર સફેદીની પરત ચડવા લાગે છે ત્યારે તમારે તે સમજી લેવુ કે, શરીરમા પુષ્કળ માત્રામા પ્રોટીન અને કોપર ધાતુની ઉણપ સર્જાઈ રહી છે.
ઘણીવાર ગંભીર બીમારીના કારણે પણ તમારા વાળ પર સફેદીની પરત ચડી જાય છે અને આવી સ્થિતિમા તમારે તુરંત જ દાકતરની સહાયતા લેવી જોઈએ. વાળ પર સફેદીની પરત ચડ્યા પછી પણ ફરીથી તેને પહેલા જેવા કરી શકાય છે. બસ, આ માટે તેના પર થોડું ધ્યાન આપવાની જરૂર છે.
આપણે સૌ જાણીએ છીએ કે, વિટામિન એ આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. જ્યારે શરીરમા વિટામિન-બીની ઉણપ થાય છે, ત્યારે તેની અસર આપણા વાળ પર દેખાય છે. વાળ પર સફેદીની પરત ચડવા લાગે છે, કેટલીક વાર તો માથાના વાળ ખરવા લાગે છે. આ ઉપરાંત વિટામિનની ઉણપથી વાળ નબળા પણ પડવા લાગે છે. જો તેને યોગ્ય સમયે રોકવામા ના આવે તો તે વાળને પણ નુકશાની પહોંચાડે છે.
વિટામિન-બી એ ડેરી ઉત્પાદનોમા પુષ્કળ માત્રામા જોવા મળે છે. નિયમિત રીતે આ વિટામીન લેવાથી તમારા વાળ મજબૂત બને છે અને વાળ પર સફેદીની પરત પણ ચડે છે. વાળ માટે વિટામિન બી-૬ અને વિટામીન બી-૧૨ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે શરીરમા આ વિટામિનની ઉણપ થાય છે ત્યારે વાળને ઓક્સિજન ઓછો મળે છે. ફોલિક એસિડ અને બાયોટીનની ઉણપ પણ વાળ પર સફેદીની પરત આવવા પાછળ જવાબદાર કારણ છે.
આ લોકોએ ચોકલેટ, મશરૂમ, કઠોળનુ સેવન કરવુ જેથી, તેમને આ સમસ્યામા રાહત મળે છે. આ પદાર્થોમા કોપર પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત સ્ટ્રોબેરીનુ સેવન પણ લાભદાયી સાબિત થાય છે, તેમા સમાવિષ્ટ વિટામિન વાળને સફેદ થતા અટકાવે છે અને તમારા વાળને પ્રાકૃતિક ચમક આપે છે, માટે જો તમે પણ તમારા વાળને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો સૌથી પહેલા તમારા ભોજન પર ધ્યાન આપો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત