આઈડીબીઆઈ બેંકે ટ્વિટમાં કહ્યું કે તેને જાણકારી મળી છે કે દગાખોરી કરનારી નોકરી આપનારી એજન્સીઓ બેંકના નામે આવેદન મંગાવી રહી છે.આઈડીબીઆઈ બેંકે ટ્વિટ કરીને લોકોને સચેત કર્યા છે કે બેંકના નામે લોકોને નોકરીની લાલચ આપીને ફસાવવામાં આવી રહ્યા છે. સોશ્યિલ મીડિયા પર બેંકના નામે ખોટી નોકરીને રજૂ કરીને લોકોને ઠગવામાં આવી રહ્યા છે. બેંકે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેણે કોઈ વેકેન્સી કે લોકોની પાસેથી પૈસા લેવાને લઈને કોઈ પણ એજન્સીની સેવા લીધી નથી. બેંકે આ માટે ટ્વિટ કરીને લોકોને એલર્ટ કર્યા છે. IDBI Bank Balance Enquiry Number (આઈડીબીઆઈ બેન્ક) :- માત્ર બેંક સાથે જોડાયેલ રેજિસ્ટર મોબાઈલ નંબર થી આ પ્રકિયા કરવી. બેલેન્સ જોવા માટે મિસ કોલ કરો- 09212993399, અને મીની સ્ટેટમેન્ટ માટે કોલ કરો – 18008431122.
આઈડીબીઆઈ બેંકમાં બચત ખાતું ખોલવા માટેની યોગ્યતા માપદંડ
ગ્રાહકોએ બેંકમાં બચત ખાતું ખોલવા માટે નીચે આપેલા માપદંડને પૂર્ણ કરવું જોઈએ- તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. નાના બચત ખાતાને બાદ કરતાં વ્યક્તિની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. વ્યક્તિઓએ માન્ય માન્યતા અને સરનામાંના પુરાવા બેંકમાં રજૂ કરવાની જરૂર છે જે સરકાર દ્વારા માન્ય છે. એકવાર બેન્કે સબમિટ કરેલા દસ્તાવેજોને મંજૂરી આપી દીધા પછી, અરજદારે બચત ખાતાના પ્રકારને આધારે પ્રારંભિક થાપણ જમા કરવાની રહેશે..
બેંકે આ વાત પણ કરી છે સ્પષ્ટ
બેંકે ટ્વિટમાં એ વાતની પણ જાણકારી આપી છે કે જે લોકો દગાખોરી કરનારી
— IDBI BANK (@IDBI_Bank) March 19, 2021
એજન્સીમાંથી આઈડીબીઆઈ બેંકના નામે અરજી પત્ર જાહેર કરી રહી છે અને તેના નામે તમને ફોન કરે છે તો તમે સચેત રહો. આ કેસની તપાસ બાદ જ આગળ વધો.
બેંકે નથી લીધી કોઈ પણ એજન્સીની સેવા
IDBI Bankએ સ્પષ્ટ કર્યું છે કે આ પત્રમાં બેંકનું નામ, લોગો અને સરનામાનો ઉપયોગ થઈ રહ્યો છે. આઈડીબીઆઈ બેંકના આધારે તેણે પોતાની તરફથી વેકેન્સી કે પ્રશિક્ષણ માટે કોઈ રકમ/ કમિશન/ રૂપિયા લેવા માટે કોઈ પણ એજન્સી કે વ્યક્તિની મદદ લીધી નથી. આ દિવસોમાં અનેક આવા કેસ આવી રહ્યા છે જેમાં કોઈ બેંકમાં નોકરી આપવાના નામે લોકોને ફેક કોલ આવી રહ્યા છે.
વેબસાઈટ પર આપવામાં આવી છે જાણકારી
બેંકે કહ્યું કે લોકોને દગાખોરોથી સચેત રહેવાનું કહેવાયું છે. બેંકના અનુસાર વેકેન્સીની સુચના હંમેશા તેની વેબસાઈટ www.idbibank.in પર આપવામાં આવે છે. આઈડીબીઆઈ બેંક, એલઆઈસીના નિયંત્રણ વાળી બેંક છે. હાલમાં જ આઈડીબીઆઈના નિયંત્રણ દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના હાથમાં સોંપવામાં આવ્યું છે. એવામાં તમારી પાસે આઈડીબીઆઇમાં નોકરી અપાવવાના નામે કોઈ ફોન કે મેલ આવે છે તો બેંકની વેબસાઈટ પર જઈને ચેક કરો અને જાણો કે ખરેખર નોકરીની કોઈ વેકેન્સી છે કે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!